SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક કથા ત્યારપછી તે ઘણાં જ વૈદ્ય અને વૈદ્યપુત્ર, જ્ઞાયક અને જ્ઞાયકપુત્ર, કુશલ અને કુશલપત્ર જ્યારે તે સોળ રોગાસંકોમાંથી એક પણ રોગાતંકને શાંત કરવામાં સફળ ન થયા, ત્યારે શ્રાંત, કલાત, ખિન્ન, ઉદાસ થઈને જે દિશામાંથી આવ્યા હતા, તે દિશામાં પોતપોતાના ઘેર પાછા ફર્યા. ૦ નંદ મણિયારનો દેડકાનો ભવ : ત્યારપછી તે સોળ રોગાતકોથી અભિભૂત તે નંદમણિયાર શ્રેષ્ઠીએ નંદા પુષ્કરિણીમાં મૂછિત, ગૃહ, આસક્ત થઈને તિર્યંચયોનિ સંબંધી આયુનો બંધ કર્યો. પ્રદેશોનો બંધ કર્યો અને આર્તધ્યાનને વશીભૂત થઈને મરણના સમયે મૃત્યુ પામીને નંદાપુષ્કરિણીમાં એક (દર્દરી) દેડકીની કૃષિમાં દેડકાના રૂપે ઉત્પન્ન થયો. ત્યારપછી તે નંદ(દેડકો) મંડૂક ગર્ભથી નીકળીને અને અનુક્રમથી બાલ્યાવસ્થાને પાર કરી વિજ્ઞાન પરિણત–સમજદાર થઈને અને યુવાવસ્થાને પ્રાપ્ત કરી નંદાપુષ્કરિણીમાં રમણ કરતો વિચરવા લાગ્યો. ત્યારે નંદા પુષ્કરિણીમાં ઘણાં જ લોકો સ્નાન કરતા, પાણી પીતા, પાણી ભરીને લઈ જતા પરસ્પર – એકબીજાને આ પ્રમાણે કહેતા હતા, બોલતા હતા, પ્રજ્ઞાપના કરતા હતા, પ્રરૂપણા કરતા હતા કે, હે દેવાનુપ્રિયો ! નંદમણિયાર ધન્ય છે, જેણે આ પ્રકારની આ ચતુષ્કોણવાળી – યાવત – પ્રતિરૂપ નંદા પુષ્કરિણી બનાવડાવી, જેના પૂર્વના વનખંડમાં અનેક સેંકડો સ્તંભોથી યુક્ત ચિત્રસભા છે. આજ પ્રમાણે ચારે સભાઓના વિષયમાં કહેવું જોઈએ – યાવત્ – આ પ્રકારના કાર્ય કરાવીને તેમનું જન્મ અને જીવન સફળ છે. ૦ દેડકાને થયેલ જાતિસ્મરણ જ્ઞાન અને શ્રાવક વ્રતીત્વ : ત્યારપછી તે દેડકાને વારંવાર ઘણાં જ લોકો પાસેથી આ વાત સાંભળીને અને મનમાં સમજીને આ પ્રકારનો માનસિક ચિંતન – યાવત્ – સંકલ્પ ઉત્પન્ન થયો કે, લાગે છે કે આવા પ્રકારના શબ્દો મેં પહેલા પણ સાંભળેલા છે. આ પ્રકારનો વિચાર કરવાથી, શુભ પરિણામોથી, પ્રશસ્ત અધ્યવસાયોથી, વેશ્યાઓના વિશુદ્ધ થવાથી, તદાવરણીય કર્મોના સંયોપશમથી ઈડા, અપોહ, માર્ગણા, ગવેષણા કરતા તે દેડકાને સંજ્ઞીપર્યાયના ભવોને જાણનારું જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. જેનાથી તેને પોતાનો પૂર્વભવ સારી રીતે સ્મરણમાં આવી ગયો. ત્યારપછી તે દેડકાને આવા પ્રકારના ચિંતન – યાવત્ – મનોગત સંકલ્પ ઉત્પન્ન થયા – હું આ જ રાજગૃહનગરમાં ધનાઢ્ય – યાવત્ – બીજાથી પરાભવને પ્રાપ્ત ન કરનાર નંદ નામક મણિયાર હતો. તે કાળે, તે સમયે રાજગૃહ નગરમાં શ્રમણ ભગવંત મહાવીર પધાર્યા હતા. ત્યારે મેં શ્રમણ ભગવંત મહાવીરની પાસે પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવતરૂપ બાર પ્રકારના શ્રાવકધર્મ અંગીકાર કરેલ હતો. ત્યારપછી અસાધુદર્શન – થાવત્ – મિથ્યાત્વ ઉદયને કારણે કોઈ સમયે મિથ્યાત્વી થઈ ગયો. ત્યારપછી એક સમય ગ્રીષ્મઋતુમાં – યાવતું – અઠમ સહિત પૌષધ અંગીકાર કરીને વિચારી રહ્યા હતા. ત્યારે મને પુષ્કરિણી બનાવવાનો વિચાર ઉત્પન્ન થયો. શ્રેણિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005012
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy