SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ આગમ કથાનુયોગ–૫ - ત્યારે તે પુરુષે કહ્યું કે, હે દેવાનુપ્રિયો ! આપ લોકોએ લાકડાના વનમાં પ્રવેશતા પહેલા મને કહેલું કે અમે લાકડીના વનમાં જઈએ છીએ – યાવત્ – તેણે સંપૂર્ણ વૃત્તાંત કહ્યો. ત્યારે આ વાત સાંભળીને તે પુરુષોમાં જે એક છેક – દક્ષ, પ્રાપ્તાર્થ – યાવત્ – ઉપદેશલબ્ધ પુરુષ હતો, તેણે પોતાના સાથીને કહ્યું– – - - હે દેવાનુપ્રિયો ! તમે લોકો જાઓ અને સ્નાન આદિ કરીને શીઘ્ર આવો. ત્યાં સુધી હું ભોજન તૈયાર કરું છું. એમ કહીને તેણે કમર બાંધી. કુહાડી લીધી. બાણ બનાવ્યું, તેનાથી અરણિકાષ્ઠને ઘસ્યું, આગ પ્રગટી, તેને ફૂંકી, પછી તે પુરુષો માટે વિપુલ અશનાદિ બનાવ્યા. તેટલામાં બીજા લોકો સ્નાન કરીને પછી ભોજન બનાવનાર પાસે આવ્યા. ત્યારે તે પુરુષે બધાં સાથીઓને ભોજન પીરસ્યું. ત્યારે તે પુરુષો – યાવત્ – ભોજનનો સ્વાદ લેતા – યાવત્ — વિચરવા લાગ્યા. ભોજન કરીને આચમન આદિ કરીને પોતાના પહેલા સાથીને આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપ્રિય ! તું જડ, મૂઢ, અપંડિત, નિર્વિજ્ઞાન, અનુપદેશલબ્ધ છો, જે તેં કાષ્ઠના ટુકડાઓમાં અગ્નિ જોવા પ્રયત્ન કર્યો. ૨૪૬ હે પ્રદેશી ! તારી આ પ્રવૃત્તિ જોઈને મેં કહ્યું કે તું તે તુચ્છ કઠિયારાથી પણ અધિક મૂઢ છે, જે શરીરના ટુકડા કરીને જીવને જોવા ઇચ્છે છે. ૦ કેશીકુમાર પ્રદેશી રાજાને નિર્દેશેલ વ્યવહારિત્વ :– ત્યારપછી પ્રદેશી રાજાએ કેશીકુમાર શ્રમણને આ પ્રમાણે કહ્યું, આપ જેવા છેક, દક્ષ, બુદ્ધ, કુશલ, મહામતિ, વિનીત, વિજ્ઞાનપ્રાપ્ત, ઉપદેશલબ્ધ પુરુષને આ વિશાળ પર્ષદા વચ્ચે મારે માટે આવા અશિષ્ટ જનોચિત નિષ્ઠુર આક્રોશપૂર્ણ શબ્દપ્રયોગ, નિર્ભર્ત્યના, અવહેલના વાક્યો કહેવા યોગ્ય છે ? ત્યારે કેશી—કુમાર શ્રમણે પ્રદેશી રાજાને આમ કહ્યું, હે પ્રદેશી ! તું જાણે છે કે પર્ષદા કેટલા પ્રકારે છે ? હાં, ભદંત ! જાણું છું, પર્ષદા ચાર છે ક્ષત્રિય, ગાથાપતિ, માહણ અને ઋષિ પર્ષદા. હે પ્રદેશી ! તું એ પણ જાણે છે કે આ ચાર પર્ષદામાંથી તેના તેના અપરાધીઓને માટે શું દંડનીતિ બતાવી છે ? હે ભદંત ! જાણું છું. જે ક્ષત્રિય પર્ષદાનો અપરાધ કરે છે તેના હાથ કે પગ કે મસ્તક કાપી નંખાય છે, તેને શૂળીએ ચઢાવાય છે અથવા એક જ પ્રહારથી તેને જીવનથી રહિત કરી દેવાય છે. જે ગાથાપતિ પર્ષદાનો અપરાધ કરે છે તેને ઘાસ કે પાંદડા કે પલાલમાં લપેટીને આગમાં ફેંકી દેવામાં આવે છે. અમણામ જે માહણ પર્ષદાનો અપરાધ કરે છે તેને અનિષ્ટ, અપ્રિય – યાવત્ શબ્દોથી ઉપાલંભ આપીને અગ્નિતપ્ત લોહથી કુંડિકા અથવા કુતરાના ચિન્હથી લાંછિત કરાય છે અથવા દેશનિકાલ કરાય છે. જે ઋષિપર્ષદાનો અપરાધ કરે છે તેને અતિ અનિષ્ટ નહીં Jain Education International For Private & Personal Use Only - યાવત્ -- BOD અતિ www.jainelibrary.org
SR No.005012
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy