SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક કથા ૪૧ નીકળ્યો. નીકળીને પગે ચાલીને શ્રાવસ્તી નગરીના મધ્ય ભાગથી થઈને કોષ્ઠક ચૈત્યમાં બિરાજમાન શ્રમણ ભગવંત મહાવીરની પાસે આવ્યો. આવીને ત્રણ વખત આદક્ષિણપ્રદક્ષિણા કરી, વંદન–નમસ્કાર કર્યા. વંદન–નમસ્કાર કરીને ત્રિવિધ પર્યાપાસના દ્વારા પર્યુપાસના કરવા લાગ્યો. ત્યારપછી તે શ્રમણોપાસકો બીજે દિવસે રાત્રિનું પ્રભાત રૂપ થયું – યાવત્ – સૂર્યોદય થયા પછી જાજ્વલ્યમાન તેજસહિત સહસ્રરહિમ દિનકરના પ્રકાશિત થયા પછી હાથા, બલિકર્મ કર્યું – યાવત્ – મૂલ્યવાનું પણ ઓછા આભુષણોથી શરીરને અલંકૃત કરીને પોતપોતાના ઘરોથી નીકળ્યા. નીકળીને એક સ્થાને એકત્રિત થયા, થઈને શ્રાવસ્તી નગરીની વચ્ચોવચ્ચ થઈને કોષ્ઠક ચૈત્યમાં શ્રમણ ભગવંત મહાવીર જ્યાં બિરાજતા હતા. તે સ્થાને આવ્યા. આવીને શ્રમણ ભગવંત મહાવીરની – યાવત્ – ત્રિવિધ પર્યપાસના વડે પર્યપાસના કરવા લાગ્યા. ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીરે તે શ્રમણોપાસકોને અને મોટી પાર્ષદાને ધર્મ કહ્યો – યાવત્ – તેઓ આજ્ઞાના આરાધક થયા. ૦ શ્રમણોપાસક દ્વારા કરાતા શંખનો તિરસ્કારનું ભગવંત દ્વારા નિવારણ : ત્યારપછી તે શ્રમણોપાસકો શ્રમણ ભગવંત મહાવીર પાસે ધર્મશ્રવણ કરીને અને અવધારીને હર્ષિત–સંતુષ્ટ થઈને આસનેથી ઊભા થયા, ઊભા થઈને તેઓએ શ્રમણ ભગવંત મહાવીરને વંદન–નમસ્કાર કર્યા, વંદન–નમસ્કાર કરીને શંખ શ્રમણોપાસકની પાસે આવ્યા. આવીને શંખ શ્રાવકને આમ કહ્યું હે દેવાનુપ્રિય! તમે કાલે પોતે જ અમને આ પ્રમાણે કહેલું હતું કે, હે દેવાનુપ્રિયો! તમે વિપુલ અશન – યાવત્ – સ્વાદિમ ભોજન બનાવો – યાવત્ – ખાતા એવા પાલિક પૌષધની અનુપાલના કરતા વિચરણ કરીશું. પણ ત્યારપછી તમે પૌષધશાળામાં – યાવત્, – પાક્ષિક પૌષધની પ્રતિ જાગરણા કરતા વિચર્યા. તો હે દેવાનુપ્રિય ! તમે અમારી ઘણી જ હાંસી ઉડાવી છે. ત્યારે તે આર્યો ! આ પ્રમાણે સંબોધિત કરીને શ્રમણ ભગવંત મહાવીરે તે શ્રમણોપાસકોને કહ્યું, હે આર્યો ! તમે શંખ શ્રમણોપાસકની હીલના, નિંદા, હિંસા, ગહ અને અવમાનના ન કરો. શંખ શ્રમણોપાસક ધર્મના વિષયમાં પ્રીતિવાળો અને દઢતાવાળો છે, તેણે સુદક્ષ જાગરણા કરી છે. ૦ જાગરિકાનું સ્પષ્ટીકરણ : હે ભગવન! આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ શ્રમણ ભગવંત મહાવરને વંદનનમસ્કાર કર્યા. વંદન–નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું, હે ભગવન્! જાગરિકા કેટલા પ્રકારે કહી છે ? હે ગૌતમ જાગરિકા ત્રણ પ્રકારની કહી છે, તે આ પ્રમાણે – (૧) બુદ્ધ જાગરિકા, (૨) અબુદ્ધ જાગરિકા, (૩) સુદ જાગરિકા. ગૌતમસ્વામીએ ફરી પૂછયું કે, હે ભગવન્! કયા કારણે આપ આ પ્રમાણે કહો છો કે, જાગરિકા ત્રણ પ્રકારની કહી છે? જેમકે – (૧) બુદ્ધ જાગરિકા, (૨) અબુદ્ધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005012
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy