________________
૮૮
આગમ કથાનુયોગ-
મૃત્યુ પામ્યા બાદ આનંદ શ્રાવક સૌધર્મકલ્પના સૌધર્માવલંક મહાવિમાનમાં ઇશાન ખૂણામાં સ્થિત અરુણાભવિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયો. ત્યાં કેટલાંક દેવોની ચાર પલ્યોપમની સ્થિતિ હોય છે. તેથી ત્યાં આનંદ શ્રમણોપાસકની પણ ચાર પલ્યોપમની સ્થિતિ થઈ.
હે ભગવન્! તે આનંદદેવ આયુભય, ભવક્ષય અને સ્થિતિશય થયા પછી અનંતર તે દેવલોકથી ઐવિત થઈને કયાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે ?
હે ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈને સિદ્ધ થશે, બુદ્ધ થશે, કર્મમુક્ત થશે અને સમસ્ત દુઃખોનો અંત કરશે.
૦ આગમ સંદર્ભ :ઠ. ૩૪૫ની વૃ
ઉવા. ૩, ૫ થી ૧૯, ૬૯; આવ નિ ૮૪૪ની વૃ,
આવ.ચૂ–પૃ. ૪૫ર, ૪૫૩;
૦ કામદેવ શ્રાવકની કથા :
તે કાળે અને તે સમયે ચંપાનામક નગરી હતી. ત્યાં પૂર્ણભદ્ર નામે ચૈત્ય હતું. જિતશત્રુ નામે રાજા ત્યાં રાજ્ય કરતો હતો.
તે ચંપાનગરીમાં ધનાઢ્ય – યાવત્ – કોઈથી પરાભવ ન પામે તેવો કામદેવ નામે ગાથાપતિ રહેતો હતો. ૦ કામદેવની સંપત્તિ અને મહત્તા :
તે કામદેવ ગાથાપતિની છ કોટિ સુવર્ણમુદ્રા કોષમાં રાખી હતી, છ કોટિ સુવર્ણ વ્યાપારમાં લગાવેલ હતું, છ કરોડ સુવર્ણમુદ્રા ગૃહસંબંધી સાધનોમાં નિયોજિત હતી. તથા તેને દશ-દશ હજાર ગાયોવાળું એક એવા છે ગોકુળ હતા.
તે કામદેવ ગાથાપતિને ઘણાં જ રાજા – યાવત્ – વ્યાપારી પોતપોતાના કાર્યો આદિને માટે પૂછતા હતા. પરામર્શ કરતા હતા તથા તે પોતાના પરિવારનો પણ સ્તંભ – થાવત્ – સર્વે કાર્યોમાં પ્રેરક હતો. ૦ કામદેવની પત્ની ભદ્રા :
તે કામદેવ ગાથાપતિની ભદ્રા નામની પત્ની હતી. જે શુભલક્ષણોથી સંપન્ન. પરિપૂર્ણ પંચેન્દ્રિય શરીરવાળી – યાવત્ – મનુષ્ય સંબંધી કામભોગોને ભોગવતી એવી પોતાનો સમય વ્યતીત કરતી હતી. ૦ ભગવંતનું સમોસરણ અને કામદેવ દ્વારા ધર્મશ્રવણ :
તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર – યાવત્ – જ્યાં ચંપાનગરી હતી, જ્યાં પૂર્ણભદ્ર ચૈત્ય હતું, ત્યાં પધાર્યા, પધારીને યથાપ્રતિરૂપ અવગ્રહને યાચીને સંયમ અને તપથી આત્માને ભાવિત કરી વિચારવા લાગ્યા. પર્ષદા નીકળી, કોણિક રાજાની માફક જિતશત્રુ રાજા પણ નીકળ્યો – યાવત્ – પર્યપાસના કરવા લાગ્યો.
ત્યારપછી તે કામદેવ ગાથાપતિ આ સંવાદને સાંભળીને કે, શ્રમણ ભગવંત મહાવીર પૂર્વાનુપૂર્વી ક્રમથી ગમન કરતા, રામાનુગ્રામનો સ્પર્શ કરતા અહીં પધાર્યા છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org