________________
८४
આગમ કથાનુયોગ-૫
તેજલેશ્યાવાળા, ગૌતમ ગોત્રીય ઇન્દ્રભૂતિ નામક અણગાર નિરંતર છઠ–છઠ ભક્ત તપોકર્મ અને સંયમ સાધના દ્વારા પોતાના આત્માને ભાવિત કરતા વિચારતા હતા.
ત્યારપછી તે ગૌતમસ્વામી અણગારે છઠ ભક્ત તપના પારણાના દિવસે પહેલી પૌરૂષીમાં સ્વાધ્યાય કર્યો, બીજી પૌરૂષીએ ધ્યાન કર્યું, ત્રીજી પૌરૂષીમાં અત્વરિત, ચપળતારહિત, અસંભ્રાંત ભાવથી મુખવસ્ત્રિકાનું પ્રતિલેખન કર્યું અને પ્રતિલેખન કરીને પાત્ર આદિનું પ્રમાર્જન કર્યું. પાત્રાદિ પ્રમાર્જના કરીને તેને હાથમાં લીધા, હાથમાં લઈને જ્યાં શ્રમણ ભગવંત મહાવીર બિરાજમાન હતા ત્યાં આવ્યા.
– ત્યાં આવીને શ્રમણ ભગવંત મહાવીરને વંદન-નમસ્કાર કર્યા. વંદન–નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું, હે ભગવન્! આપની આજ્ઞા–અનુમતિ પ્રાપ્ત કરીને છઠ તપના પારણાને માટે વાણિજ્ય ગ્રામનગરના ઉચ્ચ, નીચ, મધ્યમ કુળોમાં ગૃહ સામુદાનિક ભિક્ષાચર્યાને માટે ભ્રમણ કરવાને ઇચ્છું છું.
હે દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ કરો, વિલંબ ન કરો.
ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીર દ્વારા આજ્ઞા પ્રાપ્ત કરીને ગૌતમસ્વામી શ્રમણ ભગવંત મહાવીર પાસેથી નીકળ્યા, નીકળીને પછી ત્વરિતતા, ચપળતા, સંભાતતા રહિતપણે, યુગપ્રમાણ (સાડા ત્રણ હાથ પ્રમાણ) માર્ગનું અવલોકન કરતા, જ્યાં વાણિજ્યગ્રામ નગર હતું, ત્યાં આવ્યા, ત્યાં આવીને વાણિજ્યગ્રામ નગરના ઉચ્ચ, નીચ, મધ્યમ કુળોમાં ગૃહસામુદાનિક ભિક્ષાચર્યાથી પરિભ્રમણ કરવા લાગ્યા.
ત્યારપછી ગૌતમસ્વામીએ વાણિજ્યગ્રામ નગરમાં ઉચ્ચ, નીચ, મધ્યમ કુળોમાં ગૃહસામુદાનિક ભિક્ષાચર્યાથી ભ્રમણ કરતા પોતાના માટે પર્યાપ્ત આહાર-પાણી ગ્રહણ કર્યા. ગ્રહણ કરીને વાણિજ્યગ્રામ નગરથી બહાર નીકળ્યા, નીકળીને કોલ્લાગ સન્નિવેશની બહુ દૂર નહીં – બહુ નજીક નહીં તેવા માર્ગે ગમન કરતા તેઓએ ઘણાં લોકોની વાતચીત સાંભળી, તે ઘણાં મનુષ્યો પરસ્પર આ પ્રમાણે કહી રહ્યા હતા, બોલી રહ્યા હતા, પ્રતિપાદન કરી રહ્યા હતા, પ્રરૂપણા કરી રહ્યા હતા કે
હે દેવાનુપ્રિયો ! શ્રમણ ભગવંત મહાવીરના અંતેવાસી શ્રમણોપાસક આનંદ પૌષધશાળામાં અપશ્ચિમ મારણાંતિક સંલેખના-નૂસણાને અંગીકાર કરીને, ભોજન–પાનનો ત્યાગ કરીને અને જીવન-મરણની આકાંક્ષા ન કરતો વિચરણ કરી રહ્યો છે.
ત્યારે તે ઘણાં લોકોની પાસેથી આ વાત સાંભળીને અને અવધારિત કરીને ગૌતમસ્વામીને આ અને આવા પ્રકારનો આધ્યાત્મિક, ચિંતિત, પ્રાર્થિત મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો કે, હું જાઉં અને આનંદ શ્રમણોપાસકને જોઉં. આવા પ્રકારનો વિચાર કર્યો, વિચાર કરીને જ્યાં કોલ્લાગ સન્નિવેશ હતું, જ્યાં પૌષધશાળા હતી અને તેમાં જ્યાં આનંદ શ્રમણોપાસક હતો ત્યાં આવ્યા.
ત્યારે આનંદ શ્રમણોપાસકે ભગવાન ગૌતમને પોતાની સમીપ આવતા જોયા. જોઈને હર્ષિત, સંતુષ્ટ, આનંદિત ચિત્ત, પ્રીતિમના, પરમ સૌમનસ્ય, ભાવપૂર્વક હર્ષાતિરેકથી વિકસિત હૃદયવાળા થઈને ગૌતમસ્વામીને વંદન–નમસ્કાર કર્યા, વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org