________________
આગમ કથાનુયોગ–૫
શ્રદ્ધા કરત કે જીવ અને શરીર ભિન્ન છે. પણ હે ભદંત ! જો તે પુરુષ લોહ આદિ ભાર ન ઉઠાવી શકે તો મારી આ માન્યતા યોગ્ય જ છે કે જીવ અને શરીર ભિન્ન નથી – એક જ છે.
૨૪૪
ત્યારે કેશી—કુમાર શ્રમણે પ્રદેશી રાજાને આ પ્રમાણે કહ્યું, જેમ કોઈ તરુણ – યાવત્ – કાર્યકુશળ પુરુષ નવીન કાવડથી, દોરડાના બનેલ સીક્કાથી, નવી ટોકરીથી એક ઘણાં વજનદાર લોડભારને યાવતુ વહન કરવામાં સમર્થ બને કે નહીં ?
--
હે ભદંત ! તે સમર્થ છે.
હે પ્રદેશી ! જો તરુણ યાવત્ – કાર્યકુશળ પુરુષ સડેલી, કમજોર, ધુણો ખાધેલી કાવડથી, જીર્ણ, શીર્ણ, ઢીલા સીક્કાથી અને પુરાણા કમજોર ટોકરાથી એક ભારે વજનદાર લોહભાર આદિ લઈ જવા સમર્થ છે ?
-
-
હે ભદંત ! આ વાત શક્ય નથી.
હે પ્રદેશી ! આ વાત કેમ શક્ય નથી ?
હે ભદંત ! તે પુરુષ પાસે ભાર વહન કરવાના ઉપકરણ જીર્ણ—શીર્ણ છે.
હે પ્રદેશી ! આ જ પ્રકારે તે પુરુષ જીર્ણ, શીર્ણ – યાવત્ – કુલાંત શરીરાદિ ઉપકરણોવાળો હોવાથી એક ભારે વજનદાર લોહભારને – યાવત્ – ઉઠાવવા સમર્થ નથી. તેથી હે પ્રદેશી ! તું શ્રદ્ધા કર કે જીવ અન્ય છે – શરીર અન્ય છે. ૦ જીવના અગુરુલઘુત્વ સંબંધી નિવેદન :–
ત્યારે તે પ્રદેશી રાજાએ કેશીકુમાર શ્રમણને આ પ્રમાણે કહ્યું, હે ભદંત ! આ તો આપની બુદ્ધિ કલ્પિત ઉપમા માત્ર છે. તેનાથી જીવ અને શરીરની ભિન્નતા સિદ્ધ થતી નથી. પણ જે કારણ હું બતાવું છું તેથી સિદ્ધ થાય છે કે જીવ અને શરીર એક જ છે. તે આ પ્રમાણે–
હે ભદંત ! હું ગણનાયક આદિની સાથે બાહ્ય ઉપસ્થાનશાળામાં બેઠો હતો. તે સમયે મારો નગરરક્ષક એક ચોરને પકડીને લાવ્યો. મેં તેનું વજન જીવતો હતો ત્યારે કર્યું. પછી તેના અંગભંગ કર્યા વિના મારી નાંખ્યો. ફરી વજન કર્યું. પણ તે પુરુષનું વજન પહેલાં કે પછી સરખું જ હતું. તેનું વજન વધ્યું કે ઘટ્યું નહીં. તેથી હે ભદંત ! જો તેના વજનમાં જીવતા કે મૃત્યુ પછી ફર્ક પડેલ હોત તો હું શ્રદ્ધા કરત કે જીવ અન્ય છે અને શરીર અન્ય છે. પણ જીવ અને શરીર એક છે, તે મારી ધારણા સુપ્રતિષ્ઠ છે કેમકે તેનું વજન બંને અવસ્થામાં સરખું જ હતું.
ત્યારે કેશીકુમાર શ્રમણે પ્રદેશી રાજાને આ પ્રમાણે કહ્યું, હે પ્રદેશી ! તેં કદી મશકમાં હવા ભરી કે ભરાવી છે ?
હે ભદંત ! હાં, ભરાવેલ છે.
હે પ્રદેશી ! તને તે મશક ખાલી હતી ત્યારે અને હવા ભર્યા પછી તે બંનેના
Jain Education International
વજનમાં કોઈ ફર્ક જાણ્યો ? યાવત્ – લઘુતા માલૂમ પડી ?
હે ભદંત ! આ અર્થ સમર્થ નથી. (તેનું વજન સરખું જ રહ્યું.)
હે પ્રદેશી ! આ જ પ્રકારે જીવનું અગુરુલઘુત્વ સમજીને ચોરના જીવિત કે
For Private & Personal Use Only
www.jainelibrary.org