________________
શ્રાવક કથા
૨૪૯
આ પ્રમાણે તે પ્રદેશી ! પૂર્વભવોપાર્જિત કર્મથી જીવ નાના કે મોટા શરીરને પ્રાપ્ત થાય તો તે શરીરને પોતાના અસંખ્યાત આત્મપ્રદેશોથી સંચિત કરે છે. તેથી તે પ્રદેશી ! તું શ્રદ્ધા કર કે જીવ અન્ય છે અને શરીર અન્ય છે. ૦ પશ્ચાનતાપ નિષેધ પ્રરૂપણા –
ત્યારે તે પ્રદેશી રાજાએ કેશીકુમાર શ્રમણને આ પ્રમાણે કહ્યું, હે ભદંત ! મારા દાદાની આવી સંજ્ઞા – યાવત્ – સિદ્ધાંત હતો કે જે જીવ છે તે શરીર છે અને જે શરીર છે તે જીવ છે. પણ તે પરસ્પર ભિન્ન નથી. ત્યારપછી મારા પિતાની, ત્યારપછી મારી પણ આ સંજ્ઞા – યાવત્ – આ જ સિદ્ધાંત છે. તો પછી અનેક પુરષથી ચાલતી આ પરંપરા, કુળનિશ્ચિત દૃષ્ટિ કઈ રીતે છોડી શકું ?
ત્યારે કેશીકુમાર શ્રમણે પ્રદેશી રાજાને આ પ્રમાણે કહ્યું, હે પ્રદેશી ! તું તે અયોહારકની માફક પશ્ચાનતાપ ન થા.
હે ભદંત ! તે અયોહારક કોણ હતો ?
હે પ્રદેશી ! કોઈ અર્થના અર્થી, અર્થગવેષી, અર્થલબ્ધક, અર્થકાંક્ષી, અર્થ પિપાસિત, અર્થગવેષક પુરુષ વિપુલ, પ્રણિત, ભાંડ માત્રમાં ઘણાં જ ભોજન, પાન, પદાર્થો લઈને એક મોટી, અગામિક, નિર્જ, દીર્ધ અટવીમાં પ્રવેશ્યા. ત્યારપછી જ્યારે તે લોકો તે નિર્જન અટવીમાં કંઈક ચાલ્યા, ત્યારે કોઈ એક સ્થાને તેઓએ ચારે તરફ શ્રેષ્ઠ, સાર યુક્ત, ચમકતી લોઢાની ભરેલી લાંબી, પહોળી, ઊંડી એક વિશાળ લોઢાની ખાણ જોઈ. તેને જોઈને હર્ષિત, સંતુષ્ટ થઈને પરસ્પર બોલાવીને આ પ્રમાણે કહ્યું
હે દેવાનુપ્રિયો ! આ લોઢાનો સંગ્રહ કરવો આપણા માટે ઇષ્ટ, કાંત – યાવત્ – મનોજ્ઞ છે. તેથી હે દેવાનુપ્રિયો ! આપણે લોહ–ભાર બાંધી લઈએ. એમ કહીને પરસ્પર વિચાર સ્વીકાર્યો. લોહભાર બાંધીને આગળ ચાલ્યા.
ત્યારપછી તેઓ તે જ નિર્જન - યાવત્ – અટવીમાં ચાલતા બીજે સ્થાને ગયા. ત્યાં તેઓએ સીસાની ભરેલી એક વિશાળ ખાણ જોઈ – યાવત્ – આપણે માટે સીસાનો સંગ્રહ કરવો – યાવત્ – લાભદાયી છે. કેમકે થોડા સીસાના બદલામાં ઘણું લોઢું ખરીદી શકીશું. તેથી હે દેવાનુપ્રિયો ! આ લોઢાનો ભાર છોડીને આપણે સીસાને બાંધવું જોઈએ - યાવત્ -- તેઓએ સીસાનો ભારો બાંધ્યો.
ત્યારે એક પુરુષે કહ્યું કે, આ લોઢાનો ભારો હું ઘણે દૂરથી ઉપાડીને આવ્યો છું. ઘણાં સમયથી ઉપાડેલ છે – મેં તેને ગાઢ બંધનથી બાંધેલ છે. અશિથિલ બંધનથી બાંધેલ છે – અત્યધિક પ્રગાઢ બંધનથી કસીને બાંધેલ છે. તેથી હું આ લોકભાર છોડીને સીસાનો ભારો બાંધી શકતો નથી.
ત્યારે તે પુરુષો આ પુરુષને જ્યારે અનેક આખ્યાપના, પ્રજ્ઞાપનાથી સમજાવવામાં સફળ ન થયા ત્યારે યથાક્રમે આગળ ચાલ્યા. એ પ્રમાણે ચાલતા-ચાલતા આગળ તાંબાની, ચાંદીની, રત્નોની, વજની, હીરાની ખાણ જોઈ. ત્યાં ત્યાં તેઓ પૂર્વ–પૂર્વની અલ્પમૂલ્ય વસ્તુને છોડી બહુમૂલ્ય વસ્તુની પોટલી બાંધતા ગયા. પણ પોતાના દુરાગ્રહી સાથીનો દુરાગ્રહ ન છોડાવી શકયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org