SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક કથા ૦ દરનો મહાવ્રત ગ્રહણ સંકલ્પ : ત્યારે તે દેડકો શ્રેણિક રાજાના એક અશ્વકિશોરના ડાબા પગથી કચડાઈ ગયો. જેનાથી તેના આંતરડા બહાર નીકળી ગયા. ત્યારપછી ઘોડાના પગ વડે કચડાઈ ગયા પછી – તે દેડકો શક્તિહીન, બળહીન, વીર્યહીન, પુરુષાકાર પરાક્રમથી હીન થઈ ગયા. હવે આ જીવનનું બચવું શક્ય નથી. એ પ્રમાણે જાણીને એકાંતમાં ચાલ્યો ગયો અને ત્યાં બંને હાથ જોડીને મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરીને તે દેડકો આ પ્રમાણે બોલ્યો અરિહંત – કાવત્ – સિદ્ધાવસ્થાને પ્રાપ્ત આત્માઓને નમસ્કાર થાઓ. શ્રમણ ભગવંત મહાવીરને – યાવત્ – સિદ્ધિગતિ નામના સ્થાનને પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળા આત્માઓ નમસ્કાર થાઓ. પહેલા પણ મેં શ્રમણ ભગવંત મહાવીરની પાસે સ્થૂલા પ્રાણાતિપાતનું પ્રત્યાખ્યાન કરેલ હતું – યાવત્ – સ્થૂલ પરિગ્રહનું પ્રત્યાખ્યાન કરેલ હતું. તો આ સમયે પણ તેમની સમીપ સર્વથા જીવનપર્યતને માટે સર્વ પ્રાણાતિપાતનું પ્રત્યાખ્યાન કરું છું – યાવત્ – સર્વ પરિગ્રહનું પ્રત્યાખ્યાન કરું છું. જાવજીવને માટે સર્વ પ્રકારે અશન, પાન, ખાદિમ, સ્વાદિમ આહારનું હું પ્રત્યાખ્યાન કરું છું. - આ જે મારું ઇષ્ટ અને કાંત શરીર છે – યાવત્ – જેના વિષયમાં હું એમ ઇચ્છતો હતો કે આને વિવિધ પ્રકારના રોગ અને આતંક, પરિષહ અને ઉપસર્ગ સ્પર્શ ન કરે, તેને પણ અંતિમ શ્વાસોચ્છવાસ પર્યતે ત્યાગ કરું છું. આ પ્રકારે તેણે પૂર્ણ પ્રત્યાખ્યાન કરી લીધું. ૦ દેડકાની દેવપર્યાયમાં ઉત્પત્તિ : ત્યારપછી તે દેડકો મરણકાળ પ્રાપ્ત થયો ત્યારે મૃત્યુ પામીને – ચાવતું – સૌધર્મકલ્પમાં દરાવતંસક વિમાનની ઉપપાત સભામાં દરદેવરૂપે ઉત્પન્ન થયો. હે ગૌતમ ! આ પ્રમાણે તે દરદેવે તે દિવ્ય દેવઋદ્ધિ લબ્ધ કરી છે, પ્રાપ્ત કરી છે, પૂર્ણરૂપે અધિગત કરી છે. હે ભગવન્! તે દરદેવની તે દેવલોકમાં કેટલી સ્થિતિ કહી છે ? હે ગૌતમ ! દÉરદેવની ચાર પલ્યોપમની સ્થિતિ કહી છે. હે ભગવન્! તે દદેવ તે દેવલોકથી ચ્યવીને કયાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે ? હે ગૌતમ ! ત્યારપછી તે દદ્ધરદેવ આયુલય, ભવક્ષય, સ્થિતિશયથી શીધ્ર જ ચ્યવન કરીને મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ, બુદ્ધ, મુક્ત થશે, પરિનિર્વાણને પ્રાપ્ત કરશે અને સર્વદુઃખોનો અંત કરશે. ૦ આગમ સંદર્ભ :નાયા. ૧૪૫ થી ૧૪૭; ભત્ત. ૭૫; - ૪ -- * ૦ સુદર્શન શ્રાવકની કથા – | (થાવગ્સાપુત્ર અણગારની કથામાં આ સુદર્શન શ્રાવકની કથા આ પૂર્વે સમાવિષ્ટ થઈ જ ગયેલી છે. જુઓ “થાવસ્ત્રાપુત્ર” કથા. શ્રમણ વિભાગમાં) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005012
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy