________________
૯૬
આગમ કથાનુયોગ-૫
કરવામાં સમર્થ ન થઈ શક્યો ત્યારે શ્રાંત, કલોત અને ખિન્ન થયો. પછી તે દેવ ધીમે ધીમે પાછળ ખસ્યો. પાછળ ખસીને પૌષધશાળામાંથી બહાર નીકળ્યો. નીકળીને તે દેવમાયાજન્ય સર્પરૂપનો ત્યાગ કર્યો. ત્યાગ કરીને તેણે એક ઉત્તમ દિવ્ય દેવરૂપ વિકુવ્યું.
તે દેવનું વક્ષસ્થળ હારથી સુશોભિત થયેલ હતું, તેની ભુજાઓ કટક અને ભુજબંધોથી શોભાયમાન હતી. તેના કેશર, કસ્તુરી આદિથી બનેલા ચિતરામણોથી મંડિત કપોલો પર કુંડલ વડે તેના કર્ણો શોભી રહ્યા હતા.
તેના હાથ વિશિષ્ટ પ્રકારના હસ્તાભરણોથી મંડિત હતા. તેના મસ્તક પર વિવિધ પ્રકારની માળાઓથી યુક્ત મુગટ હતો. તેણે માંગલિક અને ઉત્તમ પોષાક પરિધાન કરેલ
હતો.
માંગલિક, ઉત્તમ માળાઓ અને ચંદન–કેસર આદિ વિલેપનથી યુક્ત તેનું શરીર દેદીપ્યમાન હતું. સર્વ ઋતુઓથી બનેલી માળા તેના ગળાથી ઘૂંટણ સુધી લટકતી હતી.
તે દિવ્ય વર્ણ, દિવ્ય ગંધ, દિવ્ય રૂપ, દિવ્ય સ્પર્શ, દિવ્ય સંઘાત, દિવ્ય સંસ્થાન, દિવ્ય ઋદ્ધિ, દિવ્ય દૃતિ, દિવ્ય પ્રભા, દિવ્ય કાંતિ, દિવ્ય દીપ્તિ, દિવ્ય તેજ, દિવ્ય લેશ્યાથી દશે દિશાઓને ઉદ્યોતિત, પ્રભાસિત, પ્રાસાદીય, દર્શનીય અભિરૂપ અને પ્રતિરૂપ એવા દિવ્ય દેવરૂપની વિકુવણા કરી શ્રમણોપાસક કામદેવની પૌષધશાળામાં પ્રવિષ્ટ થયો. પ્રવિષ્ટ થઈને આકાશમાં સ્થિત રહીને ઘૂંઘરુઓથી યુક્ત પંચવર્ણી ઉત્તમ વસ્ત્રોને ધારણ કરેલો તે દેવે કામદેવ શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યું
હે કામદેવ શ્રમણોપાસક ! આપ દેવાનુપ્રિય ધન્ય છો, હે દેવાનુપ્રિય ! કૃતલક્ષણ છો, હે દેવાનુપ્રિય ! આપે મનુષ્યભવનું સુફલ સમીચીન રૂપે પ્રાપ્ત કરેલ છે કે જેનાથી આપને નિગ્રંથ પ્રવચનમાં આ પ્રકારની પ્રતિપત્તિ સુલબ્ધ, સુપ્રાપ્ત અને અધિગત થઈ છે.
હે દેવાનુપ્રિય ! ખરેખર એ પ્રમાણે દેવેન્દ્ર દેવરાજ શક્ર, વજપાણી, પુરંદર, શતક્રતું, સહસ્રાક્ષ, મઘવા, પાકશાસન, દક્ષિણાર્ધ લોકાધિપતિ, બત્રીસ લાખ વિમાનોના સ્વામી, ઐરાવત નામના હાથી પર સવારી કરનાર, સુરેન્દ્ર, આકાશ સમાન નિર્મલ વસ્ત્રોના ધારક, માલાઓથી યુક્ત મુગટ ધારણ કરનારા, ઉજ્વલ સુવર્ણથી સુંદર, ચિત્રિત, ચંચળ કુંડળોથી સુશોભિત કપોલવાલા, દેદીપ્યમાન શરીરધારી, પલંબમાન પુષ્પમાળા પહેરનારા ઇન્દ્રએ સૌધર્મકલ્પના સૌધર્માવલંસક વિમાનમાં, સુધર્માસભામાં ઇન્દ્રાસન પર સ્થિત થઈને ૮૪,૦૦૦ સામાનિક દેવો, ૩૩ ત્રાયન્ટિંક દેવો, ચાર લોકપાલો, પરિવાર સહિત આઠ અગ્રમડિષીઓ, ત્રણ પર્ષદા, સાત સેના, સાત સેનાધિપતિ, ૩,૩૬,૦૦૦ આત્મરક્ષક દેવો તથા બીજા પણ અનેક દેવદેવીઓની સન્મુખ આ પ્રકારે કહ્યું હતું, બોલ્યા હતા. પ્રતિપાદિત કરેલ, પ્રરૂપિત કરેલ કે
હે દેવો ! જંબૂઢીપના ભરતવર્ષમાં સ્થિત ચંપાનગરીમાં કામદેવ શ્રમણોપાસક પૌષધશાળામાં પૌષધવતી થઈને, બ્રહ્મચારી થઈ, મણિસુવર્ણમાળા, વર્ણક, પુષ્પમાળા, વિલેપનનો ત્યાગ કરીને, મૂસલાદિ શસ્ત્રોને છોડીને એકાકી, અદ્વિતીય થઈને ઘાસના સંથારા પર સ્થિત થઈને શ્રમણ ભગવંત મહાવીર પાસેથી અંગીકૃત ધર્મપ્રજ્ઞપ્તિ અનુરૂપ રહેલ છે. તેને કોઈ દેવ, દાનવ, યક્ષ, રાક્ષસ, કિન્નર, કિંગુરુષ, મહોરગ કે ગંધર્વ નિગ્રંથ પ્રવચનથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org