________________
૮૦
લાવીને આજ્ઞા પાછી સોંપી.
ત્યારપછી શિવાનંદા પત્નીએ સ્નાન કર્યું, બલિકર્મ કર્યું, કૌતુક મંગલ પ્રાયશ્ચિત્ત કરીને શુદ્ધ–વંદનાર્થે જવાને યોગ્ય–મંગલકારી શ્રેષ્ઠ વસ્રોને પહેર્યા, અલ્પ અને મૂલ્યવાન્ અલંકારોથી શરીરને અલંકૃત્ કર્યું, પછી દાસીઓને સાથે લઈને તે ધાર્મિક યાનપ્રવર પર બેઠી. બેસીને વાણિજ્યગ્રામ નગરની વચ્ચોવચ્ચ થઈને નીકળી. નીકળીને જ્યાં દૂતિપલાશ ચૈત્ય હતું. ત્યાં આવી, આવીને ઉત્તમ ધાર્મિકયાન રથમાંથી નીચે ઉતરી, ઉતરીને દાસીઓને સાથે લઈને જ્યાં શ્રમણ ભગવંત મહાવીર બિરાજમાન હતા ત્યાં આવી.
–
ત્યાં આવીને આદક્ષિણ-પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદન—નમસ્કાર કર્યા, વંદન—નમસ્કાર કરીને બહુ દૂર નહીં – બહુ નજીક નહીં, પરંતુ યથાયોગ્ય સ્થાને બેસીને શુશ્રુષા—સાંભળવાને માટે ઉત્સુક થઈને નમન કરતી એવી વિનયપૂર્વક અંજલિ કરીને પર્વપાસના કરવા લાગી.
ત્યારે શ્રમણ ભગવંત મહાવીરે શિવાનંદાને અને તે મોટી ધર્મસભાને – યાવત્ – ધર્મ કહ્યો.
આગમ કથાનુયોગ–૫
ત્યારપછી શિવાનંદ ભાર્યાએ શ્રમણ ભગવંત મહાવીર પાસેથી પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રતરૂપ બાર પ્રકારનો ગૃહીધર્મ—શ્રાવિકાધર્મ અંગીકાર કર્યો. અંગીકાર કરીને શ્રમણ ભગવંત મહાવીરને વંદન—નમસ્કાર કર્યા. વંદન—નમસ્કાર કરીને તે જ ધાર્મિક યાન પ્રવર પર બેઠી, બેસીને જે દિશામાંથી આવી હતી, તે જ દિશામાં પાછી ચાલી ગઈ. ૦ આનંદ સંબંધે ગૌતમના કુતૂહલનું ભગવંત દ્વારા નિવારણ :
હે ભગવન્ ! એમ કહીને ગૌતમસ્વામીએ શ્રમણ ભગવંત મહાવીરને વંદન— નમસ્કાર કર્યો અને વંદન–નમસ્કાર કરીને આ પ્રમાણે પૂછયું, હે ભગવન્ ! શું આનંદ શ્રમણોપાસક આપ દેવાનુપ્રિયની પાસે મુંડિત થઈને ગૃહત્યાગ કરીને અનગાર પ્રવ્રજ્યા અંગીકાર કરવામાં સમર્થ છે ?
હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. (આ કથન ઉચિત નથી.)
હે ગૌતમ ! આનંદ શ્રમણોપાસક ઘણાં વર્ષો સુધી શ્રમણોપાસકનો પર્યાય પાલન કરશે અને પાલન કરીને – યાવત્ – સૌધર્મ કલ્પના અરુણાભ વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થશે. ત્યાં કેટલાંક દેવોની ચાર પલ્યોપમની સ્થિતિ કહેવાઈ છે. ત્યાં આનંદ શ્રમણોપાસકની પણ ચાર પલ્યોપમની સ્થિતિ—આયુષ્ય હશે.
ત્યારપછી કોઈ એક દિવસે શ્રમણ ભગવંત મહાવીર વાણિજ્યગ્રામ નગરથી, દૂતિપલાશ ચૈત્તયથી નીકળ્યા, નીકળીને બહારના જનપદોમાં વિચરણ કરવા લાગ્યા. ૦ આનંદ અને શિવાનંદાની શ્રાવક ચર્યા :
ત્યારપછી આનંદ જીવ–અજીવ તત્ત્વોનો જાણકાર શ્રમણોપાસક થઈ ગયો યાવત્ શ્રમણ નિગ્રંથોને પ્રાસુક, એષણીય અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, આહાર, વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદપ્રોછન, ઔષધ, ભૈષજ અને પ્રાતિહારિક, (પરત કરવા યોગ્ય) પીઠ, ફલક, શય્યા, સંસ્તારકથી પ્રતિલાભિત કરતો, દાન આપતો વિચરવા લાગ્યો.
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org