SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ આગમ કથાનુયોગ-૫ તે શ્રમણોપાસકોએ પોતાની શ્રમણોપાસકતા દ્વારા તે સ્થવિર ભગવંતોની આજ્ઞાનું આરાધન કર્યું – યાવત્ – ધર્મકથા સમાપ્ત થઈ. ૦ શ્રમણોપાસકો દ્વારા સ્થવિર ભગવંતને પ્રશ્નો : ત્યારપછી તે સ્થવિર ભગવંતે પાસેથી ધર્મોપદેશ સાંભળીને અને હૃદયંગમ કરીને તે શ્રમણોપાસકો ઘણાં જ હર્ષિત અને સંતુષ્ટ થયા – યાવત્ – તેઓનું હૃદય પ્રફૂલ્લિત થયું. તેઓએ સ્થવિર ભગવંતોને જમણી તરફથી ત્રણ વાર પ્રદક્ષિણા કરી – યાવત્ – તેમની પર્યાપાસના કરી અને પછી આ પ્રમાણે પૂછયું – હે ભગવન્! સંયમનું ફળ શું છે ? હે ભગવન્તપનું ફળ શું છે ? ત્યારે તે સ્થવિર ભગવંતોએ તે શ્રમણોપાસકોને આ પ્રમાણે કહ્યું, હું આર્યો સંયમનું ફળ આશ્રવરહિતતા છે. તપનું ફળ વ્યવદાન (કર્મમળથી આત્માને શુદ્ધ કરવો) છે. શ્રમણોપાસકે તે સ્થવિર ભગવંતોને આ પ્રમાણે પૂછયું, હે ભગવન્! જો સંયમનું ફળ અનાશ્રવતા છે અને તપનું ફળ વ્યવદાન છે તો દેવો દેવલોકમાં કયા કારણથી ઉત્પન્ન થાય છે ? ત્યારે – કાલિકપુત્ર નામના સ્થવિરે તે શ્રમણોપાસકોને એમ કહ્યું કે, હે આર્યો! પૂર્વના તપને કારણે દેવો દેવલોકમાં ઉત્પન્ન થાય છે. ' મેહિલ નામના સ્થવિરે તે શ્રમણોપાસકોને આ પ્રમાણે કહ્યું, હે આર્યો ! પૂર્વ સંયમને કારણે દેવો દેવલોકમાં ઉત્પન્ન થાય છે. પછી તેઓમાંના આનંદરક્ષિત નામક સ્થવિરે તે શ્રમણોપાસકોને કહ્યું, હે આર્યો! કર્મશષ રહેવાને કારણે દેવો દેવલોકમાં ઉત્પન્ન થાય છે. તેઓમાં કાશ્યપ નામના સ્થવિરે તે શ્રમણોપાસકોને કહ્યું, હે આર્યો ! સંગિતા અર્થાત્ આસક્તિને કારણે દેવો દેવલોકમાં ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે તે આર્યો ! પૂર્વ (રાગભાવયુક્ત) તપ વડે, પૂર્વ (સરાગ) સંયમથી, કર્મોના રહેવાથી, તથા સંગિતા (કવ્યાસક્તિ)થી દેવો દેવલોકમાં ઉત્પન્ન થાય છે. આ વાત સત્ય છે. તેથી કહી છે, અમે અમારો આત્મભાવ બતાવવાની દૃષ્ટિથી કહી નથી. ત્યારપછી તે શ્રમણોપાસક, સ્થવિર ભગવંતો દ્વારા કહેવાયેલ આ અને આવા ઉત્તરોને સાંભળીને હર્ષિત અને સંતુષ્ટ થયા અને સ્થવિર ભગવંતોને વંદના–નમસ્કાર કરીને અન્ય પ્રશ્નો પણ પૂછે છે, પ્રશ્ન પૂછીને પછી સ્થવિર ભગવંતો દ્વારા અપાયેલા ઉત્તરોને ગ્રહણ કરે છે. ત્યારપછી તેઓ ત્યાંથી ઊભા થયા. પછી ત્રણ વખત પ્રદક્ષિણા કરીને વંદનનમસ્કાર કર્યા. વંદન–નમસ્કાર કરીને જે દિશામાંથી આવ્યા હતા તે જ દિશામાં પાછા ચાલ્યા ગયા. આ તરફ તે સ્થવિર ભગવંતો પણ કોઈ એક દિવસે તુંગિકાનગરીના તે પુષ્પવતિક ચૈત્યથી નીકળ્યા અને બહારના જનપદોમાં વિચરવા લાગ્યા. - આગમ સંદર્ભ :ભગ ૧૩૦ થી ૧૩૪; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005012
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy