SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૬ આગમ કથાનુયોગ–૫ બની ગયું છે. હવે તેની ચિંતા કરવાથી શું થશે ? હવે પ્રસવ કાળ નજીક આવ્યો છે. માટે ઘી વગેરેની જરૂર પડશે. માટે દુકાને દુકાનેથી ઘન ઉઘરાવું છું. ત્યારે શાસનની મલિનતા ન થાય તે માટે તેને એકાંતમાં ઘેર લાવ્યો. પણ શ્રેણિક રાજા પોતાના સમ્યકત્વથી લગાર પણ ચલાયમાન ન થયો. ત્યારપછી તે દેવે પ્રત્યક્ષ થઈને રાજાને આ પ્રમાણે કહ્યું કે, હે શ્રેણિક ! જે પ્રમાણે ઇન્દ્ર તમારા સમ્યકત્વની પરીક્ષા કરી હતી. તમે જૈન શાસનમાં તેવા જ અતિનિશ્ચલ સમ્યકત્વવાળા છો. આ બધી દેવમાયા જ વિફર્વેલ હતી. તે દેવે એક હાર અને બે ગોળા ભેટ આપ્યા. શ્રેણિકે તે તેજસ્વી હાર ચેલણા રાણીને આપ્યો અને દિવ્ય ગોળા નંદા રાણીને આપ્યા. નંદાએ તે ગોળા ભીંતમાં પછાડ્યા. તેમાં એક ગોળામાંથી તેજસ્વી દેવદૂષ્ય નીકળ્યા. બીજા ટુકડામાંથી દિવ્યકુંડલ યુગલ નીકળ્યા. ૦ શ્રેણિક સાથે સંબંધિત પાત્રો : (શ્રેણિક રાજાનું ચરિત્ર અતિ વિસ્તારવાળું છે. આગામોમાં અનેક સ્થાને તેમનો ઉલ્લેખ આવે છે. અનેક પાત્રો (વ્યક્તિઓ) તેમના સંબંધ – સંસર્ગમાં આવેલ છે. તેમાંથી અહીં કેટલાંક પાત્રોનો પરીચય માત્ર આપેલ છે.) –– શાલિભદ્ર – રાજા શ્રેણિકના રાજ્યમાં રહેતી અતિ ધનાઢ્ય સાર્થવાહી ભદ્રાનો પુત્ર જેને શ્રેણિક મળવા ગયા. “આ મારા સ્વામી છે” – તેમ જાણતા શાલિભદ્રએ હવે મારે કોઈ સ્વામી ન જોઈએ તેમ વિચારી દીક્ષા ગ્રહણ કરી – કથા જુઓ શાલિભદ્ર. - -- ધન્ય – કાકંદી નગરીના ભદ્રા સાર્થવાહીના પુત્ર, જેણે દીક્ષા લીધી. શ્રેણિકે પૂછેલું કે દુષ્કર તપસ્વી કોણ ? ત્યારે ભગવંતે ધન્યમુનિનું વર્ણન કરતા. તેમનાથી પ્રભાવિત થઈને શ્રેણિકે અત્યંત ગુણાનુરાગથી તેમને વંદનાદિ કર્યા હતા. કથા જુઓ “ધન્ય" – શ્રમણ વિભાગમાં. – – મહાશતક શ્રાવક – રાજગૃહ નગરમાં થયેલ ભગવંત મહાવીરના દશ ઉપાસકોમાંના એક ઉપાસક, જે રાજા શ્રેણિકના રાજ્ય રાજગૃહમાં થયેલ. –૦- અર્જુન માળી – શ્રેણિક રાજાના રાજ્ય રાજગૃહીમાં રહેતો એક માળી, જેણે પછીથી દીક્ષા લીધી અને મોક્ષે ગયા. –૦- મમ્મણ – રાજગૃહીનો એક લોભીવણિક શ્રેણિક રાજા કરતાં પણ તેની પાસે વધારે સંપત્તિ હતી. પણ તેના લોભીપણાથી તે એ દરિદ્ર લાગતો હતો કે શ્રેણિકે તેને મદદ કરવા વિચારેલું. કથા જુઓ મમ્મણ. -૦- મેતાર્યમુનિ – શ્રેણિક રાજાએ તેમને પોતાની પુત્રી પરણાવેલ પછી તેમણે દીક્ષા ગ્રહણ કરેલી. (અંતકૃત્ કેવલી થયેલા) | (આવા અનેક પાત્રો સાથેના શ્રેણિક મહારાજા સાથેના સંબંધો તેમની–તેમની કથામાં જોઈ શકાશે) ૦ શ્રેણિક દ્વારા વેહલ્લને (હા–વિહલ્લને) અપાયેલ હાથી અને હાર : શ્રેણિક રાજા અભયકુમારને રાજ્ય આપવા ઇચ્છતા હતા. પણ તેણે દીક્ષા ગ્રહણ કરી, ત્યારે શ્રેણિકે વિચાર્યું કે આ રાજ્ય કોણિકને સોંપીશ તેથી તેણે કોણિકના ભાઈ અને ચેલણાના પુત્ર વેહલને સેચનક હાથી અને દિવ્યહાર ભેટ આપેલા. (બીજા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005012
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy