SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક કથા ૫૨ જાણ્યા કે સાંભળ્યા વિના કોઈ અદૃષ્ટ, અમૃત, અસંભવ, અવિજ્ઞાત અર્થ, હેતુ, પ્રશ્નોના ઉત્તર ઘણાં જ મનુષ્યોની વચ્ચે કહે છે, પ્રરૂપે છે – યાવત્ – દર્શાવે છે. તે અરિહંતોની આશાતના કરે છે, અરિહંતપ્રજ્ઞત ધર્મની, કેવલીની, કેવલીભાષિત ધર્મની આશાતના કરે છે. હે મક્ક ! તેં અન્યતીર્થિકોને યથાર્થ ઉત્તર આપ્યા છે. હે મક્ક તેં – યાવત્ તે અન્યતીર્થિકોને સારા ઉત્તરો આપ્યા છે. ત્યારે ભગવંત મહાવીરના આ કથનને સાંભળીને મહૂક શ્રમણોપાસક હર્ષિત–સંતુષ્ટ થઈને શ્રમણ ભગવંત મહાવીરને વંદન–નમસ્કાર કરે છે. વંદન-નમસ્કાર કરીને બહુ દૂર નહીં. તેમ બહુ નજીક નહીં તે રીતે – વાવ – પર્યાપાસના કરવા લાગ્યો. ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીરે તે મદ્રક શ્રમણોપાસક અને તે પર્ષદાને ધર્મકથા કહી – યાવત્ – પર્ષદા પાછી ફરી. ત્યારે મક્ક શ્રમણોપાસકે શ્રમણ ભગવંત મહાવીર પાસેથી – યાવતું – ધર્મકથા ધારણ કરીને હર્ષિત અને સંતુષ્ટ થઈ પ્રશ્નો પૂછયા, પૂછીને તેના અર્થો જાણ્યા, જાણીને પોતાના આસનેથી ઉયા. ઉઠીને શ્રમણ ભગવંત મહાવીરને વંદન–નમસ્કાર કર્યા. વંદન–નમસ્કાર કરીને – યાવત્ – પાછો ફર્યો. ૦ મદુકની ગતિ : હે ભગવન્! એ પ્રમાણે કહીને ભગવદ્ ગૌતમે શ્રમણ ભગવંત મહાવીરને વંદનનમસ્કાર કર્યા, વંદન–નમસ્કાર કરીને આ પ્રમાણે પૂછ્યું, હે ભગવન્! શું મક્ક શ્રમણોપાસક આપી દેવાનુપ્રિયની પાસે – યાવત્ – પ્રવ્રજિત થવામાં સમર્થ છે? ભગવંતે કહ્યું, આ અર્થ સમર્થ નથી. ઇત્યાદિ શંખ શ્રમણોપાસકની સમાન અરુણાભ વિમાને દેવરૂપે ઉત્પન્ન થશે – યાવત્ – સર્વે દુઃખોનો અંત કરશે. ૦ આગમ સંદર્ભ :ભગ. ૭૪૪; – – ૪ – • ઉદયન શ્રાવકની કથા : તે કાળે, તે સમયે કૌશાંબી નામની નગરી હતી, જે ભવન આદિની અધિકતાવાળી, સ્વચક્ર અને પરચક્રના ભયથી મુક્ત અને સમૃદ્ધિથી સમૃદ્ધ હતી. તે નગરીની બહાર ચંદ્રાવતરણ નામે ઉદ્યાન હતું. તેમાં શ્વેતભદ્રયક્ષનું આયતન હતું. તે કૌશાંબી નગરીમાં શતાનીક રાજા હતો. જે હિમવંત પર્વત આદિની સમાન મહાનું અને પ્રતાપી હતો. તેને મૃગાદેવી નામે રાણી હતી. તે શતાનીક રાજા અને મૃગાદેવીનો આત્મજ એવો ઉદયન નામે કુમાર હતો. જે સર્વેન્દ્રિય સંપન્ન હતો, યુવરાજ પદથી અલંકૃત્ હતો. ૦ ઉદયનનું રાજા થવું: (ઉદયન રાજા કઈ રીતે થર્યા, તે વૃત્તાંત મૃગાવતી શ્રમણીની કથામાં આવી ગયેલ છે. કથા જુઓ “મૃગાવતી' – શ્રમણી વિભાગમાં. અહીં તે કથાના સારરૂપ કેટલીક વિગતો માત્ર નોંધેલી જ્યારે શતાનીક રાજાએ ચિત્રશાળા તૈયાર કરાવવી શરૂ કરી. ત્યારે યક્ષનું વરદાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005012
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy