________________
૨૪૮
આગમ કથાનુયોગ-૫
હે પ્રદેશી ! શું તું આ મૂર્ત, કામ, રાગ, મોહ, વેદ, લેસ્થા અને શરીરધારી વાયુકાયના રૂપને જુએ છે ?
હે ભદંત ! એ અર્થ સમર્થ નથી. (ના હું તે જોતો નથી.)
હે પ્રદેશી ! જ્યારે તું આ મૂર્ત – યાવત્ – સશરીરી વાયુને જોઈ નથી શકતો તો અમૂર્ત એવા જીવને હાથમાં રાખેલ આંબળાની જેમ કઈ રીતે દેખાડું ? કેમકે – છઘ0 મનુષ્ય આ દશ વસ્તુઓને તેના સર્વભાવોને જોઈ કે જાણી શકતા નથી. ૧. ધર્માસ્તિકાય, ૨. અધર્માસ્તિકાય, ૩. આકાશાસ્તિકાય, ૪. અશરીરીજીવ, ૫. પરમાણુ પુદ્ગલ, ૬. શબ્દ, ૭. ગંધ, ૮. વાયુ. ૯. આ જિન થશે કે નહીં, ૧૦. આ સર્વ દુઃખોનો ક્ષય કરશે કે નહીં ?
પરંતુ ઉત્પન્ન જ્ઞાન-દર્શનધર અરિહંત, જિન, કેવલી આ દશે વસ્તુને તેના સમસ્ત પર્યાય સહિત જાણે છે. ધર્માસ્તિકાય આદિ દશ. તેથી તે પ્રદેશી ! તું શ્રદ્ધા કર કે જીવ અન્ય છે અને શરીર અન્ય છે. ૦ જીવપ્રદેશોનું શરીર પ્રમાણાવગાહિત્ય :
ત્યારે પ્રદેશી રાજાએ કેશી–કુમાર શ્રમણને આ પ્રમાણે પૂછયું – હે ભદત ! શું હાથી અને કુંથુનો જીવ એક સમાન છે ?
હાં, પ્રદેશી ! હાથી અને કુંથુનો જીવ (આત્મપ્રદેશથી) સમાન છે.
હે ભદંત ! હાથીથી તો કુંથુ અલ્પ કર્મવાળો, અલ્પ ક્રિયાવાળો, અલ્પ આસવવાળો છે, તે જ રીતે તે કુંથુનો આહાર, નિહાર, ઉચ્છવાસ, નિઃશ્વાસ, ઋદ્ધિ આદિ પણ અલ્પ છે. તો કુંથુવા કરતા હાથી અધિક ક્રિયાવાળો છે ?
હાં, પ્રદેશી ! હાથીથી કુંથુંવો અલ્પ કર્મવાળો અને કુંથુથી હાથી મહાકર્મવાળો ઇત્યાદિ છે.
હે ભદંત ! તો પછી બંને જીવ સમાન પરિમાણવાળા કઈ રીતે છે ?
હે પ્રદેશી ! તે બંને એ રીતે સમાન પરિમાણવાળા છે કે, જેમ કોઈ એક કૂટાગાર – ચાવત્ – વિશાળ ઊંડી શાળા હોય અને કોઈ એક પુરુષ તે કૂટાગાર શાળામાં અગ્નિ અને દીવા સાથે જઈને મધ્ય ભાગમાં ઊભો રહે. પછી કૂટાગારશાળાને ચારે તરફથી બંધ કરી દેવાય. પછી તે કૂટાગાર શાળામાં વચ્ચોવચ્ચ તે દીવો પ્રગટાવાય તો તે દીવો તે કૂટાગાર શાળાના અંતર્વર્તી ભાગને પ્રકાશિત, ઉદ્યોતિત, તાપિતા અને પ્રભાસિત કરે છે, પણ તે શાળાની બહારના ભાગને પ્રકાશિતાદિ નથી કરતો.
હવે જો તે પુરુષ દીવાને એક મોટી પેટીમાં રાખી દે, તો તે દીવો તે પેટીના અંદરના ભાગને જ પ્રકાશિત આદિ કરશે, પણ પેટીના બહારના ભાગને કે કૂટાગાર શાળાના બહારના ભાગને પ્રકાશિત આદિ નહીં કરે.
આ પ્રકારે ગોકલિંજ, ગંડમાણિકા, પલિપિટક, આઢક, અધાંઢક, પ્રસ્થક, અર્ધપ્રસ્થક, કુલબ, અર્ધકુલબ, ચાતુભગિકા – યાવત્ – ચતુષ્પષ્ટિકા કે દીપચંપકથી ઢાંકે તો તે દીવો તેને ઢાંકનારા પાત્રના અંદરના ભાગને પ્રકાશિત આદિ કરશે. પણ તે–તેથી બહારના ભાગને પ્રકાશિત આદિ નહીં કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org