________________
શ્રાવક કથા
૨૮૭
૦ આગમ સંદર્ભ:આવનિ ૧૩૧૯ +
આવ..ર–પૃ. ૨૧૧;
૦ ઢક શ્રાવકની કથા –
શ્રાવસ્તીનો એક કુંભાર, જે ભગવંત મહાવીરનો અનુયાયી એવો એક શ્રમણોપાસક હતો. જ્યારે ભગવંતની પુત્રી અને જમાલી નિલવની પત્ની એવા પ્રિયદર્શના (અનવદ્યા) સાધ્વી પધાર્યા, ત્યારે તેણીમાં મિથ્યાત્વ પ્રવેશેલ હતું. ઢક શ્રાવકે તેણીને પ્રતિબોધ કર્યા અને ફરી ભગવંત મહાવીરના માર્ગમાં સ્થાપિત કર્યા – કથા જુઓ અનવદ્યા (પ્રિયદર્શના) શ્રમણી – શ્રમણી વિભાગમાં.
૦ આગમ સંદર્ભ:નિસી.ભા. પપ૯૭ + ચું,
આવ.ભા. ૧૨૬ + વૃ; આવપૂ.૧–પૃ. ૪૧૮;
ઉત્ત.નિ. ૧૬૭ + જ
૦ ટટ્ટર શ્રાવકની કથા :
- દશપુર નગરનો એક શ્રાવક તેની સાથે (આર્ય) રક્ષિત પ્રથમ વખતે સાધુ ભગવંતના ઉપાશ્રયે ગયેલ. ઢડ્ડર શ્રાવકની નિસીપી – ઇર્યાપથ આલોચના અને વંદનાદિ ક્રિયા જોઈને રક્ષિત પણ શ્રાવક ક્રિયા શીખ્યો ઇત્યાદિ કથા આર્યરક્ષિતની કથામાં આવી ગયેલ છે. જુઓ કથા આર્યરક્ષિત શ્રમણ
૦ આગમ સંદર્ભ :આવ.યૂ.૧–પૃ. ૪૦૩;
૦ ધનંજય શ્રાવકની કથા -
શૌર્યપુર નામે નગર હતું. ત્યાં સુરવર નામે એક યક્ષનું ચક્ષાયતન હતું. ત્યાં ધનંજય નામનો એક શ્રેષ્ઠી રહેતો હતો. તેને સુભદ્રા નામે પત્ની હતી. તેઓએ સુરવર યક્ષને નમસ્કાર કરીને, પુત્રની પ્રાપ્તિ માટે યાચના કરી. પછી તેમણે માનતા માની કે જો પુત્ર થશે તો હું ૧૦૦ પાડાનો બલિ ચઢાવીને યજ્ઞ કરીશ ત્યારપછી તેમને બાળક રૂપી સંપત્તિ પ્રાપ્ત થઈ.
કોઈ વખતે તેઓ પ્રતિબોધ પામશે, તેવા નિશ્ચયથી ભગવંત સમોસર્યા. શ્રેષ્ઠી ધનંજય ભગવંતની દેશનાના શ્રવણ અને વંદનની ઇચ્છાથી નીકળ્યો. તેણે ભગવંતને વંદના-નમસ્કાર કર્યા. યથોચિત સ્થાને બેસીને ભગવંતની દેશના સાંભળી, તેનાથી પ્રતિબોધ પામીને ધનંજય સમ્યક્ બોધ પામ્યો. તેણે શ્રાવકના અણુવ્રતો અંગીકાર કર્યા. ત્યારપછી ધનંજય શ્રાવક થઈ ગયો.
તેણે અણુવ્રત ગ્રહણ કરતા પહેલાં કહેલું કે જો સુરવર યક્ષ મને અનુજ્ઞા આપે તો હું અણુવ્રત ગ્રહણ કરીશ. તે યક્ષ પણ ધનંજયની ધર્મભાવના જાણી ઉપશાંત થઈ ગયો.
કોઈ આચાર્ય એમ કહે છે કે, ધનંજયે વ્રત ગ્રહણ માટે યાચના કરી, પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org