SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ આગમ કથાનુયોગ-૫ સર્વે પ્રકારના ચોખાનું હું પ્રત્યાખ્યાન કરું છું. (૭–૪) ત્યારપછી સૂપ વિધિનું પરિમાણ કર્યું – વટાણા, મગ અને અડદની દાળ સિવાય અન્ય બધી દાળ–સૂપ વિધિનું હું પ્રત્યાખ્યાન કરું છું. (૭–૫) ત્યારપછી ધૃતવિધિ – ઘીનું પરિમાણ કર્યું – શરદઋતુના ગાયના ઘી સિવાયના અન્ય ઘીનું પ્રત્યાખ્યાન કરું છું. (૭–૬) ત્યારપછી શાકવિધિનું પરિમાણ કર્યું – વત્થશાક, તુબશાક, સૌવસ્તિક શાક અને મંડૂકિક શાક સિવાયના સર્વે શાકનું હું પ્રત્યાખ્યાન કરું છું. (૭–૭) ત્યારપછી માધુરક વિધિનું પરિમાણ કર્યું – એક પાલગા માધુર સિવાયના બાકીના બધા માધુરક - ગોળ, ખાંડ, સાકર આદિ માધુરકોનું પ્રત્યાખ્યાન કરું છું. (૭૮) ત્યારપછી જેમણ–નમકીન વિધિનું પરિમાણ કર્યું કે, સેંધામ્ય–કાંજીવડા અને દાલિકામ્ય–દાળના પકોડા આદિ સિવાયના સર્વે જેમણવિધિ – નમકીન પદાર્થોનું હું પ્રત્યાખ્યાન કરું છું. (૭–૯) ત્યારપછી પાનકવિધિનું પરિમાણ કર્યું – એક માત્ર વર્ષાના પાણીના સિવાયના સર્વે પાનીયવિધિ-પીવાના પાણીનું પ્રત્યાખ્યાન કરું છું. (૭–૧૦) ત્યારપછી મુખવાસ વિધિનું પરિમાણ કર્યું – પાંચ સુગંધિત પદાર્થો (એલચી, લવિંગ, કપૂર, જાયફળ, દાળીની)થી યુક્ત તાંબુલ–પાન સિવાયના મુખને સુગંધિત કરનારા અન્ય સર્વે પદાર્થોનું પ્રત્યાખ્યાન કરું છું. . (૮) ત્યારપછી ચાર પ્રકારના અનર્થદંડોનું પ્રત્યાખ્યાન કર્યું. તે આ પ્રમાણે :(૧) અપધ્યાનાચરિત–દુધ્ધન કરવું, (૨) પ્રમાદાચરિત – વિકથા આદિ કરવી, (૩) હિંન્નપ્રદાન – હિંસાકારી શસ્ત્રો દેવા, (૪) પાપકર્મોપદેશ – પાપકર્મ ઉપદેશ દેવો. ૦ સમ્યકત્વ અને વ્રતોના અતિચારો : હે આનંદ ! આ પ્રમાણે સંબોધિત કરીને શ્રમણ ભગવંત મહાવીરે આનંદ શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યું હે આનંદ ! જીવ અને અજીવ તત્ત્વોના જ્ઞાતા, પુણ્ય-પાપ કાર્યોના વિજ્ઞાતા, આશ્રવ, સંવર, નિર્જરા, ક્રિયા, અધિકરણ, બંધ અને મોક્ષનું સ્વરૂપ જાણવામાં કુશળ, આરંભ–સમારંભમાં ખેદખિન્ન થનારા, દેવ, અસુર, નાગ, સુવર્ણ, યક્ષ, રાક્ષસ, કિંમર, કિંગુરુષ, ગરુડ, ગંધર્વ, મહોરગ આદિ દેવા દ્વારા કરાતા અનુકૂળ-પ્રતિકૂળ ઉપસર્ગોથી નિગ્રંથ પ્રવચનોથી વિચલિત ન થનારા શ્રમણોપાસકને સમ્યકત્વના મુખ્ય પાંચ અતિચારોને અવશ્ય જાણવા જોઈએ. આ અતિચારો જાણવા યોગ્ય છે પણ આચરવા યોગ્ય નથી. તે આ પ્રમાણે :- ૧. શંકા, ૨. કાંક્ષા, ૩. વિચિકિત્સા, ૪. પરપાખંડ પ્રશંસા, ૫. પરપાખંડ સંસ્તવ. (૧) ત્યારપછી શ્રમણોપાસકોએ સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રતના પાંચ અતિચારો જાણવા જોઈએ પણ તેનું આચરણ ન કરવું જોઈએ તે આ પ્રમાણે – ૧. બંધ, ૨. વધ, ૩. છવિચ્છેદ, ૪. અતિભાર, ૫. ભોજનપાન વ્યવચ્છેદ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005012
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy