________________
શ્રાવક કથા
૨૬૯
કે બહાર જતો અમે જોયેલ નથી. પૃથ્વીતલ પર કોઈના પગલા પણ દેખાતા નથી. આ આશ્ચર્ય છે. આ કાર્ય કોઈ દિવ્ય પરષનું હોવું જોઈએ.
ત્યારે રાજાએ આ વાત અભયકુમારને જણાવી – તું આ ચોરને જલ્દી પકડી લાવ, નહીં તો કાલે ક્યાંક સ્ત્રીઓનું હરણ કરી જશે. અભયકુમારે રાજાની આજ્ઞા સ્વીકારી. ચૌટા આદિમાં ચોરની તપાસ કરવા લાગ્યો. કેટલાંક દિવસ પસાર થયા પણ ચોરનો પત્તો લાગ્યો નહીં. તેટલામાં કોઈ દિવસે નગરીમાં નટે નાટક આરંભ્ય, તે જોવા ઘણાં નગરજનો એકઠા થયા. ત્યારે અભયે કહ્યું કે, આ નાટક શરૂ થાય ત્યાં સુધી તમે એક આખ્યાન સાંભળો.
વસંતપુર નગરમાં જીર્ણ શેઠને એક કન્યા હતી. તે વર મેળવવાની અભિલાષાથી કામદેવની પૂજા કરવા બગીચામાં પુષ્પો લેવા ગઈ, ચોરીથી તેણીએ પુષ્પો એકઠાં કર્યા. ત્યારે માળીએ તેણીને જોઈને ભોગની માંગણી કરી. ત્યારે લગ્નની પહેલી રાત્રે માળી પાસે આવવાનું વચન લઈને તેને મુક્ત કરી. પછી તુષ્ટ થયેલા કામદેવે તેણીને મંત્રીપુત્ર એવો શ્રેષ્ઠ પતિ આપ્યો.
વિવાહ થયા પછી તે કન્યા મંત્રીપુત્ર પાસે પહોંચી પતિને તેણીએ વિનંતી કરી કે મેં પૂર્વે માળીને આવું વચન આપેલ છે, આપ આજ્ઞા આપો તો હું ત્યાં જઉ. તેણીને સત્યપ્રતિજ્ઞ માનીને મંત્રીપુત્રએ અનુમતિ આપી. નગર બહાર તેણીને ચોરોએ જોઈ. આજે મોટો ખજાનો મળ્યો માનીને ચોરે તેને પકડી. તે કન્યાએ સત્ય વાત જણાવતા ચોરે કહ્યું કે, સારું તું જા, પણ પાછી ફર ત્યારે અમે તને લૂંટી લઈશું, વચન લઈને તેણીને જવા દીધી.
માર્ગમાં એક ભૂખાળવો રાક્ષસ મળ્યો. આવ–આવ કરતા તેણીને તે ખાવા દોડ્યો. ત્યારે તે કન્યાએ સર્વ વૃત્તાંત જણાવ્યો. એટલે રાક્ષસે તેણીને જવા દીધી. તે કન્યાએ બગીચામાં જઈને સુખેથી સુતેલા માળીને જગાયો અને કહ્યું, હે સત્પષ ! મારા વચન પ્રમાણે હું આવી ગઈ છું પછી માર્ગમાં જે કંઈ બનેલ તે કહી સંભળાવ્યું. તેણીને સત્ય પ્રતિજ્ઞ માનીને માળીએ જલદી છોડી દીધી. એ જ રીતે રાક્ષસ અને ચોરે પણ તેણીને મુક્ત કરી દીધી. તેણી મંત્રીપુત્ર પાસે અક્ષત શરીરે સર્વાલંકાર સહિત પાછી ફરી.
આ કથાનક કહીને અભયે પૂછયું કે, હે નગરજનો ! મંત્રીપુત્ર, ચોર, રાક્ષસ અને માળી એ ચારમાંથી દુષ્કર કાર્ય કોણે કર્યું? ત્યારે બધાંએ પોતપોતાના આચરણને અનુરૂપ જવાબો આપ્યા. ત્યારે ચાંડાળ બોલ્યો કે, ચોરે જ દુષ્કરકાર્ય કર્યું ગણાય. કારણ કે તેણે સુવર્ણ આભૂષણ સહિત હોવા છતાં જવા દીધી. તેના પરથી અભયે નક્કી કર્યું કે આ જ ચોર લાગે છે. કોટવાળ દ્વારા તેને પકડાવી પૂછ્યું કે, તે રાજમહેલમાંથી આમ્રફળની ચોરી કઈ રીતે કરી ?
ત્યારે તે ચાંડાલે સર્વ વૃત્તાંત જણાવ્યો. અભયે આ વાત શ્રેણિકને કહી. ત્યારે શ્રેણિક રાજાએ કહ્યું કે, તે કોઈ રીતે તેની વિદ્યા મને આપે તો જ મુક્ત કરજો અન્યથા તેના જીવનનું હરણ કરજો. ચંડાળે વિદ્યા આપવાનું કબૂલ કર્યું. રાજા શ્રેણિક સિંહાસન પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org