SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક કથા વસતો હતો. તે ઋદ્ધિસંપન્ન પરિનિષ્ઠિત હતા. ભગવંત પાર્થે પધાર્યા. પર્ષદા પર્વપાસના કરવા લાગી. ત્યારે ભગવંત પાર્શ્વના આગમનનો વૃત્તાંત સાંભળી તે સોમિલ બ્રાહ્મણને આવા પ્રકારે આધ્યાત્મિક યાવત્ સંકલ્પ સમુત્પન્ન થયો કે, પુરુષાદાનીય અર્હત્ પાર્શ્વ પૂર્વાનુપૂર્વી ક્રમે વિચરતા – યાવત્ – અંબાલવનમાં વિચરે છે. તો પાર્શ્વ અર્હત્ સમીપે જાઉં. તેમને આવા પ્રકારના અર્થો અને હેતુઓ પૂછું ઇત્યાદિ ભગવતી સૂત્રમાં વર્ણવ્યા પ્રમાણે બધું જાણવું. ૦ સોમિલ દ્વારા શ્રાવકધર્મ સ્વીકાર : www - ત્યારપછી શિષ્યોને લીધા વિના જ સોમિલ નીકળ્યો યાવત્ – આ પ્રમાણે પૂછયું, હે ભગવન્ ! આપને યાત્રા છે ? આપને યાપનીય છે ? સરસવ, માસ, કુલત્થ ઇત્યાદિ પ્રશ્નો કર્યા – યાવતુ – આપ એક છો ? યાવત્ – બોધ પામીને શ્રાવક ધર્મ - અંગીકાર કરી, પાછો ગયો. ૦ સોમિલમાં મિથ્યાત્વ પ્રવેશ : ત્યારપછી કોઈ સમયે અર્હતુ પાર્શ્વપ્રભુ વારાણસીના આમ્રશાલ વન ચૈત્યથી નીકળ્યા. બહારના જનપદમાં વિચરવા લાગ્યા. ત્યારપછી તે સોમિલ બ્રાહ્મણ કોઈ સમયે અસાધુના દર્શન અને સુસાધુઓની પર્યુપાસના ન કરવાથી મિથ્યાત્વ પર્યાય વૃદ્ધિ થતાં અને સમ્યકત્વ પર્યાય હીન થતાં મિથ્યાત્વ દશાને પ્રાપ્ત થયા. યાવત્ અપરાભૂત હતો. ઋગ્વેદ ઇત્યાદિ તેને ત્યારે તે સોમિલને કોઈ સમયે મધ્યરાત્રિએ કુટુંબ જાગરણા કરતા યાવત્ સંકલ્પ ઉત્પન્ન થયો. નિશ્ચયથી વારાણસી નગરીમાં રહેનાર હું સોમિલ બ્રાહ્મણ અત્યંત ઉચ્ચ બ્રાહ્મણ કુળમાં ઉત્પન્ન થયો છું. મેં વ્રત ગ્રહણ કર્યા, વેદાધ્યયન કર્યું, પત્ની લાવ્યો. પુત્રો થયા, સમૃદ્ધ થયો. પશુવધ કર્યા, યજ્ઞ કર્યો. દક્ષિણા આપી, અતિથિ પૂજા કરી, અગ્નિ હોમ કર્યો. સ્તૂપ રોપ્યો. હવે મારે કાલે યાવત્ - સૂર્ય પ્રકાશિત થયા પછી વારાણસી નગરી બહાર ઘણા આંબાના બગીચા બનાવું, બિજોરા, વેલ, કપિત્થ, આંબલી અને ફૂલોના બગીચા બનાવું. આવો વિચાર કર્યો. Jain Education International – - ૨૫૫ આંબાના ત્યારપછી યાવત્ – સૂર્ય પ્રકાશિત થયા પછી વારાણસી નગરીની બહાર યાવત્ – ફૂલોના બગીચા બનાવ્યા. ત્યારપછી તે અનેક બગીચા – યાવત્ – ફૂલો યોગ્ય રીતે સંરક્ષિત, સંગોપિત થતાં પૂર્ણરૂપે વૃદ્ધિને પ્રાપ્ત બગીચા થઈ ગયા. ત્યારે તે શ્યામલ, શ્યામલ કાંતિવાળા – યાવત્ રમ્ય મહામેઘ સદ્દેશ, પવિત્ર, પુષ્પિત, ફલિત થઈને હર્યા–ભર્યા હોવાને કારણે શ્રીયુક્ત થઈને અતીવ–અતીવ શોભાયમાન દેખાવા - લાગ્યા. -- --- ૦ સોમિલ દ્વારા દિશાપ્રોક્ષિક તાપસત્વ :– ત્યારપછી કોઈ સમયે મધ્યરાત્રિએ કુટુંબ જાગરણા કરતા એવા તે સોમિલ બ્રાહ્મણને આવા પ્રકારનો યાવત્ સંકલ્પ ઉત્પન્ન થયો. હું સોમિલ બ્રાહ્મણ, વારાણસીના અતિ ઉચ્ચકુળે જમ્યો. વ્રત આદિ કર્યા. યાવત્ – વારાણસી નગરી For Private & Personal Use Only - www.jainelibrary.org
SR No.005012
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy