SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક કથા × - x ઉદાયન રાજાએ પોતાના ભાણેજ પરિભ્રમણ કરશે. કેશીકુમારનો રાજ્યાભિષેક કર્યો. - ત્યારપછી કોઈ દિવસે રાત્રિના પાછલા પ્રહરમાં કુટુંબ જાગરણ કરતા અભીચિકુમારના મનમાં આવા પ્રકારનો વિચાર – યાવત્ - ઉત્પન્ન થયો. હું ઉદાયન રાજાનો પુત્ર અને પ્રભાવતીદેવીનો આત્મજ છું. તો પણ ઉદાયન રાજાએ મને છોડીને પોતાના ભાણેજ કેશીકુમારને રાજ્યસિંહાસન પર સ્થાપિત કરીને શ્રમણ ભગવંત મહાવીર પાસે પ્રવ્રજ્યા ગ્રહણ કરી છે. = x - ૪ - x આવા પ્રકારના મહાન્ અપ્રતીતિરૂપ મનો—માનસિક દુઃખથી અભિભૂત થયેલા અભીચિકુમાર પોતાના અંતઃપુર, પરિવારસહિત પોતાના ભાંડ, માત્ર ઉપકરણને લઈને વીતિભય નગરથી નીકળી ગયો. અનુક્રમથી ગમન કરતા અને ગ્રામાનુગ્રામ ચાલતો એવો ચંપાનગરીમાં કૂણિક રાજાની પાસે પહોંચ્યો. કૂણિક રાજાને મળીને તેનો આશ્રય ગ્રહણ કરીને રહેવા લાગ્યો. ત્યાં પણ તે વિપુલ ભોગ સામગ્રીથી સંપન્ન થઈ ગયો. ૫૭ તે સમયે અભીચિકુમાર શ્રમણોપાસક થયો. તે જીવ–અજીવ આદિ તત્ત્વોનો જ્ઞાતા બનીને – યાવત્ – જીવનયાપન કરતો હતો. પણ તે ઉદાયનરાજા પ્રતિ વૈરના અનુબંધથી યુક્ત હતો. તે અભીચિકુમારે ઘણા વર્ષો સુધી શ્રાવક પર્યાયનું પાલન કર્યું અને તે સમયમાં અર્હમાસિક સંલેખના વડે ત્રીશ ભક્ત અનશનનું છેદન કરી, તે સ્થાનની આલોચના પ્રતિક્રમણ કર્યા વિના મરણના સમયે કાળધર્મને પ્રાપ્ત થયો. મૃત્યુ પામીને આ રત્નપ્રભા પૃથ્વીના નરકાવાસોના નીકટવર્તી ચોસઠ લાખ આતાપ નામના અસુરકુમારાવાસોમાં કોઈ આતાપ નામના અસુરકુમાર—આવાસમાં આતાપરૂપ અસુરકુમાર દેવના રૂપમાં ઉત્પન્ન થયો. ત્યાં અભીચિદેવની સ્થિતિ એક પલ્યોપમની હતી. O હે ભગવન્ ! તે અભીચિ દેવ તે દેવલોકથી આયુક્ષય, ભવક્ષય અને સ્થિતિક્ષય થયા પછી ઉર્તન કરીને ક્યાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે ? હે ગૌતમ ! તે ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે – યાવત્ – સર્વ દુઃખોનો અંત કરશે. x x = આગમ સંદર્ભ = ઠા. ૭૩૨ની વૃ; X તુંગિયા નગરીના શ્રાવકોની કથા ઃ તે કાળે, તે સમયે તુંગિકા નામની નગરી હતી (નગરીનું વર્ણન સમજી લેવું) તે તુંગિકા નગરીની બહાર ઇશાન ખૂણામાં પુષ્પવતી નામક ચૈત્ય હતું. (ચૈત્યનું વર્ણન કરવું) ૦ તુંગિયા નગરીના શ્રમણોપાસક :– Jain Education International * ભગ. ૧૮૭, ૫૮૮; તે તુંગિકા નગરીમાં ઘણાં જ શ્રમણોપાસકો નિવાસ કરતા હતા. જેઓ ધનાઢ્ય અને દૈદીપ્યમાન હતા. તેઓને રહેવાના ભવન વિશાળ અને ઘણાં ઊંચા હતા. તેમની પાસે ઘણી મોટી સંખ્યામાં શયન, આસન, યાન, વાહન આદિ હતા. તેમની પાસે ધન, સુવર્ણ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005012
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy