SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ આગમ કથાનુયોગ-૫ રાજાના કંઠ પ્રદેશમાં મારી પોતે ત્વરાથી નાસી છૂટ્યો. ક્ષણવારમાં રાજાનું ગળું કપાઈ ગયું. જતા એવા ઉદાયીમારકને પ્રાતીહારિકે પણ ન રોક્યો કેમકે તે સાધુ હતા, રાજાની તેમના આવાગમન માટે છૂટ હતી. લોહીના ધારા વછૂટી. આચાર્યને તેની ભીનાશ સ્પર્શી ગઈ. આચાર્ય ભગવંતે જોયું કે રાજાનું ખૂન થયું છે. જો હવે હું જીવિત રહીશ તો પ્રવચન – જિનશાસનની ઉડ્ડહણા થશે. તેથી તેમણે આલોચના–પ્રતિક્રમણ કર્યા. પોતાના હાથે જ પોતાનું મસ્તક છેદી નાંખ્યું. તેઓ પણ કાળધર્મ પામ્યા. ૦ આગમ સંદર્ભ :ઠા ૮૭૦ + આવનિ ૧૨૮૪ની વૃ આ ચૂર–પૃ. ૧૭૧, ૧૭૭, ૧૮૦; – ૮ – – ૦ ક્ષેમ શ્રાવકની કથા : પાડલિપુત્ર નગર હતું. ત્યાં જિતશત્રુ રાજા હતો. સેમ નામે તેનો અમાત્ય હતો. તે ચારે પ્રકારની બુદ્ધિથી સંપન્ન એવો શ્રમણોપાસક હતો. શ્રાવકના ગુણથી સંપન્ન હતો. તે રાજાના હિતનો કાંક્ષી હોવાથી બીજા દંડ-ભટ–ભોજિક આદિને અપ્રિય હતો. તેથી તેઓ ક્ષેમનો વિનાશ કરવા માટે ક્ષેમમંત્રી પાસેના પુરુષોને (સેવકોને) દાન-સન્માન આદિથી સત્કારતા હતા. કોઈ વખતે લેમે કહ્યું કે, હું સર્વ જીવોનું કલ્યાણ ઇચ્છું છું. તો પછી રાજાના શરીરનું ક્ષેમ–કલ્યાણ કેમ ન ઇચ્છું. રાજા ગમે તેનો વધ કરવાની આજ્ઞા આપતો. એ રીતે રાજા જે કોઈને મારવા ઇચ્છતો તેને પુષ્કરિણી મોકલતો. રાજાની અશોકવાટિકામાં અગાધ જળવાળી પુષ્કરિણી હતી. તે પત્ર, મૃણાલ, ઉત્પલ, પદ્મ આદિથી શોભિત હતી. પણ કોઈ મગરને કારણે અવગાહન કરવા માટે દુષ્કર બનેલી. તેમાં રહેલ ઉત્પલને ગ્રહણ કરવા કોઈ સમર્થ ન હતું. ત્યારે કોઈ વખતે લેમમંત્રી તૈયાર થયો. રાજાની આજ્ઞાથી પુષ્કરિણી ગયો. અરિહંત પરમાત્માને નમસ્કાર થાઓ. એ પ્રમાણે બોલીને કહ્યું કે, જો હું નિરપરાધ હોઉં (છતાં મને રાજાએ મોકલ્યો હોય) તો મને દેવતાનું સાન્નિધ્ય પ્રાપ્ત થાઓ. પછી તે ક્ષેમશ્રાવકે ભક્ત પ્રત્યાખ્યાન કર્યું. દેવતાના સાન્નિધ્યને સ્વીકારીને મગરની પીઠ પર બેસી ઘણાં બધાં ઉત્પલ–પઘ ગ્રહણ કરીને તે પુષ્કરિણીથી પાર ઉતરીને પાછો આવ્યો. ત્યારે રાજાએ અતિ હર્ષિત થઈને લેમ શ્રાવકની ક્ષમા માંગી. પ્રશંસા કરી. વિરોધીઓનો નિગ્રહ કર્યો. ક્ષેમને વરદાન માંગવા કહ્યું, આ પ્રમાણે પ્રાણાતિપાત વિરમણ ગુણકારી થાય છે. ૦ આગમ સંદર્ભ:આવપૂ. ૬૪ની વૃ આવ.પૂ.ર-૫. ૨૮૩; – ૪ – ૪ – ૦ ગંધાર શ્રાવકની કથા : ગંધાર નામે એક શ્રાવક હતો. તે ભગવંતોની સર્વે જન્મકલ્યાણક ભૂમિની વંદના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005012
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy