SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક કથા ૩૫ કોઈ વખતે આ લેપ ગાથાપતિના વનખંડમાં (ત્યાંની વસતિ–સ્થાનમાં) ગૌતમ ગણધર પધાર્યા. – ૪ – ૮ – ૮ – ભ.પાર્શના શાસનના ઉદકપેઢાલપુત્ર પણ ત્યાં પધાર્યા. – ૪ – ૪ – ૪ – તેઓને શ્રમણોપાસક દ્વારા કરાતા પ્રત્યાખ્યાન સંબંધે, પ્રત્યાખ્યાનના સુપ્રત્યાખ્યાનપણા વિશે, તેના ભંગ વિશે, ત્રસ અને સ્થાવર પ્રાણી વિશે, પ્રાણાતિપાતના દેશ વિરમણ સંબંધે, ધર્મોપદેશ માટેની પાત્રતા વિષયે, અણુવ્રત. સ્વીકાર સંબંધે ઇત્યાદિ અનેક સંવાદ થયેલા. (જેનો ઉલ્લેખ ગૌતમ અને ઉદક પેઢાલપુત્રની કથામાં કરાયેલ છે.) ૦ આગમ સંદર્ભ :સૂય. ૭૯૪, ૭૯૫ + : સૂય યૂ. ૪૫૦, ૪૫૧; ૦ ઋષિભદ્રપુત્ર શ્રાવકની કથા : તે કાળે, તે સમયે આલભિકા નામની નગરી હતી. શંખવન ચૈત્ય હતું. તે આલભિકા નગરીમાં ઋષિભદ્રપુત્ર આદિ ઘા શ્રમણોપાસક રહેતા હતા. જે ધનાઢ્ય – યાવત્ – કોઈથી પરાભવને પ્રાપ્ત ન કરવા તથા જીવ–અજીવ તત્ત્વોના જ્ઞાતા હતા – યાવત્ – યથાવિધિ ગ્રહણ કરેલ પોકર્મથી પોતાના આત્માને ભાવિત કરતા વિચરતા હતા. ૦ દેવસ્થિતિ વિષયક ચર્ચા : ત્યારપછી કોઈ એક દિવસ એક સ્થાને એકત્રિત થયેલા અને સાથે મળીને બેઠેલા તે શ્રમણોપાસકોને આ પ્રકારની ખાવી ચર્ચા થઈ કે, હે આર્યો ! દેવલોકોમાં દેવોની કેટલી સ્થિતિ (આયુષ્ય) બતાવેલ છે ? ત્યારે દેવસ્થિતિ સંબંધી વિષયથી જ્ઞાત એવા તે ઋષિભદ્રપુત્ર શ્રમણોપાસકે તે શ્રમણોપાસકોને આ પ્રમાણે કહ્યું, હે આર્યોદેવલોકમાં દેવોની જઘન્યસ્થિતિ ૧૦,૦૦૦ વર્ષની છે અને ત્યારપછી એક સમય અધિક, બે સમય અધિક, ત્રણ સમય અધિક – થાવત્ – દશ સમય અધિક, સંખ્યાત સમય અધિક, અસંખ્યાત સમય અધિક કરતા– કરતા ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમની સ્થિતિ કહેવાઈ છે. તેનાથી અધિક સ્થિતિવાળા દેવ કે દેવલોક નથી. અર્થાત્ વિચ્છિન્ન થાય છે. ત્યારે તે શ્રમણોપાસકો ઋષિભદ્રપુત્ર શ્રમણોપાસક દ્વારા આ પ્રમાણે કહેવાયેલ – થાવત્ – પ્રરૂપિત કથનની શ્રદ્ધા કરતા નથી, પ્રતીતિ કરતા નથી અને રૂચિ કરતા નથી. પણ અશ્રદ્ધા, અપ્રતીતિ અને અરુચિ બતાવતા જે દિશાથી આવ્યા હતા, તે જ દિશામાં પાછા ચાલ્યા ગયા. ૦ ભગવંત મહાવીરનું આગમન-શ્રાવકોનું ત્યાં જવું :- તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર – યાવત્ – પધાર્યા – યાવત્ – પર્ષદા પર્યપાસના કરવા લાગી. ત્યારપછી આ વૃત્તાંતને સાંભળીને તે શ્રમણોપાસકોએ હર્ષિત અને સંતુષ્ટ થઈને એકબીજાને બોલાવ્યા. બોલાવીને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિય ! એ પ્રમાણે શ્રમણ ભગવંત મહાવીર – યાવત્ - આલાભકા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005012
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy