________________
૨૬૪
આગમ કથાનુયોગ-૫
કરાવવાપૂર્વક દીન, અનાથ વગેરે જે કંઈ માંગણી કરે તેને દાન આપું. શેઠે ત્યાંના રાજાને વિનંતી કરી – યાવત્ – સુનંદાના દોહદ પૂર્ણ થયા – યાવત્ – પુત્રનો જન્મ થયો અને અભયકુમાર એવું નામ સ્થાપન કર્યું. (ઇત્યાદિ સર્વે વૃત્તાંત અભયકુમારના કથાનકથી જાણી લેવો.)
અભયકુમાર મોટો થયો, નિર્મળ બુદ્ધિવાળા તેને આઠ વર્ષનો થતાં શાળમાં જ્યારે કોઈ સાથે વિવાદ થયો ત્યારે સામે કોઈએ કહ્યું કે, તે પિતા વગરના રાંકડા ! તારાથી કોણ બીવે છે ! તેણે માતાને પૂછયું કે મારા પિતા કોણ છે? – યાવત્ – સુનંદાએ તેને ભારવટ પર લખેલી નિશાની બતાવી. તેનો પરમાર્થ જાણીને અભયકુમારે કહ્યું કે, મારા પિતા રાજગૃહીના રાજા છે. તો આપણે ત્યાં જઈએ (આ સર્વ વૃતાંત અભયકુમારની કથામાં આવી ગયેલો છે.) ૦ મંત્રીની શોઘમાં શ્રેણિક અને અભયકુમારનું આગમન :
તરુણ બનેલો અભયકુમાર માતાને લઈને રાજગૃહી પહોંચ્યો. માતાને બહારના ઉદ્યાનમાં બેસાડી નગર પ્રવેશ કર્યો ત્યારે તેણે કોઈ સ્થાને ઘણાં લોકોને એકઠા થયેલા જોયા. ત્યારે તેણે પૂછયું કે, આ લોકો અહીં કેમ એકઠા થયા છે ? અતિ તેજપુંજ સમાન બાળકને જોઈને રાજપુરુષોએ કહ્યું કે, અહીંના રાજાને ૫૦૦ મંત્રીઓ છે. તેમાં ચૂડારના સમાન કોઈ અતિ બુદ્ધિશાળીને મુખ્યમંત્રી પદ આપવાનું છે. તેવા પુરુષની પરીક્ષા માટે રાજાએ આ પ્રમાણે ઠરાવ્યું છે કે, આ અવાવરા કૂવામાં જે મુદ્રિકા નાખેલી છે, તેને વાવડીના કિનારે બેસીને હાથમાં લઈને તમને કોઈ મુદ્રિકા અર્પણ કરે તો તમારે તેને મારી પાસે લાવવો.
- દરરોજ અનેક પુરુષો આવે છે. છ માસ થયા પણ કોઈએ આ સમસ્યા પૂર્ણ કરી નથી. ત્યારે તે કુમારે પૂછયું કે, કોઈ બીજો આ સમસ્યા પૂર્ણ કરી આપે તો તેને શો લાભ થાય ? ત્યારે રાજપુરુષોએ અભયકુમારને સંમતિ આપી. તે ખાલી કૂવાના કાંઠે બેઠો ગાયનું છાણ મંગાવ્યું. હીરાજડિત વીંટી તેમાં ખેંચી જાય તે રીતે ફેંક્યું. ઘાસનો સળગતો પૂળો ફેંકીને છાણને સૂકાવ્યું. બીજા સ્થાનેથી પાણી લાવીને કૂવો પાણીથી ભરી દીધો. ત્યારે મુદ્રિકા સહિત છાણું તરતા-તરતા ઉપર આવ્યું. કાંઠે બેસીને તેણે છાણું લઈ લીધું. તેમાંથી મુદ્રિકા ખેંચીને બહાર કાઢી રાજપુરુષોને અર્પણ કરી.
ત્યારે રાજપુરુષો અભયકુમારને લઈને રાજા શ્રેણિક પાસે આવ્યા. તે મુદ્રિકા કોના પ્રભાવે બહાર કઢાઈ ? તેમ પૂછતાં અભયકુમારને બતાવ્યો – યાવત્ – શ્રેણિક રાજાએ તેની ઓળખ પૂછતાં કહ્યું કે હું બેન્નાતટ નગરથી આજે જ આવેલો છું. રાજાએ તેના ગોત્રાદિ વિશે પૃચ્છા કરી ત્યારે શ્રેણિક શંકિત મનવાળો થયો. તેણે પૂછયું કે ત્યાં ભદ્ર શેઠને સુનંદા નામે પુત્રી છે. તે કુશળ તો છે ને ? ત્યારે અભયે કહ્યું કે, હાં, તેણી તો કુશળ છે અને હું તેણીનો પુત્ર અભય છું.
ત્યારે અભયના આશ્ચર્યકારી વચનોથી અને તેની બુદ્ધિ વિશેષથી હર્ષિત અને સંતુષ્ટ થયેલા રાજા શ્રેણિકે તેને આલિંગન કર્યું. પોતાના પુત્રને ઓળખીને સ્નેહથી ભીંજાયેલા રાજા – યાવત્ – તેની સાથે બહાર વનખંડમાં ગયા. ઉદ્યાનમાં રહેલી પોતાની પહેલી પત્ની (રાણી) સુનંદાને (જેને નંદા પણ કહે છે) અત્યંત આડંબરપૂર્વક, ઋદ્ધિ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org