SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક કથા ત્યારપછી શિવાનંદા ભાર્યા શ્રમણોપાસિકા થઈ ગઈ – ચાવતુ – શ્રમણ નિગ્રંથોને પ્રાસુક એષણીય અશન, પાન – યાવત્ – શય્યા સંસ્મારક આપતી એવી ધાર્મિક જીવન જીવવા લાગી. ૦ આનંદની ઘર્મજાગરિકા અને ગૃહ વ્યાપાર ત્યાગ : ત્યારપછી અનેક પ્રકારના શીલવતો, વિરમણો, પ્રત્યાખ્યાનો અને પૌષધોપવાસો દ્વારા આત્માને ભાવિત કરતો એવા તે આનંદ શ્રમણોપાસકે ચૌદ વર્ષ વ્યતીત કર્યા. પંદરમાં વર્ષમાં કોઈ એક સમયે મધ્યરાત્રિમાં ધર્મ જાગરણ કરતા એવા તેના મનમાં આ પ્રકારનો આવો વિચાર – યાવત્ – સંકલ્પ ઉત્પન્ન થયો. હું આ વાણિજ્યગ્રામ નગરમાં અનેક રાજા, ઈશ્વર – યાવત્ – સ્વયં પોતાના કુટુંબનો – યાવતું – આધારભૂત, અવલંબનરૂપ અને સર્વ કાર્ય વ્યવહારનો નિર્દેશક– માર્ગદર્શક રૂપ છું. આ વિક્ષેપને કારણે હું શ્રમણ ભગવંત મહાવીર પાસેથી પ્રાપ્ત કરેલ ધર્મપ્રજ્ઞપ્તિનો સ્વીકાર કરીને અથવા ધર્મપ્રજ્ઞપ્તિનું સારી રીતે પાલન કરીને મારો સમય વ્યતીત કરવામાં સમર્થ થઈ શકતો નથી. તેથી મારે માટે એ શ્રેયસ્કર થશે કે કાલે – યાવત્ – સૂર્યોદય થયા પછી અને સહસ્રરશ્મિ દિનકરના પ્રકાશમાન થયા પછી પુષ્કળ પરિમાણમાં અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ભોજન બનાવીને પૂરણશેઠની સમાન – ચાવત્ – જ્યેષ્ઠપુત્રને કુટુંબમાં સ્થાપિત કરીને, તે મિત્રો – યાવત્ – જ્યેષ્ઠ પુત્રને પૂછીને કોલ્લાગ સન્નિવેશમાં જ્ઞાતકુળની પૌષધશાળાની પ્રતિલેખના કરી, શ્રમણ ભગવંત મહાવીર પાસેથી પ્રાપ્ત ધર્મપ્રજ્ઞપ્તિને સ્વીકાર કરીને વિચરણ કરું. આ પ્રમાણે વિચાર કર્યો. – વિચાર કરીને કાલે – યાવત્ – સૂર્ય પ્રકાશમાન થયા પછી વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ભોજન બનાવડાવ્યું, બનાવડાવીને મિત્રો, જ્ઞાતિજનો, નિજક–સ્વજનો, સંબંધીઓ અને પરિજનોને આમંત્રિત કર્યા. આમંત્રિત કરીને પછી સ્નાન કર્યું – યાવત્ – અલ્પ અને બહુમૂલ્ય આભૂષણોથી શરીરને વિભૂષિત કર્યું અને ભોજન વેળાએ ભોજનશાળામાં સુખાસને બેસીને તે મિત્ર, જ્ઞાતિજન, સ્વજન, સંબંધી, પરિજનોની સાથે તે વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ભોજનનો સ્વાદ લેતા, વિશેષરૂપે સ્વાદ લેતા, આપતા-ખાતા વિચારવા લાગ્યા. ભોજન કર્યા પછી આચમન કરી સ્વચ્છ, શુચિભૂત થઈને તે મિત્રો, જ્ઞાતિજનો, નિજક, સ્વજન, સંબંધીઓ અને પરિચિતોને વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, આહાર, વસ્ત્ર, ગંધ, માળા, અલંકારથી સત્કાર અને સન્માન કર્યું, સત્કાર અને સન્માન કરીને તે મિત્રો, જ્ઞાતિજનો, નિજક, સ્વજન, સંબંધીઓ અને પરિચિતોની સામે જ્યેષ્ઠ પત્રને બોલાવ્યો અને બોલાવીને તેને આ પ્રમાણે કહ્યું હે પુત્ર! હું વાણિજ્યગ્રામ નગરમાં ઘણાં – યાવતું – રાજા, ઈશ્વર દ્વારા પૂછાઉ છું, વારંવાર પૂછાઉ છું તથા સ્વયં પોતાના કુટુંબનો પણ આધાર સ્તંભ – કાવત્ - સર્વકાર્યોનો પ્રેરક છું. તેથી આ વિક્ષેપને કારણે શ્રમણ ભગવંત મહાવીર પાસેથી પ્રાપ્ત ધર્મપ્રજ્ઞપ્તિનો સ્વીકાર કરીને સમય વ્યતીત કરવામાં સમર્થ થઈ શકતો નથી. ( ૫/૬ Jain nenternational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005012
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy