SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક કથા ૨૫૩ કરી, અંડિલ ભૂમિની પ્રતિલેખના કરી, દર્ભનો સંથારો બિછાવ્યો. પૂર્વદિશા તરફ મુખ કરી પદ્માસને સ્થિત થઈ બંને હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ જોડી બોલ્યો અરિહંત ભગવંતોને – યાવતુ – સિદ્ધિગતિ પ્રાપ્ત ભગવંતોને નમસ્કાર થાઓ. મારા ધર્મોપદેશક, ધર્માચાર્ય કેશી-કુમાર શ્રમણને નમસ્કાર થાઓ. અહીં રહેલો એવો હું, ત્યાં રહેલા ભગવંતને વંદના કરું છું. ત્યાં બિરાજમાન ભગવંત અહીં રહેલા મને જુઓ. એમ કહી વંદન–નમસ્કાર કર્યા. પહેલાં પણ મેં કેશીકુમાર શ્રમણ પાસે સ્થૂલ પ્રાણાતિપાત – યાવત્ – સ્થૂલ પરિગ્રહનું પચ્ચક્ખાણ કરેલ છે. અત્યારે ફરી તેમની સાક્ષીએ જ સર્વ પ્રાણાતિપાત - યાવત્ – સર્વ પરિગ્રહનું પ્રત્યાખ્યાન કરું છું. સમસ્ત ક્રોધ – યાવત્ – મિથ્યાદર્શન શિલ્યનું પ્રત્યાખ્યાન કરું છું અકરણીય યોગનું પ્રત્યાખ્યાન કરું છું. માવજીવન માટે ચારે આહારનું પ્રત્યાખ્યાન કરું છું. જો કે આ શરીર મને પ્રિય છે તો પણ – યાવત્ – અંતિમ શ્વાસોચ્છવાસે તેનો પણ પરિત્યાગ કરું છું. એમ કરીને તેણે આલોચના, પ્રતિક્રમણ કર્યા. સમાધિ પ્રાપ્ત કરી, કાળ કરીને સૌધર્મકલ્પના સૂર્યાભવિમાનમાં ઉપપાત સભામાં તે – યાવતુ – દેવરૂપે ઉત્પન્ન થયો. ત્યારપછી તત્કાળ ઉત્પન્ન થયેલ તે સૂર્યાભદેવે આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ અને ભાષા મન:પર્યાતિ પ્રાપ્ત કરી. આ પ્રમાણે છે ગૌતમ ! તે સૂર્યાભદેવે આ દિવ્ય દેવઋદ્ધિ, દિવ્ય દેવઘુતિ અને દિવ્ય દેવાનુભાવ પ્રાપ્ત કર્યા, અધિગત કર્યા છે. ૦ દઢ પ્રતિજ્ઞના ભવનું નિરૂપણ : હે ભદંત ! તે સૂર્યાભદેવની કેટલા કાળની સ્થિતિ છે ? હે ગૌતમ ! તેની સ્થિતિ ચાર પલ્યોપમની છે. હે ભગવન્! તે સૂર્યાભદેવ આયુક્ષય, ભવક્ષય અને સ્થિતિશય થયા પછી દેવલોકથી ચ્યવી ક્યાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે ? હે ગૌતમ મહાવિદેહ ક્ષેત્રમાં આડ્ય, દિપ્ત, વિપુલ, વિસ્તીર્ણ, વિપુલ ભવન શયન આસન, યાન વાહન ઇત્યાદિ યુક્ત જે કૂળો છે તેમાં અર્થાત્ આવા પ્રસિદ્ધ કુળમાં પુત્રરૂપે ઉત્પન્ન થશે. તે બાળક ગર્ભમાં આવતા તેના માતાપિતાને ધર્મમાં દઢ શ્રદ્ધા થશે. ત્યારપછી નવ માસ અને સાડા સાત રાત્રિ દિવસ વીત્યા પછી તે બાળકની માતા સુકુમાલ હાથપગવાળા, શુભ લક્ષણો અને પરિપૂર્ણ પાંચ ઇન્દ્રિયો અને શરીરવાળા – યાવત્ – સુરૂપવાન્ પુત્રને જન્મ આપશે. (હવે પછીની દઢપ્રતિજ્ઞના ભવની સૂયભદેવ કે રાજuદેશીની કથા અંબઇ પરિવ્રાજક શ્રાવકના દૃઢ પ્રતિજ્ઞના ભવ અનુસાર જ ચાલતી હોવાથી અહીં માત્રે સંક્ષિપ્ત કથાસાર જ મૂકેલ છે. જુઓ અંબડ શ્રાવકનો દૃઢ પ્રતિજ્ઞનો ભવ). –ત્યારપછી તે બાળકની સ્થિતિપતિતા આદિ વિધિ કરશે. –બારમાં દિવસે કર્મસંબંધી અશુચિ નિવૃત્તિ બાદ મિત્ર આદિ જ્ઞાતિજનોને વિપુલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005012
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy