________________
૯૨
આગમ કથાનુયોગ-૫
આંગળીના નખ સુપડા જેવા હતા.
તેના ઘૂંટણ મોટા-લાંબા અને ડગુમગુ થતા હતા. તેની ભ્રમર વિકૃત, ખડિત અને કુટિલ હતી. તેણે મોઢું ફાડી રાખેલ હતું, જીભ બહાર લબડતી હતી. તેણે મસ્તક પર ગિરગિટની માળા લપેટી રાખી હતી અને ગળામાં પહેરેલી ઉદરની માળા તેનું ઓળખ ચિન્હ હતું.
કાનોમાં કુંડલોના સ્થાને નોળીયા લટકી રહ્યા હતા. સાંપોનો દુપટ્ટો બનાવીને રાખ્યો હતો. તે બંને ભુજાઓ પર હાથ ફટકારી રહ્યો હતો. ગરજી રહ્યો હતો. ભયંકર અટ્ટહાસ્ય કરી રહ્યો હતો.
વિવિધ પ્રકારના પંચવર્તી વાળથી તેનું શરીર વ્યાપ્ત હતું અને નીલકમલ, ભેંસના શીંગડા, અળસીના ફૂલ જેવી નીલી, તીક્ષ્ણ ધારવાળી તલવાર લઈને જ્યાં પૌષધશાળા હતી, ત્યાં આવ્યો. શ્રમણોપાસક કામદેવ પાસે તે પિશાચ આવ્યો. આવીને અત્યંત ક્રુદ્ધ, રુષ્ટ, કુપિત, ચંડિકાવત્ વિકરાળ થઈને, દાંતોને કચકચાવતો શ્રમણોપાસક આ પ્રમાણે બોલ્યો
અરે ઓ કામદેવ શ્રમણોપાસક ! અપ્રાર્થિતની પ્રાર્થના કરનારા, દુરંતપ્રાંત લક્ષણવાળા ! તીનપુણ્ય ! ચૌદશીયા ! શ્રી, હી, લજ્જા, ધી, કીર્તિવિહીન ! ધર્મની કામના કરનારા ! પુણ્યની કામના કરનારા ! સ્વર્ગની કામના કરનારા ! મોક્ષની કામના કરનારા ! ધર્મકાંક્ષી ! પુણ્યકાંક્ષી ! મોક્ષકાંક્ષી ! ધર્મપિપાસુ ! પુણ્યપિપાસુ ! સ્વર્ગપિપાસુ! મોક્ષપિપાસુ ! દેવાનુપ્રિય ! શીલ–વ્રત, વિરમણ વ્રત, પ્રત્યાખ્યાન તથા પૌષધોપવાસોથી વિચલિત થવાનું, સુભિત થવાનું, તેને ખંડિત કરવાનું, ભગ્ન કરવાનું, ત્યાગ કરવાનું, પરિત્યાગ કરવાનું તને કલ્પતું નથી.
પણ જો આજ તું શીલ, વ્રત, વિરમણ, પ્રત્યાખ્યાન, પૌષધોપવાસોને નહીં છોડે, નહીં તોડે તો હું આજે આ નીલકમલ, ભેંસના શીંગડા, અળસીના ફૂલની સમાન ઊંડી, નીલી, તેજધારવાળી તલવારથી તારા ટુકડે ટુકડે કરી નાંખીશ. જેનાથી હે દેવાનુપ્રિય ! તું આર્તધ્યાનને વશીભૂત થઈને અતિવિકટ દુઃખ ભોગવતો અકાળે મોતને કારણે પ્રાણોથી તારા હાથ ધોઈ બેસીશ.
ત્યારપછી તે પિશાચરૂપધારી દેવે આ પ્રમાણે કહ્યું તો પણ તે કામદેવ શ્રમણોપાસક ભીત ત્રસ્ત, ઉદ્વિગ્ન, યુભિત અને વિચલિત થયો નહીં ગભરાયો નહીં, પણ ચુપચાપ શાંતભાવે ધર્મધ્યાનમાં સ્થિર રહ્યો.
પોતાના કથન પછી પણ જ્યારે તે પિશાચરૂપધારીદેવે શ્રમણોપાસક કામદેવને પૂર્વવત્ નિર્ભય, ત્રાસરહિત, ઉદ્વેગ અને ક્ષોભરહિત, અવિચળ, અનાકુલ, શાંત ભાવથી ધર્મધ્યાનમાં નિરત જોયો ત્યારે બીજી–ત્રીજી વખત પણ કહ્યું
અરે ઓ કામદેવ શ્રમણોપાસક ! – યાવત્ – આજ જો તું શીલ, વ્રત, વિરમણ, પ્રત્યાખ્યાન, પૌષધોપવાસોને છોડીશ નહીં. ખંડિત નહીં કર, તો હું આજ સમયે આ નીલકમલ, ભેંસના શીંગડા અને અળસીના ફૂલ સમાન નીલી, તીક્ષ્ણ ધારવાળી, તલવારથી તારા શરીરના ટુકડે ટુકડા કરી દઈશ. જેનાથી હે દેવાનુપ્રિય ! તું આર્તધ્યાનને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org