________________
શ્રાવક કથા
૪૫
ત્યારે નાગપૌત્ર વરુણે તે પુરુષને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! જ્યાં સુધી મારી પર પહેલા પ્રહાર ન કરવામાં આવે ત્યાં સુધી મારે પ્રહાર કરવો કલ્પતો નથી. તેથી પહેલા તું જ પ્રહાર કર.
ત્યારે નાગ પૌત્ર વરુણની આ વાત સાંભળીને ક્રોધાભિભૂત, રોષાયમાન, કૂપિત અને ચંડિકાવત્ રૌદ્રરૂપ ધારણ કરી તે પુરુષે દાંતોને કચકચાવતા હાથમાં ધનુષ્ય લીધું, ધનુષ્ય લઈને તેના પર બાણ ચઢાવ્યું અને કાન સુધી ખેંચીને નાગપૌત્ર વરુણ પર સખત પ્રહાર કર્યો.
ત્યારપછી તે પુરુષના પ્રહારથી ઘવાઈને નાગપૌત્ર વરુણે ક્રોધાભિભૂત, રોષાયમાન, કુપિત, ચંડિકાવત્ વિકરાળ રૂપ ધારણ કરીને, દાંતોને કચકચાવતા ધનુષને ઉપાડ્યું, ઉપાડીને તેના પર બાણ ચઢાવ્યું અને કાન સુધી ધનુષને ખેંચીને એક જ ચોંટથી પત્થરની સમાન તે પુરુષને છિન્નભિન્ન કરીને જીવનથી રહિત કરી દીધો – (હણી નાંખ્યો).
ત્યારપછી તે પુરુષના પ્રબળ પ્રહારથી આહત થઈને અશક્ત, નિર્બળ, વીર્યરહિત, પુરુષાર્થ અને પરાક્રમરહિત થયેલ તે નાગપૌત્ર વરુણે હવે જીવતું રહેવું અસંભવ છે, એમ સમજીને ઘોડાનો રોકાવ્યા, રોકાવીને રથને પાછો વાળ્યો, પાછો વાળીને રથમૂશલ સંગ્રામથી બહાર નીકળ્યો. નીકળીને એકાંત સ્થાનમાં આવ્યો. આવીને ઘોડાને રોક્યા, રોકીને રથને ઊભો રાખ્યો, ઊભો રાખીને રથમાંથી નીચે ઉતર્યો. ઉતરીને ઘોડાને છોડ્યા, છોડીને ઘોડાને પાછા મોકલ્યા. પાછા મોકલીને દર્ભનો સથારો બિછાવ્યો. બિછાવીને દર્ભના સંથારા પર બેઠો અને પૂર્વાભિમુખ પર્યકાસને બેસીને બંને હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરીને આ પ્રમાણે કહ્યું
અરિહંત ભગવંતો – વાવ – સિદ્ધિગતિ નામના સ્થાનને પ્રાપ્ત કરનારા ભગવંતોને મારા નમસ્કાર થાઓ. જે ધર્મના આદિકર છે – યાવતુ – સિદ્ધિગતિ નામના સ્થાનને પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળા છે. જે મારા ધર્માચાર્ય અને ધર્મઉપદેશક છે, તે શ્રમણ ભગવંત મહાવીરને મારા નમસ્કાર થાઓ. ત્યાં બિરાજમાન ભગવંતને અહીં રહેલો હું વંદના કરું છું. ત્યાં રહેલા ભગવંત અહીં રહેલા એવા મને જુએ. આ પ્રમાણે કહીને વંદન–નમસ્કાર કર્યા. વંદન–નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું –
પહેલા પણ મેં શ્રમણ ભગવંત મહાવીર પાસે જાવજીવને માટે સ્કૂલ પ્રાણાતિપાતના પ્રત્યાખ્યાન કર્યા હતા. એ જ પ્રમાણે – યાવત્ - જીવનપર્યંતને માટે સ્કૂલ પરિગ્રહના પ્રત્યાખ્યાન કર્યા હતા. આ સમયે પણ હું શ્રમણ ભગવંત મહાવીરની પાસે જાવજીવને માટે પ્રાણાતિપાતનું પ્રત્યાખ્યાન કરું છું – થાવત્ – મિથ્યાદર્શન શલ્યનો પણ જાવજીવન માટે ત્યાગ કરું છું.
– બધાં જ અશન, પાન, ખાદિમ, સ્વાદિમરૂપ ચાર પ્રકારના આહારનું પણ માવજીવનને માટે પ્રત્યાખ્યાન કરું છું. જોકે મને આ શરીર ઇષ્ટ, કાંત અને પ્રિય છે – થાવત્ – એ સાવધાની રાખી છે કે વાતજ, પિતજ, કફજ અને સન્નિપાતજ વિવિધ પ્રકારના રોઃ પતંક તથા પરિષડુ, ઉપસર્ગ તેને સ્પર્શ ન કરો, તો પણ આ દેહને પણ છેલ્લા ; શ્વાસોચ્છવાસે ત્યાગ કરવાને ઇચ્છું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org