SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક કથા ૬૩ ત્યારપછી તે નંદમણિયાર શ્રેષ્ઠી અન્ય કોઈ સમયે અસાધુઓના દર્શનથી અને સુસાધુઓની ઉપાસના ન કરવાથી, તેમનો ઉપદેશ શ્રવણ ન કરવાથી, ધીમે ધીમે સમ્યકત્વના પર્યાયોના ક્રમશઃ ક્ષીણ થતા જવાથી તથા મિથ્યાત્વના પર્યાયોની ક્રમશઃ વૃદ્ધિ થતી જવાથી મિથ્યાત્વી થઈ ગયો. ત્યારપછી તે નંદમણિયાર શ્રેષ્ઠીએ અન્ય કોઈ દિવસે ગ્રીષ્મઋતુમાં જેઠ માસમાં અષ્ટમભક્ત અંગીકાર કર્યો અને અંગીકાર કરીને પૌષધશાળામાં બ્રહ્મચર્યપૂર્વક, મણિ અને સુવર્ણના આભૂષણોના ત્યાગ કરીને, માળા-વર્ણક વિલેપન– મૂશલ આદિ શસ્ત્રોના આરંભ સમારંભનો ત્યાગ કરીને એકાકી, અદ્વિતીય થઈને દર્ભના સંથારા પર બેસીને વિચરણ કરવા લાગ્યો. ૦ નંદ દ્વારા પુષ્કરિણી અને વનખંડ નિર્માણ : ત્યારપછી તે નંદમણિયાર શ્રેષ્ઠીનો અષ્ટમભક્ત પરિણત – પૂર્ણ થવા આવ્યો, ત્યારે ભૂખ અને તરસથી પીડિત થવાથી, તેના મનમાં આવા પ્રકારના અધ્યવસાય – થાવત્ – સંકલ્પ ઉત્પન્ન થયો કે, તે ઈશ્વર પ્રકૃતિ સાર્થવાહ ધન્ય છે, તે ઈશ્વર પ્રભૂતિ પુણ્યશાળી છે, તે ઈશ્વર પ્રભૂતિ કૃતાર્થ છે, તે ઈશ્વર આદિ કૃતપુણ્ય છે, તે ઈશ્વર આદિ વૈભવશાળી છે, જેની આ રાજગૃહનગરની બહાર ઘણી જ વાવડીઓ, પુષ્કરિણીઓ, દીધિંકાઓ, ગુંજાલિકાઓ, સરોવર અને અનેક સરોવરની પંક્તિઓ છે. જેમાં ઘણા લોકો નાન કરે છે, પાણી પીએ છે અને જેમાંથી પાણી ભરીને લઈ જાય છે. તેથી મારા માટે એ ઉચિત રહેશે કે, હું પણ કાલ રાત્રિનું પ્રભાતરૂપ થયા પછી – યાવત્ – સૂર્યોદય થાય અને સહસ્રરશ્મિ દિનકરનો જાજ્વલ્યમાન તેજ સહિત ઉદય થયા પછી શ્રેણિક રાજાની અનુમતિ લઈને રાજગૃહનગરની બહાર ઈશાન ખૂણામાં વૈભારગિરિ પર્વતની સમીપ વાસ્તુ (શાસ્ત્ર) પાઠકો દ્વારા પસંદ કરાયેલ ભૂમિભાગમાં નંદા પુષ્કરિણી ખોલવું – નંદ મણિયાર શ્રેષ્ઠીએ આવા પ્રકારનો વિચાર કર્યો. આવો વિચાર કરીને બીજે દિવસે રાત્રિનું પ્રભાતરૂપ થયા પછી – યાવત્ – સૂર્યોદય થયો તથા જાજ્વલ્યમાન તેજથી સહસ્રરશ્મિ દિનકરના પ્રકાશમાન થયા પછી પૌષધ પાર્યો. પૌષધ પારીને સ્નાન કર્યું, બલિકર્મ કર્યું અને ત્યારપછી મિત્રો, જ્ઞાતિબંધુઓ, પોતાના સ્વજન સંબંધી અને પરિજનોને સાથે લઈને મહાર્થક, મહામૂલ્યવાન મહાઈ ભેટ લીધી અને ભેંટ લઈને જ્યાં શ્રેણિક રાજા હતો, ત્યાં આવ્યો – યાવત્ – ભેંટ રાજાની સામે રાખી, ભેટ રાખીને આ પ્રમાણે કહ્યું – હે સ્વામી ! આપની આજ્ઞા અનુમતિ લઈને રાજગૃહનગરની બહાર ઇશાન દિશામાં વૈભાર પર્વતની સમીપે વાસ્તુપાઠકો દ્વારા પસંદ કરાયેલા ભૂમિ ભાગમાં નંદાપુષ્કરિણી ખોદાવવા ઇચ્છું છું. રાજાએ કહ્યું, જેમ સુખ ઉપજે તેમ કરો. ત્યારપછી તે નંદ મણિયાર શ્રેષ્ઠી શ્રેણિક રાજાની આજ્ઞા પ્રાપ્ત થવાથી હર્ષિત અને સંતુષ્ટ થતો એવો રાજગૃહનગરના મધ્ય ભાગથી નીકળ્યો અને નીકળીને વાસ્તુપાઠકો દ્વારા પસંદ કરાયેલ ભૂમિભાગમાં નંદાપુષ્કરિણી ખોદાવવામાં પ્રવૃત્ત થયો. તથા તેણે નંદાપુષ્કરિણી ખોદાવવાનો પ્રારંભ કર્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005012
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy