SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ આગમ કથાનુયોગ-૫ પ્રતિલાભિત કરતા નિરંતર છઠ ભક્ત તપ દ્વારા પોતાના આત્માને ભાવિત કરતો વિચરતો હતો. ૦ રથમૂસલ સંગ્રામમાં વરુણ : ત્યારપછી કોઈ એક સમયે જ્યારે તે નાગપૌત્ર વરુણને રાજાભિયોગથી (રાજાની આજ્ઞાથી), ગણાભિયોગથી, બલાભિયોગથી રથમૂશલ સંગ્રામમાં જવાની આજ્ઞા થઈ, ત્યારે તેણે ષષ્ઠભક્તને બદલે અઠમ ભક્ત કર્યો અને અઠમ ભક્ત કરીને કૌટુંબિક પુરુષોને બોલાવ્યા, બોલાવીને તેમને આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપ્રિયો ! જલદીથી ચાતુર્વેટિક અક્ષરથ જોડીને લાવો. ઘોડા, હાથી, રથ અને શ્રેષ્ઠ યોદ્ધાઓથી યુક્ત ચતુરંગિણી સેનાને સુસજ્જિત કરો. સુસજ્જિત કરીને મારી આજ્ઞાનુસાર કાર્ય થયાની મને સૂચના આપો. ત્યારપછી તે કૌટુંબિક પુરુષો – યાવત્ – આ આજ્ઞા સ્વીકારીને જલ્દીથી છત્રસહિત, ધ્વજાસહિત – યાવત્ – ચાર ઘંટાવાળા અશ્વરથને સુસજ્જિત કરીને લાવ્યા. લાવીને ઘોડા, હાથી, રથ અને પ્રવર યોદ્ધાઓથી યુક્ત ચતુરંગિણી સેનાને સત્રઢ તૈયાર કરી, તૈયાર કરીને નાગપૌત્ર વરુણની પાસે આવે છે. આવીને – યાવત્ – આજ્ઞાનુસાર કાર્ય થવાની સૂચના આપે છે. ત્યારપછી તે નાગપૌત્ર વરુણ સ્નાનગૃહમાં આવ્યો, આવીને સ્નાનગૃહમાં પ્રવેશ કરી સ્નાન કર્યું, બલિકર્મ કર્યું, કૌતુક અને મંગલરૂપ પ્રાયશ્ચિત્ત કર્યા, સર્વ અલંકારોથી વિભૂષિત થયો, કવચ પહેરી – બાંધીને સન્નદ્ધ થઈને કોરંટ પુષ્પની માળાઓથી યુક્ત છત્રને મસ્તક પર ધારણ કર્યું. અનેક ગણનાયક, દંડનાયક, રાજેશ્વર, તલવરો, માડંબિકો, કૌટુંબિકો, ઇભ્યો, શ્રેષ્ઠીઓ, સેનાપતિઓ, સાર્થવાહો, દૂતો અને સંધિપાલોથી પરિવેષ્ટિત થઈને સ્નાનગૃહની બહાર નીકળ્યો. – નીકળીને જ્યાં બાહ્ય ઉપસ્થાન શાળા હતી, જ્યાં ચાર ઘંટાવાળો અશ્વરથ હતો, ત્યાં આવ્યો, આવીને ચાર ઘંટાવાળા અશ્વરથ પર આરૂઢ થયો, આરૂઢ થઈને ઘોડા, હાથી, રથ અને પ્રવર યોદ્ધાઓથી યુક્ત ચતુરંગિણી સેનાથી સંપરિવૃત્ત અને મહાન સુભટોના સમૂહથી વેષ્ટિત થઈને રથમૂસલ સંગ્રામ ભૂમિમાં આવ્યો, તે સંગ્રામ ભૂમિમાં આવીને રથમૂસલ સંગ્રામ કરવા લાગ્યો. ૦ વરુણનો અભિગ્રહ અને વરુણે કરેલ સંલેખના : ત્યારે રથ–મૂશલ સંગ્રામમાં પ્રવૃત્ત થયા પછી તે નાગપૌત્ર વરુણે આ પ્રકારનો આવો અભિગ્રહ ધારણ કર્યો કે, રથમૂશલ સંગ્રામમાં સંગ્રામ કરતા-કરતા જે પહેલા મારી પર પ્રહાર કરશે, તેના પર પ્રહાર કરવો જ મને કલ્પ, પણ બીજા કોઈ પર પ્રહાર કરવો મને ન કલ્પ. આવો અભિગ્રહ ધારણ કરીને રથમૂશલ સંગ્રામ કરવા લાગ્યો. ત્યારપછી સમાન શરીર, (શક્તિ) ત્વચા, વય અને સમાન અસ્ત્ર-શસ્ત્રાદિ ઉપકરણોથી સુસજ્જિત એક પુરુષ રથમાં બેસીને જલદીથી રથમૂશલ સંગ્રામ કરનાર તે નાગપૌત્ર વરુણની સામે આવ્યો. પછી તે પુરુષે નાગપુત્ર વરુણને આ પ્રમાણે કહ્યું, ઓ નાગપુત્ર વરુણ ! પ્રહાર કર, પ્રહાર કર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005012
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy