________________
આગમ કથાનુયોગ-૫
તેમ કર. – ૪ – ૪ – ૪ – ત્યારપછી તે દિવ્ય પિશાચરૂપે અહંન્નક શ્રમણોપાસકને – ૮ – ૮ – ૮ – ધર્મધ્યાનમાં સ્થિર જોઈ અત્યંત ક્રોધિત થઈને તેણે પોતાની બે આંગળી વડે તે વહાણને પકડીને સાત-આઠ તાલ પ્રમાણ આકાશમાં ઉઠાવ્યું – ૮ – ૪ - x – ૪ –
ત્યારપછી જ્યારે તે પિશાચરૂપ દેવ, તે અન્નકને નિગ્રંથ પ્રવચનથી ચલિત કરવામાં, યુભિત કરવામાં, વિપરિણામિત કરવામાં સમર્થ ન થયો ત્યારે તે ઉપશાંત, શાંત, પ્રશાંત અને મનોમન ખેદિત થઈ ગયો. વહાણને ધીમે ધીમે નીચે ઉતારી ફરી પાણી પર મૂકી દીધું. પોતાનું દૈવિક પિશાયરૂપ સંહરી લીધું. – ૪ – ૪ – ૪ – પછી કહ્યું, હે અર્ણત્રક ! હે દેવાનુપ્રિય ! તું ધન્ય છે. તું પુણ્યશાળી છે, તું કૃતાર્થ છે, કૃતલક્ષણ છે, તેં મનુષ્યભવનું ફળ સારી રીતે પ્રાપ્ત કરેલ છે. કેમકે તે નિગ્રંથ પ્રવચનમાં આવી પ્રતિપત્તિદઢ શ્રદ્ધા પ્રાપ્ત કરી છે, ઉપાર્જિત કરી છે, સંપૂર્ણરૂપે આરાધના કરી છે.
હે દેવાનુપ્રિય! દેવેન્દ્ર દેવરાજ શક્રએ સૌધર્મ કલ્પે સૌધર્માવલંસક વિમાનમાં સુધર્મા સભામાં ઘણાં દેવોની મધ્યે ઉચ્ચ સ્વરમાં આ પ્રમાણે કહ્યું કે, – ૪ – ૪ – ૪ – અર્પત્રક શ્રમણોપાસક છે, તેને કોઈ દેવ કે દાનવ, યક્ષ, રાક્ષસ, કિનર, કિંજુષ, મહોરગ કે ગંધર્વ નિગ્રંથ પ્રવચનથી ચલિત કરવાને સમર્થ નથી. – ૪ – ૪ – હે દેવાનુપ્રિય ! દેવેન્દ્ર દેવરાજ શક્રની એ વાત પર મને શ્રદ્ધા ન થઈ, પ્રતીતિ ન થઈ, રુચિ ન થઈ – ૪ -- * – ૪ – પણ શક્રએ કહેલ સર્વ કથન સત્ય સિદ્ધ થયું છે – ૪ – ૪ – ૪ – હે દેવાનુપ્રિય ! હું આપની ક્ષમા યાચું છું આપ મને ક્ષમા કરો. – ૮ – ૮ – ૮ – પછી તે દેવ અહંન્નકને ભેટ સ્વરૂપે દિવ્યકુંડળની જોડી અર્પણ કરી જે દિશામાંથી આવ્યો હતો, ત્યાં પાછો ચાલ્યો ગયો.
૦ આગમ સંદર્ભ :ઠા. ૬૬૪ની વૃક
નાયા. ૮૭, ૮૮; – ૪ – ૪ – ૦ આનંદ શ્રાવકની કથા :
તે કાળે અને તે સમયે વાણિજ્યગ્રામ નામક નગર હતું. (વર્ણન કરવું) તે વાણિજ્યગ્રામ નગરની બહાર ઇશાન દિશામાં દૂતીપલાશ નામે ચૈત્ય હતું. તે વાણિજ્યગ્રામ નગરમાં જિતશત્રુ રાજા રાજ્ય કરતો હતો. (રાજાનું વર્ણન કોણિક માફક
કરવું).
તે વાણિજ્યગ્રામ નગરમાં આનંદ નામે ગાથાપતિ રહેતો હતો. જે ધનાઢ્ય – યાવત્ – અપરિભૂત હતો. ૦ આનંદ ગાથાપતિની સંપત્તિ અને મહત્તા :
તે આનંદ ગાથાપતિના ચાર સુવર્ણકોટિ નિધાન–કોષમાં સંચિત હતી. ચાર સુવર્ણ કોટિ વૃદ્ધિને માટે વ્યાપારમાં લગાવાયેલ હતી અને ચાર સુવર્ણ કોટિ પ્રવિસ્તરગૃહ સંબંધી સામાનમાં લાગેલી હતી. તેની પાસે દશ-દશ હજાર ગાયોનું એક ગોકુળ એવા ચાર ગોકુળ હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org