SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ આગમ કથાનુયોગ-૫ રાજાની આજ્ઞા લીધી. નંદાપુષ્કરિણી ખોદાવી. વનખંડ બનાવ્યા. ચાર સભાઓ બનાવડાવી. ઇત્યાદિ બધું વર્ણન પૂર્વવત્ જાણવું – યાવત્ – પુષ્કરિણી પ્રતિ આસક્તિ થવાને કારણે નંદાપુષ્કરિણીમાં દેડકારૂપે ઉત્પન્ન થયો. – તેથી હું અધન્ય છું, અપુણ્ય છું, મેં પુણ્ય કરેલ નથી, હું નિગ્રંથ પ્રવચનથી નષ્ટ થયેલ છું, ભ્રષ્ટ થયો છું, પરિભ્રષ્ટ થયો છું. તેથી મારે માટે એ શ્રેયસ્કર છે કે હું સ્વયં જ પહેલા અંગીકાર કરેલ પાંચ અણુવ્રતો અને સાત શિક્ષાવતોને પુનઃ અંગીકાર કરું. આ પ્રકારનો વિચાર કર્યો અને વિચાર કરીને પહેલા અંગીકાર કરેલા પાંચ અણુવ્રતોને પુનઃ અંગીકાર કર્યા. પાંચ અણુવ્રતોને અંગીકાર કરીને આ પ્રકારનો અભિગ્રહ ધારણ કર્યો કે, આજથી માવજજીવનને માટે મારે છઠ–છટ્ઠની તપસ્યા દ્વારા મારા આત્માને ભાવિત કરતા વિચરવાનું કલ્યું છે અને છઠ ભકતના પારણામાં પણ નંદાપુષ્કરિણીના પર્યત ભાગોમાં જે પ્રાસુક થયેલા સ્નાન કરાયેલા જળ વડે અને ઉન્મર્દન આદિ દ્વારા ઉતારેલ મનુષ્યોના મેલથી પોતાનો જીવનનિર્વાહ કરવો કલ્પે છે. - આ પ્રકારનો તેણે અભિગ્રહ ધારણ કર્યો અને અભિગ્રહ ધારણ કરીને જીવનપર્યત છઠ–છઠની તપશ્ચર્યા દ્વારા આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા. ૦ ભગવંતનું સમવસરણ અને દેડકાનું ગમન : હે ગૌતમ ! હું તે કાળે અને તે સમયે ગુણશીલક ચૈત્યમાં આવ્યો. પર્ષદા નીકળી. તે સમયે તે નંદાપુષ્કરિણીમાં આવેલ ઘણાં લોકો સ્નાન કરતા, પાણી પીતા અને પાણી લઈ જતી વેળા પરસ્પર આ પ્રમાણે બોલતા હતા કે શ્રમણ ભગવંત મહાવીર સ્વામી અહીં ગુણશીલક ચૈત્યમાં પધાર્યા છે. - તેથી હે દેવાનુપ્રિયો ! આપણે જઈએ અને શ્રમણ ભગવંત મહાવીરને વંદના કરીએ – નમસ્કાર કરીએ, સંસ્કાર અને સન્માન કરીએ. કલ્યાણ, મંગલ, દેવ અને ચૈત્યરૂપ ભગવંતની પર્યપાસના કરીએ. તે આપણા માટે આ ભવમાં અને પરભવમાં હિતકર થશે – યાવત્ – અનુગામીરૂપ થશે. ત્યારપછી અનેક લોકો પાસે આ વૃત્તાંત સાંભળીને અને હૃદયમાં ધારણ કરીને તે દેડકાને આ અને આવા પ્રકારનો વિચાર – યાવત્ – સંકલ્પ ઉત્પન્ન થયો કે, અહીં શ્રમણ ભગવંત મહાવીર પધાર્યા છે. તેથી હું તે શ્રમણ ભગવંત મહાવીરની વંદના કરવાને માટે જઉં. આ પ્રકારનો વિચાર કર્યો. વિચાર કરીને ધીમે ધીમે નંદાપુષ્કરિણીથી તે બહાર નીકળ્યો અને બહાર નીકળીને જ્યાં રાજમાર્ગ હતો, ત્યાં આવ્યો, આવીને ઉત્કૃષ્ટ દેડકા ગતિથી અર્થાત્ મેંડક યોગ્ય તીવ્ર ગતિથી ચાલતો મારી પાસે આવવા તત્પર થયો. આ તરફ શ્રેણિક–બિંભિસાર રાજા એ સ્નાન કર્યું – યાવત્ – સર્વ અલંકારોથી વિભૂષિત થયો અને શ્રેષ્ઠ હાથીના સ્કંધ પર આરૂઢ થઈને કોરંટ પુષ્પોની માળાવાળા છત્રને ધારણ કર્યું. શ્રેત ચામરોથી વિંઝાતો અને ઉત્તમ અશ્વ, હાથી, રથ અને સુભટોના સમૂહરૂપ ચતુરંગિણી સેનાથી પરિવૃત્ત થઈને મારી ચરણવંદના કરવાને માટે શીઘ્રતાથી આવી રહેલ હતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005012
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy