SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ આગમ કથાનુયોગ-૫ આ પ્રમાણે કહીને સન્નાહપટ્ટ-કવચને ઉતાર્યું, ઉતારીને શલ્યોનું ઉમૂલન કર્યું અને આલોચના પ્રતિક્રમણપૂર્વક સમાધિને પ્રાપ્ત કરીને અનુક્રમે કાળધર્મને પ્રાપ્ત થયો. ૦ બાલમિત્ર શ્રાવક કથા : (બાલમિત્ર એ વાસ્તવિકમાં કોઈનું નામ નથી, પણ તે નાગપૌત્ર વરુણનો બાળપણાનો મિત્ર હોવાથી બાલમિત્ર” નામે સંબોધેલ છે.) ત્યારપછી નાગપૌત્ર વરુણના એક બાલમિત્ર પણ રથમૂશલ સંગ્રામ કરતો હતો. તે પણ એક પુરુષના પ્રબળ પ્રહારથી ઘાયલ થયો. તેથી અશક્ત, અબળ – યાવત્ – પુરુષાર્થ પરાક્રમરહિત બનેલા તેણે વિચાર્યું કે હવે મારું નારીર ટકી શકશે નહીં. જ્યારે તેણે નાગપૌત્ર વરુણને રથમૂશલ સંગ્રામ સ્થળથી બહાર નીકળતો, જોયો, તો તેણે પણ પોતાના રથને પાછો ફેરવ્યો. ફેરવીને રથમૂશલ સંગ્રામમાંથી તે પણ બહાર નીકળ્યો, નીકળીને ઘોડાને રોક્યા, રોકીને વરુણની માફક – યાવતું – પાછા મોકલી દીધા અને પટ્ટ–સંસ્મારક પર પૂર્વાભિમુખ થઈને પર્યકાસને બેસીને, બંને હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરીને આ પ્રમાણે કહ્યું હે ભગવન ! મારા પ્રિય બાલમિત્ર નાગપૌત્ર વરુણના જે શીલવત, ગુણવ્રત, વિરમણવ્રત આદિ પ્રત્યાખ્યાન, પૌષધોપવાસ આદિ હોય, તે બધું મારે પણ થાઓ. એ પ્રમાણે કહીને સન્નાહપટ્ટ-કવચને ઉતાર્યું. શલ્યોનો ત્યાગ કરી અનુક્રમે કાળધર્મને પ્રાપ્ત થયો. ૦ વરુણ પર દેવકૃત્ વૃષ્ટિ અને તેની ભાવિગતિ : ત્યારપછી નાગપૌત્ર વરુણને કાળધર્મ પામેલો જાણીને આસપાસમાં રહેલા વાણવ્યંતર દેવોએ દિવ્ય સુરભિ ગંધોદકની વૃષ્ટિ કરી, પંચરંગી પુષ્પોની વૃષ્ટિ કરી અને દિવ્ય ગીત ગંધર્વ નિનાદ પણ કર્યો. ત્યારે તે નાગપૌત્ર વરણની તે દિવ્ય દેવદ્ધિ, દિવ્ય દેવઘુતિ અને દિવ્ય દેવપ્રભાવને સાંભળીને અને જોઈને ઘણાં લોકો પરસ્પર એકબીજાને આ પ્રમાણે કહેવા લાગ્યા – યાવત્ – પ્રરૂપણા કરવા લાગ્યા કે હે દેવાનુપ્રિય ! અનેક પ્રકારના નાના-મોટા સંગ્રામોમાંથી કોઈ પણ એકમાં સામ-સામે રહીને યુદ્ધ કરતા ઘાયલ થયા પછી મરણ કાળે મરણ પામીને કોઈ પણ દેવલોકમાં તે દેવરૂપે ઉત્પન્ન થાય છે. હે ભગવન્! મરણકાળે મૃત્યુ પામીને નાગપૌત્ર વરુણ ક્યાં ગયો ? ક્યાં ઉત્પન્ન થયો ? હે ગૌતમ ! તે સૌધર્મકલ્પના અરુણાભ વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયો છે. ત્યાં કેટલાંક દેવોની આયુ સ્થિતિ ચાર પલ્યોપમની કહી છે. ત્યાં વરુણદેવની પણ ચાર પલ્યોપમની સ્થિતિ કહી છે. હે ભગવન્! તે વરુણદેવ તે દેવલોકથી આયુક્ષય, ભવક્ષય અને સ્થિતિ ક્ષય થયા પછી ચ્યવીને અનંતર ક્યાં જશે ? ક્યા ઉત્પન્ન થશે ? હે ગૌતમ! મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈને સિદ્ધ, બુદ્ધ, મુક્ત, પરિનિવૃત્ત થઈને સર્વે દુઃખોનો અંત કરશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005012
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy