SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ આગમ કથાનુયોગ–૫ પ્રતિપાદિત કર્યું છે. હે ભગવન્! જે રીતે આપ દેવાનુપ્રિયની પાસે અનેક રાજા, ઈશ્વર, તલવર, માડંબિક, કૌટુંબિક, ઇભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ, પ્રકૃતિ મુંડિત થઈને અને ગૃહત્યાગ કરીને અણગાર દીક્ષા અંગીકાર કરવાને માટે તો હું સમર્થ નથી. પરંતુ આપ દેવાનુપ્રિયની પાસે પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવતરૂપ બાર પ્રકારનો શ્રાવકધર્મ ગ્રહણ કરવા ઇચ્છું છું. હે દેવાનુપ્રિય ! જેમ તને સુખ ઉપજે તેમ કર, વિલંબ ન કર. ત્યારે તે કામદેવ ગાથાપતિએ શ્રમણ ભગવંત મહાવીર પાસે શ્રાવકધર્મ અંગીકાર કર્યો. ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીરે કોઈ એક દિવસે ચંપાનગરીના પૂર્ણભદ્ર ચૈત્યથી નીકળ્યા. નીકળીને બાહ્ય જનપદ વિહારથી વિચરણ કરવા લાગ્યા. ૦ કામદેવ અને ભદ્રાની શ્રાવક ચર્યા : ત્યારપછી તે કામદેવ જીવ–અજીવ આદિ તત્ત્વોનો જ્ઞાતા શ્રમણોપાસક થઈ ગયો - યાવત્ – શ્રમણ નિગ્રંથોને પ્રાસુક એષણીય અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદપ્રોંછન, ઔષધિ, ભેષજ અને પ્રાતિહરિક (પાછા દેવા યોગ્ય) પીઠ, ફલક, શધ્યા, સંસ્મારકથી પ્રતિલાભિત કરતો વિચારવા લાગ્યો. ત્યારપછી ભદ્રાભાર્યા જીવ–અજીવાદિ તત્ત્વોની જ્ઞાતા શ્રમણોપાસિકા થઈ ગઈ – યાવત્ – શ્રમણ નિગ્રંથોને પ્રાસુક એષણીય અશન, પાન, ખાદિમ, સ્વાદિમ આહાર, વસ્ત્ર, પાત્રાદિ, કંબલ, પાદપ્રીંછન, ઔષધિ, ભેષજ અને પ્રાતિહારિક એવા પીઠ, ફલક, શય્યા, સંસ્મારકથી પ્રતિલાભિત કરતા વિચારવા લાગી. ૦ કામદેવની ધર્મજાગરિકા અને ગૃહવ્યાપાર ત્યાગ : ત્યારે તે કામદેવ શ્રમણોપાસકને અનેક પ્રકારના શીલવતો, ગુણવ્રતો, વિરમણ વ્રતો, પોષધોપવાસો દ્વારા આત્માને ભાવિત કરતા ચૌદ વર્ષ વીત્યા, પંદરમાં વર્ષની મધ્યમાં વર્તતા, કોઈ દિવસે મધ્ય રાત્રિએ ધર્મ જાગરણામાં જાગરણ કરતા તેને આવા પ્રકારનો આધ્યાત્મિક, ચિંતિત, પ્રાર્થિત, મનોગત સંકલ્પ સમુત્પન્ન થયો કે ચંપાનગરીના ઘણાં જ (રાઈસ-તલવર) આદિના દ્વારા પોતપોતાના કાર્યો માટે હું પૂછવા યોગ્ય છું. તેઓ મારી સાથે પરામર્શ કરે છે અને સ્વયં પોતાના કુટુંબને માટે આધાર સ્તંભ સમાન – યાવત્ – બધાં કાર્યો માટે પ્રેરકરૂપ છું. આ વિક્ષેપને કારણે હું શ્રમણ ભગવંત મહાવીર પાસેથી પ્રાપ્ત કરેલ ધર્મપ્રજ્ઞપ્તિનો સ્વીકાર કરીને વિચરવામાં સમર્થ થઈ શકતો નથી. ત્યારપછી તે કામદેવ શ્રમણોપાસકે પોતાના જ્યેષ્ઠ પુત્ર, મિત્રો, જ્ઞાતિજનો, નિજક, સ્વજન, સંબંધીઓ અને પરિચિતોને પૂછયું, પૂછીને પોતાના ઘેરથી નીકળ્યો. નીકળીને ચંપાનગરીના મધ્યભાગમાંથી થઈને જ્યાં પૌષધશાળા હતી, ત્યાં આવ્યો. આવીને પૌષધશાળાનું પ્રમાર્જન કર્યું, પ્રમાર્જન કરીને ઉચ્ચાર પ્રસ્ત્રવણ ભૂમિની પ્રતિલેખના કરી, પ્રતિલેખના કરીને દર્ભનો સંથારો બિછાવ્યો, બિછાવીને તે દર્ભના સંથાર પર સ્થિત થયો. ત્યારપછી પૌષધશાળામાં પૌષધવ્રતી થઈને બ્રહ્મચર્યપૂર્વક, સુવર્ણમણિથી બનેલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005012
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy