________________
શ્રાવક કથા
હે આર્યો ! આ પ્રમાણે સંબોધિત કરી શ્રમણ ભગવંત મહાવીરે તે શ્રમણોપાસકોને આ પ્રમાણે કહ્યું, હે આર્યો ! ઋષિભદ્રપુત્ર શ્રમણોપાસકે જે તમને આ પ્રમાણે કહ્યું, યાવત્ – પ્રરૂપણા કરી છે કે, દેવલોકોમાં દેવોની જઘન્યસ્થિતિ ૧૦,૦૦૦ વર્ષની છે અને તેથી આગળ એક સમયમાં અધિક – યાવત્ – ત્યારપછી દેવ અને દેવલોક વ્યચ્છિન્ન થઈ જાય છે. આ કથન સત્ય છે યથાર્થ છે.
૩૭
-
હે આર્યો ! હું પણ આ પ્રમાણે કહું છું – યાવત્ – પ્રરૂપણા કરું છું કે, હે આર્યો ! દેવલોકોમાં દેવોની જઘન્યસ્થિતિ ૧૦,૦૦૦ વર્ષની છે અને ત્યારપછી એક સમય અધિક, બે સમય અધિક, ત્રણ સમય અધિક યાવત્ – સંખ્યાત સમય અધિક, અસંખ્યાત સમય અધિક વધતા—વધતા ઉત્કૃષ્ટથી તેત્રીશ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ હોય છે. ત્યારપછી દેવ અને દેવલોક વ્યચ્છિન્ન થઈ જાય છે આ કથન સત્ય છે.
ત્યારપછી તે શ્રમણોપાસકો શ્રમણ ભગવંત મહાવીરની આ વાત સાંભળીને અને અવધારિત કરી શ્રમણ ભગવંત મહાવીરને વંદનનમસ્કાર કરે છે, વંદન—નમસ્કાર કરીને ઋષિભદ્રપુત્ર શ્રમણોપાસકની પાસે આવ્યા, આવીને ઋષિભદ્રપુત્રને વંદનનમસ્કાર કર્યા, વંદનનમસ્કાર કરીને આ અર્થને માટે સમ્યક્ પ્રકારે વારંવાર ક્ષમા માંગે છે.
ત્યારપછી તે શ્રમણોપાસકોએ પ્રશ્નો પૂછયા, પૂછીને અર્થ ગ્રહણ કર્યો. ગ્રહણ કરીને શ્રમણ ભગવંત મહાવીરને વંદનનમસ્કાર કર્યા. વંદનનમસ્કાર કરીને જે દિશાથી આવ્યા, તે તરફ પાછા ચાલ્યા ગયા.
-
-
૦ ઋષિભદ્રપુત્ર વિષયક ગૌતમસ્વામીના પ્રશ્ન :
હે ભગવન્ ! આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ શ્રમણ ભગવંત મહાવીરને વંદન– નમસ્કાર કર્યા, વંદન—નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું, હે ભગવન્ ! ઋષિભદ્રપુત્ર શ્રમણોપાસક શું આપ દેવાનુપ્રિયની પાસે મુંડિત થઈને અને ગૃહત્યાગ કરીને અણગાર પ્રવ્રજ્યા ધારણ કરવા સમર્થ છે ?
Jain Education International
ભગવંતે કહ્યું, હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. પણ તે ઋષિભદ્રપુત્ર શ્રમણોપાસક ઘણાં જ શીલવ્રત, ગુણવ્રત, વિરમણવ્રત, પૌષધોપવાસો વડે અને યથાયોગ્ય વિધિથી સ્વીકારેલ તપોકર્મો દ્વારા આત્માને ભાવિત કરતા ઘણાં વર્ષો સુધી શ્રમણોપાસક પર્યાયનું પાલન કરીને, માસિક સંલેખના દ્વારા આત્માને શુદ્ધ કરીને અનશન દ્વારા સાઈઠ ભક્તોનો ત્યાગ કરીને, આલોચના પ્રતિક્રમણ કરીને, સમાધિ પામીને, મરણ કાળે કાળ કરીને સૌધર્મકલ્પના અરુણાભ વિમાનમાં દેવરૂપમાં ઉત્પન્ન થશે. ત્યાં કેટલાંક દેવોની સ્થિતિ ચાર પલ્યોપમની હોય છે ત્યાં ઋષિભદ્રપુત્ર દેવની પણ સ્થિતિ ચાર પલ્યોપમની થશે. ગૌતમસ્વામીએ પુનઃ પ્રશ્ન પૂછ્યો, હે ભગવન્ ! આયુક્ષય, ભવક્ષય અને સ્થિતિક્ષય થયા પછી અનંતર તે ઋષિભદ્રપુત્ર દેવ તે દેવલોકથી ચ્યવીને ક્યાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે ?
હે ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈને તે સિદ્ધ પદ પ્રાપ્ત કરશે – યાવત્ - સર્વ દુઃખોનો અંત કરશે.
હે ભગવન્ ! તે એ પ્રમાણે જ છે હે ભગવન્ ! તે એ પ્રમાણે જ છે. એ પ્રમાણે
For Private & Personal Use Only
www.jainelibrary.org