SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૨ આગમ કથાનુયોગ-૫ ૦ શ્રેણિકનો ભવ, નગર નિકાલ, નંદા સાથે લગ્ન આદિ :– રાજગૃહ નગરમાં પ્રસેનજિત રાજા અને ધારિણી નામે રાણી હતા. આ રાજા ભગવંત પાર્શ્વનો અનુયાયી હતો. તેને ત્યાં સુમંગલનો જીવ વ્યંતર નિકાયથી આવીને પુત્રરૂપે જમ્યો. જેનું શ્રેણિક એવું નામ રાખવામાં આવ્યું. પ્રસેનજિત રાજાને બીજા પણ અનેક પુત્રો હતા. રાજાએ વિચાર્યું કે મારા આટલા પુત્રોમાં રાજ્યધુરા વહન કરવાને કોણ સમર્થ થશે ? એક સમયે સર્વે પુત્રોને પરીક્ષા કરવા માટે એક પંક્તિમાં બેસાડ્યા. રાજાએ ઘી સહિત પૂર્ણ ખીરનું ભોજન પીરસ્યું. પછી અતિ ભૂખ્યા શિકારી કૂતરાઓને રાજાએ છોડી મૂક્યા. પોતે ગુપ્ત રહીને તેઓની ચેષ્ટા જોવા લાગ્યો. કોઈક પુત્ર તો કૂતરાને જોઈને જ પલાયન થવા લાગ્યા. કેટલાંક કૂતરાઓ તે ભોજનમાં મોટું નાખવા લાગ્યા તેથી નાસી ગયા. કેટલાંક ભૂખ્યા કુતરા સાથે ભંડણ કરવા લાગ્યા. તે સર્વેમાં માત્ર એક શ્રેણિક કુમાર એવો હતો, જે બીજા કુમારોના થાળ કૂતરા તરફ ધકેલતો ગયો એટલે તે ખાવામાં કૂતરા શ્રેણિક સુધી પહોંચતા ન હતા. એટલે તેણે ઇચ્છા પ્રમાણે ભોજન કર્યું. પ્રસેનજિત રાજાએ વિચાર્યું કે આ જ પુત્ર રાજ્યને લાયક છે, જે શત્રુને પણ રાજ્ય આપીને મિત્ર બનાવશે. ત્યારપછી કોઈ વખતે પ્રસેનજિત રાજાએ કોઈ ગૃહમાં લાડુ (ખાજા) તથા પાણી ભરેલા નવા ઘડા ગોઠવીને તેમાં કુમારોનો પ્રવેશ કરાવ્યો અને તેઓને કહ્યું કે, અહીં તમારે લાડુનું (ખાજાનું) ભોજન કરવું અને જળપાન કરવું. પણ ખાજાની સંખ્યા એક પણ ઓછી ન થવી જોઈએ, તેમજ ઘડા પર બાંધેલી મુખમુદ્રા તુટવી ન જોઈએ. બધાં કુમારો વિચારમાં પડ્યા કે આ કઈ રીતે બને ? ત્યારે શ્રેણિકે ખાજાના કરંડીયાને હલાવી-હલાવી તેનો ભુકો નીચે પડતો હતો તે ખાઈને ભોજન કરી લીધું અને નવા ઘડામાંથી ઝરતું પાણી વસ્ત્ર વીંટાળીને નીચોવીને પાણી પી–લીધું. એ રીતે ભોજન પૂર્ણ કર્યું. કોઈ વખતે રાજશાળામાં આગ લાગી. ત્યારે રાજાએ કુમારોને બૂમ પાડી કે જેને જે હાથમાં આવે તે ગ્રહણ કરી લો. ત્યારે કોઈક અથ લીધા, કોઈ સારભૂત પદાર્થ લેવા લાગ્યા. તે વખતે શ્રેણીએ ભંભા (એક જય સૂચક વાદ્ય) કાઢીને પિતાને બતાવ્યું. પ્રસન્ન થયેલા પિતાએ તેનું ભંભસાર નામ પાડ્યું. પછી બીજા કુમારો ઇર્ષ્યાથી શ્રેણિક કુમારને રાજ્યના લોભથી મારી ન નાખે તે કારણે પ્રગટપણે શ્રેણિકના ગુણને અનુરૂપ અને મનોરથને યોગ્ય એવો આદર-સત્કાર કરવો બંધ કર્યો. પોતાનો પરાભવ અને બીજાનો સત્કાર થતો જોઈને ઉદ્વેગ પામેલા ચિત્તથી શ્રેણિકકુમાર વિચારવા લાગ્યો કે, હું તો ચરણની ધૂળ કરતાંયે ભંડો છું કે હજ અહીં પડી રહ્યો છું. તે રાજાને ત્યાંથી રાત્રે એકલો નીકળી પડ્યો. સાહસ કરતો તે દેશાંતરોમાં પરિભ્રમણ કરવા લાગ્યો. પ્રસેનજિત રાજાએ મોકલેલ ગુપ્તચરો તેની પાછળ ફરવા લાગ્યો. વનહાથી માફક તે શ્રેણિક બેન્નાતટ નગરે પહોંચ્યો. ત્યાં આવીને તે ભદ્ર શેઠની દુકાને બેઠો. તે વખતે શ્રેણિકના પુણ્યપ્રભાવથી તે ભદ્ર શેઠને ઘણો જ આવકનો લાભ થયો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005012
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy