SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ પ૬ આગમ કથાનુયોગ–પ યોજનના અંતરે ફોડ્યા. હાથી તે દરેકને સુંઘવામાં સમય વીતાવતો હતો, એટલામાં હાથણી દોડી ગઈ. વાસવદત્તા અને ઉદયન કૌશાંબી પહોંચી ગયા. વાસવદત્તા ઉદયનની અગ્રમહિષી બની. ૦ ભ.મહાવીર પાસે ઘર્મ શ્રવણ અર્થે જવું : તે કાળે, તે સમયે કૌશાંબી નગરી હતી. ચંદ્રાવતરણ ઉદ્યાન હતું. તે કૌશાંબીનગરીમાં સહસ્ત્રાનીક રાજાનો પૌત્ર, શતાનીક રાજાનો પુત્ર, ચેટક રાજાનો દોહિત્ર, મૃગાવતીદેવીનો આત્મજ, જયંતી શ્રમણોપાસિકાનો ભત્રીજો એવો ઉદયન રાજા હતો. તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર કૌશાંબી પધાર્યા – યાવતુ – પર્ષદા. પર્યુપાસના કરવા લાગી. ત્યારે ઉદયન રાજા આ સમાચાર સાંભળીને ઘણો હર્ષિત અને સંતુષ્ટ થયો. તેણે કૌટુંબિક પુરુષોને બોલાવ્યા અને તેઓને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો! કૌશાંબી નગરીને અંદરથી અને બહારથી જલદીથી સાફ કરાવો ઇત્યાદિ બધું વર્ણન કોણિક રાજાની સમાન કરવું – યાવત્ – પર્યાપાસના કરવા લાગ્યો. ત્યારપછી ભગવંતે ઉદયન રાજા ઇત્યાદિ અને મોટી પર્ષદાને ધર્મ કહ્યો – યાવતું પર્ષદા પાછી ફરી, ઉદયન રાજા પણ પાછો ફર્યો. ૦ આગમ સંદર્ભ :ભગ. ૫૩૪, ૫૩૫; વિવા. ૨૭, ૨૮; આવ.નિ. ૧૦૪૮, ૧૨૮૪ + વૃક આવયૂ.૧–પૃ. ૬૧૫, ૨–પૃ. ૧૯૨; ઉત્ત. નિ. ૧૪૮ + ; ૦ અભીચિ કથા : તે કાળે, તે સમયે સિંધુ સૌવીર જનપદોમાં વીતિભય નગર હતું. તેની બહાર ઇશાન ખૂણામાં મૃગવન નામે ઉદ્યાન હતું. તે નગરમાં ઉદાયન નામે રાજા હતો. તે મહાનું હિમવાનું પર્વતની સમાન હતો. તે ઉદાયન રાજાને પ્રભાવતી નામે પટ્ટરાણી હતી. તે સુકુમાલ હતી – યાવતુ – વિચરણ કરતી હતી. તે ઉદાયન રાજાનો પુત્ર અને પ્રભાવતીદેવીનો આત્મજ અભીચિકુમાર હતો. તે સુકુમાલ હતો. તેનું શેષ વર્ણન શિવભદ્ર સમાન જાણવું – ચાવતું – તે રાજ્યનું નિરીક્ષણ કરતો એવો રહેતો હતો. (આ સમગ્ર કથા શ્રમણ વિભાગમાં ઉદાયન રાજર્ષિની કથામાં આવી ગયેલ છે. કથા જુઓ “ઉદાયન'...રાજર્ષિ) ત્યારે ઉદાયન રાજાને આ પ્રકારનો અધ્યવસાય – યાવત્ – ઉત્પન્ન થયો કે, વાસ્તવમાં અભીચિકુમાર મારો એક જ પુત્ર છે. તે મને અત્યંત ઇષ્ટ અને પ્રિય છે – થાવત્ – તેનું નામ શ્રવણ કરવું પણ દુર્લભ છે. તો પછી તેનું દર્શન દુર્લભ હોય, તેમાં તો કહેવાનું જ શું હોય ? તેથી જો હું અભીચિકુમારને રાજ્ય સોંપીને શ્રમણ ભગવંત મહાવીરની પાસે મુંડિત થઈને – યાવત્ – પ્રવ્રજિત થઈશ તો અભીચિકુમાર રાજ્ય અને રાષ્ટ્રમાં – ચાવતું – જનપદમાં અને મનુષ્યસંબંધી કામભોગોમાં મૂચ્છિત, ગૃદ્ધ, ગ્રથિત અને અત્યધિક તલ્લીન થઈને અનાદિ, અનંત, દીર્ધ માર્ગવાળા ચતુર્ગતિરૂ૫ સંસારમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005012
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy