SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨ આગમ કથાનુયોગ-૫ તેથી મારા માટે એ ઉચિત છે કે, તને આપણા કુટુંબનો આધારસ્તંભ, આધાર, અવલંબન, માર્ગદર્શકના રૂપમાં સ્થાપિત કરી અને આ મિત્રો, જ્ઞાતિબંધુ, નિજક, સ્વજન, સંબંધીઓ અને પરિચિતો તેમજ તને પૂછીને કોલાગ સંનિવેશમાં જ્ઞાતકુળની પૌષધશાળામાં પ્રતિલેખના કરીને શ્રમણ ભગવંત મહાવીર પાસેથી પ્રાપ્ત ધર્મપ્રજ્ઞપ્તિને અંગીકાર કરીને વિચરું. ત્યારપછી જ્યેષ્ઠપુત્રએ આનંદ શ્રમણોપાસકના આ અભિપ્રાયને “જેવી આપની આજ્ઞા” એમ કહીને વિનયપૂર્વક સ્વીકારી. ત્યારપછી તે આનંદ શ્રમણોપાસકે તે મિત્રો, જ્ઞાતિજનો, નિજક, સ્વજને સંબંધીઓ અને પરિજનોની સમાન જયેષ્ઠ પુત્રને કુટુંબનો ભાર સોંપ્યો, સોંપીને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયો ! આજથી તમારામાંના કોઈ પણ ઘણાં જ – વિવિધ કાર્યોના સંબંધમાં, કારણોના વિષયમાં, વિચાર–પરામર્શ, કુટુંબ–પરિવાર, ગુપ્તવાત, નિર્ણય અથવા લોકવ્યવહારના સંબંધમાં મને પૂછવું નહીં કે મારી સાથે પરામર્શ કરવો નહીં. મારા માટે અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ભોજન તૈયાર ન કરવું કે મારા માટે લાવવું નહીં. ત્યારપછી આનંદ શ્રમણોપાસકે જ્યેષ્ઠપુત્ર તથા મિત્રો, જ્ઞાતિજનો, નિજકસ્વજન, સંબંધીઓ અને પરિચિત્તજનોની અનુમતિ લીધી, અનુમતિ લઈને પોતાના ઘેરથી નીકળ્યો, નીકળીને વાણિજ્યગ્રામની વચ્ચોવચ થઈને જતાં જ્યાં કોલ્લાગ સંનિવેશ હતું, જ્યાં સાતકુળ હતું તથા જ્યાં તેની પૌષધશાળા હતી ત્યાં આવ્યો. ત્યાં આવીને પૌષધશાળાનું પ્રમાર્જન કર્યું. પ્રમાર્જન કરીને ઉચ્ચાર-પ્રસ્ત્રવણ ભૂમિની પ્રતિલેખના કરી, પ્રતિલેખના કરીને દર્ભનો સંથારો બિછાવ્યો. ત્યારપછી તે દર્ભના સંથારા પર બેઠો, બેસીને પૌષધશાળામાં પૌષધ વ્રત સ્વીકારીને મણિ–સુવર્ણ આદિના આભૂષણો, પુષ્પમાળાઓ, વિલેપન આદિ તથા મૂસલ આદિ શસ્ત્રોનો ત્યાગ કરીને, એકાકી, બ્રહ્મચર્યપૂર્વક દર્ભનો સંથારા પર બેસીને શ્રમણ ભગવંત મહાવીર પાસેથી ગ્રહણ કરેલી ધર્મપ્રજ્ઞપ્તિનો સ્વીકાર કરીને વિચરવા લાગ્યા. ૦ આનદ ગ્રહણ કરેલ ઉપાસક પ્રતિમા : ત્યારપછી તે આનંદ શ્રમણોપાસકે પહેલી ઉપાસક પ્રતિમાને સ્વીકાર કરીને વિચારવા લાગ્યો. પહેલી ઉપાસક પ્રતિમાની સૂત્રોનુસાર, કલ્પાનુસાર, માર્ગાનુસાર, યથાર્થ તત્ત્વાનુસાર, સમ્યક્ પ્રકારે કાયાની દ્વારા સ્વીકાર કર્યો, પાલન કર્યું, શોધન કર્યું, સારી રીતે પૂર્ણ કરી, કીર્તન કર્યું અને આરાધના કરી. ત્યારપછી તે આનંદ શ્રમણોપાસકે બીજી ઉપાસક પ્રતિમાને સ્વીકારી, એ જ રીતે ત્રીજી, ચોથી, પાંચમી, છઠી, સાતમી, આઠમી, નવમી, દશમી અને અગિયારમી ઉપાસક પ્રતિમાને યથાસૂત્ર, યથાકલ્પ, યથાતત્ત્વ, સમ્યક્ પ્રકારે કાયા દ્વારા સ્વીકાર કર્યો, પાલન કર્યું, શોધન કર્યું, પૂર્ણ કરી, કીર્તન કર્યું અને આરાધના કરી. ત્યારપછી તે આનંદ શ્રમણોપાસક આ અને આવા પ્રકારના ઉદાર, વિપુલ પ્રયત્ન સાધ્ય તપોકર્મના ગ્રહણ કરવાથી શુષ્ક, ફૂલ, માંસરહિત, અસ્થિપિંજર માત્ર, કડકડાટ કરનારા શરીરરૂપ, કૃશ, નાડીઓ દેખાતી હોય તેવો થઈ ગયો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005012
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy