________________
શ્રાવક કથા
૮૯
બિરાજી રહ્યા છે, સમવસૃત થયા છે. અહીં ચંપાનગરીની બહાર પૂર્ણભદ્ર ચૈત્યમાં યથાયોગ્ય અવગ્રહને યાચીને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરણ કરી રહ્યા છે.
હે દેવાનુપ્રિયો ! જ્યારે તથારૂપ અરિહંત ભગવંતોના નામ અને ગોત્રને શ્રવણ કરવું પણ મહાફળદાયક છે, તો તે આયુષ્યમન્ ! પછી તેમની સન્મુખ જવું, તેમને વંદનનમસ્કાર કરવા, તેમને પ્રશ્ન પૂછવા અને તેમની પર્યુપાસના કરવાના ફળના વિષયમાં તો કહેવાનું જ શું હોય ? જ્યારે ધર્માચાર્યના એક સુવચનનું શ્રવણ કરવું પણ મહાનું ફળને દેનારું છે, તો પછી હે આયુષ્યમન્ વિપુલ અર્થના ગ્રહણ કરવાથી પ્રાપ્ત થનારા સુફલને માટે તો કહેવાનું જ શું હોય ?
તેથી હે દેવાનુપ્રિયો ! હું જાઉં અને શ્રમણ ભગવંત મહાવીરને વંદન–નમસ્કાર કરું, તેઓનો સત્કાર-સન્માન કરું, તેમજ તેમના કલ્યાણરૂપ, મંગલરૂપ, દેવરૂપ અને ચૈત્ય
સ્વરૂપની પર્યપાસના કરું. આ પ્રમાણેનો વિચાર કર્યો. વિચાર કરીને તેણે સ્નાન કર્યું બલિકર્મ કર્યું, કૌતુક, મંગલ, પ્રાયશ્ચિત્ત કર્યું અને યોગ્ય વેશભૂષા તથા મંગલકારી ઉત્તમ વસ્ત્રો પહેર્યા. અલ્પ પણ મૂલ્યવાનું આભૂષણોથી શરીરને વિભૂષિત કર્યું.
ત્યારપછી તે કામદેવ ગાથાપતિ પોતાના ઘેરથી નીકળ્યો, નીકળીને કરંટ પુષ્પમાળાઓથી યુક્ત છત્રને મસ્તક પર ધારણ કર્યું. ધારણ કરીને જનસમૂહને સાથે લઈને પગે ચાલીને ચંપાનગરીની વચ્ચોવચ્ચેથી નીકળ્યો. નીકળીને જ્યાં પૂર્ણભદ્ર ચૈત્ય હતું અને
જ્યાં શ્રમણ ભગવંત મહાવીર બિરાજી રહ્યા હતા, ત્યાં આવ્યો, આવીને શ્રમણ ભગવંત મહાવીરને દક્ષિણાદિશાથી આરંભીને ત્રણ વખત પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદનનમસ્કાર કર્યા. વંદન–નમસ્કાર કરીને યથોચિત સ્થાને સન્મુખ રહીને શુશ્રુષા કરતા, કિંચિત્ મસ્તક નમાવીને પર્યુપાસના કરવા લાગ્યો.
ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીરે કામદેવ ગાથાપતિ અને તે મોટી પર્ષદાને – થાવત્ – ધર્મોપદેશ આપ્યો. પર્ષદા પાછી ફરી, રાજા પણ ગયો. ૦ કામદેવ દ્વારા શ્રાવકધર્મ સ્વીકાર :
ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીર પાસે ધર્મશ્રવણ કરી અને હૃદયમાં ધારણ કરી કામદેવ ગાથાપતિ હર્ષિત, સંતુષ્ટ, આનંદિત ચિત્ત, પ્રીતિમના, પરમ સૌમનસ ભાવવાળા અને હર્ષવશાત્ વિકસિત હૃદયવાળા થઈને પોતાના આસનેથી ઊભો થયો, ઊભો થઈને ત્રણવાર શ્રમણ ભગવંત મહાવીરની આદક્ષિણ–પ્રદક્ષિણા કરી, કરીને વંદન–નમસ્કાર કર્યા, વંદન–નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું
હે ભગવન્! હું નિગ્રંથ પ્રવચનની શ્રદ્ધા કરું છું, હે ભગવન્! હું નિગ્રંથ પ્રવચનની પ્રતીતિ કરું છું, હે ભગવન્! મને નિગ્રંથ પ્રવચનમાં રુચિ છે. હે ભગવન્! હું નિગ્રંથ પ્રવચન માટે અમ્યુત્થિત થયો છું હે ભગવન્! તે એ પ્રમાણે જ છે. હે ભગવન્! એ તથારૂપ છે. હે ભગવન્! આ યથાર્થ છે. હે ભગવન્! આ અસંદિગ્ધ છે. હે ભગવન્! આ અભિલાષા કરવા યોગ્ય છે. હે ભગવન્! આ ગ્રહણ કરવા યોગ્ય છે. હે ભગવન્! આ નિગ્રંથ પ્રવચન અભિલષણીય અને ગ્રહણીય છે. તે એ જ પ્રમાણે છે, જેવું આપે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org