________________
આગમ કથાનુયોગ-૫
ત્યારપછી નંદાપુષ્કરિણી ખોદાતા–ખોદાતા ચતુષ્કોણ અને સમાન કિનારાવાળી પુષ્કરિણી-(વાવ) થઈ ગઈ. ત્યારપછી અનુક્રમથી તેની ચારે તરફ ફરતા પરકોટા બનાવ્યા, તે પુષ્કરિણી શીતળ જળથી ભરેલી હતી અને જળ, પાંદડા, બિસતંતુ અને મૃણાલોથી આચ્છાદિત થઈ ગઈ. તે પુષ્કરિણી ઘણાં જ ઉત્પલ, કુમુદ, નલિન, સુભગ– સુંદર સૌગંધિક કમલ, પુંડરીક, મહાપુંડરીક શતપત્ર, સહસ્ત્રપત્ર આદિ અનેક પ્રકારના કમળોના પરાગથી પરિવ્યાપ્ત થઈ.
પરિપત્થ નામના જળ તંતુઓ, ભ્રમણ કરતા એવા મદોન્મત્ત ભ્રમર અને અનેક પ્રકારની પક્ષી યુગલોના કલરવ અને ઉન્મત્ત તેમજ મધુર સ્વરનાદથી ગુંજવા લાગી. જેનાથી તે પુષ્કરિણી પ્રાસાદીય – યાવત્ – પ્રતિરૂપ થઈ ગઈ.
ત્યારપછી નંદ મણિયાર શ્રેષ્ઠીએ નંદાપુષ્કરિણીની ચારે દિશાઓમાં ચાર વનખંડ બનાવ્યા. વનખંડોની સારી રીતે દેખરેખ રાખવાથી, સંગોપન–સારસંભાળ કરવાથી, સંવર્ધન કરવાથી, તે વનખંડ કૃષ્ણ વર્ણવાળું – યાવત્ – મહામેળોની સમાન, સઘન, પત્રપુષ્પ અને ફળથી ભરેલું અને પોતાની સુંદરતાથી અતીવ-અતીવ શોભાયમાન થઈ ગયું. ૦ નંદ દ્વારા ચિત્રસભા, મહાનસશાલા આદિનું નિર્માણ :
ત્યારપછી નંદમણિયાર શ્રેષ્ઠીએ પૂર્વદિશાના વનખંડમાં એક વિશાળ ચિત્રસભાનું નિર્માણ કરાવ્યું. જે અનેક સેંકડો સ્તંભોની બનેલી હતી. પ્રાસાદીય – યાવત્ – પ્રતિરૂપ હતી. તે ચિત્રસભામાં ઘણાં જ કૃષ્ણવર્ણવાળા – યાવત્ – શુક્લવર્ણવાળા કાષ્ઠકર્મ (પુતળી આદિ કોતરકામ) થયેલા હતા. એ જ રીતે પુસ્તકર્મ–કપડા પર બનેલ ચિત્ર આદિ હતા, ચિત્ર, લેપ્ય, ગ્રંથિમ, વેષ્ટિમ, પૂરિમ, સંઘાતિમ કલાકૃતિઓ હતી. જેને દર્શકો એકબીજાને દેખાડી–દેખાડીને પ્રસન્ન થતા હતા.
ત્યાં ઘણાં જ આસન-શયન હંમેશાં માટે રખાયેલા હતા.
ત્યાં ઘણાં જ નટ, નર્તક, સ્તુતિપાઠક, મલ્લ, મૌષ્ટિક, પંજા લડાવનારા, વિદૂષક, કથા કરનાર, તરનારા, ભાંડ, આખ્યાયિક, લેખ (વાંસ પર ક્રીડા કરનાર), પંખ (ચિત્રપટ દેખાડીને ભિક્ષા માંગનાર), તૂણ–તુંબવીણક વગાડનારા આદિ પુરષ જીવિકા અને વેતન આપીને રાખવામાં આવેલ હતા. તે તાલાચર કર્મ કરતા-કરતા ત્યાં રહેતા હતા.
ફરવાને માટે નીકળેલા રાજગૃહ નગરના ઘણાં જ લોકો ત્યાં આવીને પહેલાથી જ રાખેલા આસનો અને શયનો પર બેસીને તેમજ સૂઈને કથા-વાર્તા સાંભળતા નાટક જોતાજોતા અને ત્યાંની શોભાનો આનંદ અનુભવ કરતા-કરતા સુખપૂર્વક વિચરણ કરતા હતા.
ત્યારપછી નંદમણિયાર શ્રેષ્ઠીએ દક્ષિણ બાજુના વનખંડમાં અનેક સેંકડો સ્તંભોથી સન્નિવિષ્ટ – યાવત્ – પ્રતિરૂપ એક વિશાળ માનસશાળા (રસોઈગૃહ) બનાવડાવી. ત્યાં આજીવિકા અને ભોજન તેમજ વેતન આપીને રાખેલ ઘણાં જ વ્યક્તિ વિપુલ માત્રામાં અશન, પાન, ખાદિમ, સ્વાદિમ આહાર પકાવત હતા અને ઘણાં જ શ્રમણો, માહણો, અતિથિઓ, દરિદ્રો અને ભિખારીઓને ભોજન કરાવતા હતા અથવા આપતા હતા.
ત્યારપછી નંદ મણિયાર શ્રેષ્ઠીએ પશ્ચિમ દિશાના વનખંડમાં એક વિશાળ ઔષધાલય (ચિકિત્સાલય) બનાવડાવ્યું. જે અનેક સેંકડો સ્તંભોથી યુક્ત – યાવત્ –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org