________________
શ્રાવક કથા
૦ અહંન્નક શ્રાવકની કથા –
અહેવકની કથા ભગવંત મલિના કથાનકમાં આવી ગયેલ છે. જુઓ કથા – તીર્થંકર ભગવંત “મલિ” – ઉત્તમ પુરુષ કથા વિભાગમાં) ૦ અર્ડત્રક કથા સાર :
તે કાળે, તે સમયે એકઠા થયેલા અત્રક આદિ પોતવણિકોને પરસ્પર વાત કરતા એવો વિચાર ઉત્પન્ન થયો કે, અમારા માટે એ શ્રેયસ્કર છે કે, અમે ગણિમ, ધરિમ, મેય અને પરિચ્છેદ્ય આદિ વસ્તુઓ લઈને પોતવાહનોથી લવણસમુદ્રનું અવગાહન કરીએ. – ૪ – ૮ – ૮ – ચંપાનગરીની બરાબર મધ્યમાંથી નીકળ્યા. નીકળીને જ્યાં ગંભીરક પોતપટ્ટન બંદર હતું ત્યાં આવ્યા. – ૪ – ૪ – પછી તે અન્નક આદિ પોતવણિક એક જ દિશામાં મુખ રાખીને નૌકાઓમાં આરૂઢ થયા.
ત્યારપછી તે બંધનમુક્ત નૌકા વાયુના વેગથી પ્રેરાઈને જળ પ્રવાહના વેગથી વારંવાર અહીં-તહીં ઉછળતી હોય તેમ – ૪ – ૪ – ૪ – કેટલાંયે દિવસો સુધી ચાલતી–ચાલતી લવણ સમુદ્રમાં અનેક યોજનો સુધી પહોંચી – ૮ – – ૮ – સેંકડો યોજન અવગાહન કર્યા પછી ઘણાં બધાં સેંકડો ઉત્પાતો ઉત્પન્ન થવા લાગ્યા. જેમકે અકાળે મેઘગર્જના, અકાળે વીજળી થવી, અકાળે વાદળાઓનો ગડગડાટ, વારંવાર આકાશમાં દેવતાઓ નાચ ઇત્યાદિ થવા લાગ્યા – ૪ – ૮ – ૮ – ૮ –
ત્યારપછી અન્નક શ્રમણોપાસકે તે દિવ્ય પિશાચરૂપને પોતાની તરફ આવતો જોયો જોઈને તે ડર્યો નહીં. ઉદ્વિગ્ન ન થયો. – ૮ – ૮ – ૮ – તેણે પોતવાહનના એક યોગ્ય સ્થાન પર વસ્ત્રના છેડા વડે ભૂમિનું પ્રમાર્જન કર્યું, કરીને ત્યાં બેઠો. બેસીને બંને હાથ જોડી, મસ્તકે અંજલિ કરી. નમસ્કાર કરીને આ પ્રમાણે બોલ્યો
અરહંત ભગવંતોને મારા નમસ્કાર થાઓ – યાવત્ – સિદ્ધિગતિ નામક સ્થાનને પ્રાપ્ત કરનારને નમસ્કાર થાઓ. હું આ ઉપસર્ગથી જ્યાં સુધી મુક્ત ન થાઉં, ત્યાં સુધી હું ભક્ત પ્રત્યાખ્યાન (અનશન) સ્વીકાર કરું છું. જો હું આ ઉપસર્ગથી મુક્ત થાઉં તો મને આ પચ્ચક્ખાણ પારવું કલ્પ અને જ્યાં સુધી મુક્ત ન થાઉં, ત્યાં સુધી મારે આ પચ્ચક્ખાણ થાઓ. એમ પ્રતિજ્ઞા કરી તેણે સાગારી ભક્ત પ્રત્યાખ્યાન કર્યું.
ત્યારે તે પિશાચરૂપ (દેવ) જ્યાં અત્રક શ્રમણોપાસક હતો ત્યાં આવ્યો. આવીને તેણે આ પ્રમાણે કહ્યું, ઓ અત્રક ! અપ્રાર્થિત (મોતીની પ્રાર્થના કરનારા ! તુરંતપંત લક્ષણવાળા ! તીનપુન ચૌદશીયા ! શ્રી હી ધૃતિ, કીર્તિ વગરના ! જો તું શીલવત, ગુણવ્રત, પ્રત્યાખ્યાન, પૌષધોપવાસ આદિથી ચલિત નહીં થા, સુભિત નહીં થા, તું તેનું ખંડન નહીં કરે, ભંગ નહીં કરે, તું તેને છોડીશ નહીં, પરિત્યાગ નહીં કરે, તો હું આ વહાણને – ૪ – ૪ – ૪ – ઊંડા પાણીમાં ડૂબાડી દઈશ. – ૮ – ૪ – ૪ –
ત્યારે તે અત્રક શ્રમણોપાસકે પોતાના મનમાં જ તે દેવને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! જીવ–અજીવ આદિ તત્ત્વોને જાણતો એવો હું અહંન્નક શ્રમણોપાસક છું. કોઈ દેવ, દાનવ, યક્ષ, રાક્ષસ, કિંમર, લિંપુરુષ, મહોરગ કે ગંધર્વ મને નિગ્રંથ પ્રવચનથી ચલિત કરવા, સુભિત કરવા કે વિપરિત પરિણામવાળો કરવા સમર્થ નથી. તને ઠીક લાગે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org