________________
શ્રાવક કથા
૨૪૫
મૃતાવસ્થામાં વજનમાં કોઈ ભેદ–લઘુતા ન થઈ. માટે તું શ્રદ્ધા કર કે જીવ અને શરીર ભિન્ન છે, પણ એક નથી ૦ જીવના આદર્શનીયપણાનું નિરૂપણ :
ત્યારે પ્રદેશી રાજાએ કેશી-કુમાર શ્રમણને આ પ્રમાણે કહ્યું, હે ભદંત ! આ તો માત્ર ઉપમા છે, તેથી જીવ અને શરીર ભિન્ન સાબિત થતા નથી. કેમકે હે ભદંત ! કોઈ વખતે હું બેઠો હતો – યાવત્ – ચોરને પકડીને લાવ્યા. ત્યારે મેં તે પુરુષને ચારે તરફથી જોયો, તેમાં ક્યાંય જીવ ન દેખાયો. પછી મેં તેના બે ટુકડા કર્યા. ફરી ચારે તરફથી તપાસ્યો, તો પણ કયાંય જીવને ન જોયો. પછી ત્રણ, ચાર – યાવત્ – સંખ્યાત ટુકડા કર્યા. તો પણ મેં કયાંય જીવને ન જોયો. જ્યારે મેં તેના આટલા ટુકડા કર્યા પછી પણ
ક્યાંય જીવને ન જોયો, તો હું કેમ શ્રદ્ધા કરું કે જીવ અન્ય છે અને શરીર અન્ય છે ? પણ હે ભદંત ! મેં જીવને જોયો નથી માટે મારી આ માન્યતા સુપ્રતિષ્ઠ છે કે, જે જીવ છે તે જ શરીર છે, શરીર છે તે જ જીવ છે.
ત્યારે કેશીકુમાર શ્રમણે પ્રદેશી રાજાને કહ્યું, હે પ્રદેશી ! તું તેં તુચ્છતર (કઠિયારાથી પણ) અધિક મૂઢ જણાય છે.
હે ભદંત ! તે તુચ્છતર (કઠિયારો) કોણ છે ?
હે પ્રદેશી ! જેમ કેટલાંક પુરુષ વનમાં રહેનારા, વનથી આજીવિકા કમાનાર, વનોત્પન્ન વસ્તુ શોધવા આગ અને અંગીઠી લઈને લાકડીના વનમાં પ્રવિષ્ટ થયો. ત્યારપછી તે પુરુષોએ ગામથી દૂર – યાવત્ - વનમાં કોઈ પ્રદેશમાં પહોંચીને પોતાની સાથેના એક પુરુષને આ પ્રમાણે કહ્યું
હે દેવાનુપ્રિય! અમે આ લાકડીના વનમાં જઈએ છીએ. તું અહીં અંગીઠીથી આગ લઈને અમારે માટે ભોજન તૈયાર કરજે. જો અંગીઠીમાં આગ બુઝાઈ ગઈ હોય તો તે આ લાકડીથી આગ લઈને ભોજન બનાવજે. એમ કહીને તેઓ વનમાં ગયા. તેમના ગયા પછી કેટલાંક સમયે તે પુરુષે વિચાર્યું કે, હવે હું તે લોકો માટે ભોજન બનાવું. તેણે અંગીઠીમાં આગ બુઝેલી જોઈ. ત્યારપછી તે પુરુષે કાષ્ઠ ઉપાડી, ચારે તરફથી જોયું. પણ તેમાં ક્યાંય આગ ન જોઈ.
ત્યારે તે પુરુષે કમર બાંધી. કુહાડી વડે તે લાકડાના બે ટુકડા કરીને ચારે તરફથી જોયું, પણ તેમાં ક્યાય આગ ન જોઈ. એ પ્રમાણે ત્રણ, ચાર – યાવત્ – સંખ્યાત ટુકડા કર્યા, તેને સારી રીતે તપાસ્યા, પણ તેમાં ક્યાંય આગ ન જોઈ. જ્યારે તે પુરુષે સંખ્યાત ટુકડા કર્યા પછી પણ તેમાં આગ ન જોઈ ત્યારે તે શ્રાંત, કુલાંત, ખિન્ન અને દુઃખિત થઈ ગયો. પછી તે બોલ્યો
અરે હું તે લોકો માટે ભોજન તૈયાર ન કરી શક્યો, આમ વિચારીને નિરાશ, ચિંતિત, શોકાતુર થઈને હથેળી પર મુખ રાખીને આર્તધ્યાનપૂર્વક જમીનમાં દૃષ્ટિ રાખી ચિંતામાં ડૂબી ગયો. લાકડી કાપીને લોકો પાછા આવ્યા. તેને – ચાવતું – ચિંતાગ્રસ્ત જોઈને પૂછયું – હે દેવાનુપ્રિય ! તું નિરાશ, દુઃખી – યાવત્ – ચિંતામાં કેમ ડૂબેલો છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org