SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક કથા ૨૬૫ પરિવારસહિત હાથણી પર આરૂઢ કરાવી રાજ્યના મહેલમાં લાવ્યા, અંતઃપુરનો શ્રેષ્ઠ સુંદર પ્રાસાદ આપ્યો. અભયકુમારને પણ પોતાની નજીકનો મહેલ આપ્યો. તેને પ૦૦ મંત્રીમાં મુખ્યમંત્રી બનાવ્યો. પોતાની સુષેણા નામની બહેનની અતિ રૂપવતી કન્યા તેને પરણાવી. (ઇત્યાદિ વૃત્તાંત અભયકુમારની કથાથી જાણવો) ૦ શ્રેણિક રાજા–નંદા રાણીનો ઉલ્લેખ : (હે જંબૂ!) તે કાળે, તે સમયે આ જંબુદ્વીપમાં, ભારત વર્ષમાં, દક્ષિણાર્ડ ભરતમાં રાજગૃહી નામે નગરી હતી. તેના ઇશાન ખૂણામાં ગુણશીલ નામે ઉદ્યાન હતું. તે રાજગૃહ નગરમાં શ્રેણિક નામે રાજા હતો. તે મહાહિમવંત પર્વત સમાન હતો. તે શ્રેણિક રાજાને નંદા (સુનંદા) નામે રાણી હતી. તે સુકુમાલ હાથ–પગવાળી હતી. શ્રેણિક રાજાના પુત્ર અને નંદા રાણીનો આત્મજ એવો અભય નામે કુમાર હતો – યાવત્ - તે મહામંત્રી અભયકુમાર સામ, દંડ, ભેદ અને ન્યાય—નીતિમાં નિષ્ણાત તથા વ્યાપારનીતિની વિધિનો જ્ઞાતા હતો (ઇત્યાદિ વર્ણન મેઘકુમારની કથામાં પૂર્વે આવી ગયેલ છે ત્યાંથી જાણવું) (ઉપરોક્ત વર્ણન નાયાધમ્મકહાના સૂત્ર-૯ અને ૧૦માં આપેલ છે. આવું જ કંઈક વર્ણન નિરયાવલિકા સૂત્ર–લ્માં પણ આવે છે. જે કોણિકની કથામાં પણ નોંધાયેલ છે.) તે કાળે, તે સમયે રાજગૃહ નગર હતું. તે નગર ઋદ્ધિસંપન્ન, શત્રુ આદિના ભયથી રહિત અને ધનધાન્યાદિથી સમૃદ્ધ હતું. ત્યાં હિમવંત પર્વત સદશ મહાનું શ્રેણિક નામે રાજા હતો. શ્રેણિક રાજાની સુકુમાલ અંગોપાંગવાળી એવી નંદા નામે રાણી હતી. જે માનવીય કામભોગોને ભોગવતી – યાવતું – સમય વ્યતીત કરતી હતી. તે શ્રેણિક રાજાનો પુત્ર અને નંદા રાણીનો આત્મજ અભયકુમાર હતો. જે સુકુમાલ – યાવત્ – સુરૂપ હતો. રાજનીતિમાં ચિત્તસારથી સમાન નિષ્ણાત હતો. – યાવત્ - રાજ્યની ધુરાનો ચિંતક હતો. ૦ ચંડ પ્રદ્યોત દ્વારા કોઈ વખતે નગર રોધ : કોઈ વખતે ઉજૈની નગરીથી પ્રદ્યોત રાજાએ આવીને ઘણી સૈન્ય સામગ્રીથી શ્રેણિકને ઘેરવા આવેલો. નગરનો રોધ થયો જાણી ભયભીત થયેલા રાજા શ્રેણિકને અભયે કહેલું કે તમે તેના મોટા સૈનિક સમુદાયથી ભયભીત થશો નહીં. હું તેને ભગાડી મૂકીશ. અભયે ત્યાં જઈને પ્રદ્યોતના ખંડિયા રાજાને આવવાના સ્થાનમાં પહેલેથી નિધાનો દટાવી દીધા. તેટલામાં શ્રેણિક રાજાને પ્રદ્યોત રાજાની સાથે મહાન્ યુદ્ધ થયું. અભયે પ્રદ્યોત રાજાને એક લેખ લખીને મોકલ્યો કે શ્રેણિક રાજાએ તમારા સર્વે ખંડિયા રાજાઓને લાલચ આપીને ફોડી નાંખ્યા છે. તે બધાં એકઠા થઈને તમને શ્રેણિક રાજાને સોંપી દેશે – યાવત્ – તેણે પ્રદ્યોત રાજાને ભગાડી મૂક્યો. ૦ શ્રેણિક અને ચેઘણા : તે કાળે, તે સમયે રાજગૃહ નામે નગર હતું. ગુણશીલક ઉદ્યાન હતું. ત્યાં શ્રેણિક નામે રાજા હતો. તેને ચેઘણા નામે રાણી હતી. આ ચલણા રાણીનો સમગ્ર પ્રબંધ આ પૂર્વે – સુજ્યેષ્ઠા શ્રમણીની કથામાં આવી ગયેલ છે. (ત કથામાં જણાવ્યા મુજબ સુયેષ્ઠાનું અપહરણ કરી લાવવા શ્રેણિકે અભયને કહ્યું. અભયની બુદ્ધિથી સુજ્યેષ્ઠા શ્રેણિક સાથે વિવાહ કરવા માર્ટ ભાગી નીકળવા તૈયાર થઈ. પણ તે ઘરેણા લેવા ગઈ અને તેની બર્ડન ચેલણા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005012
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy