________________
૨૪૦
હે પ્રદેશી ! તું તેની વિનંતીનો સ્વીકાર કેમ ન કરે ? હે ભદંત ! કેમકે તે પુરુષ મારો અપરાધી છે.
હે પ્રદેશી ! તો તારા દાદા, જે આ સેયવિયા નગરીમાં અધાર્મિક થાવત્ પ્રજાનું સારી રીતે પાલન કરતા ન હતા, તે પણ જો મનુષ્યલોકમાં આવવા ઇચ્છે કે જેના તું ઇષ્ટ, કાંત – યાવત્ – પૌત્ર છે તો પણ તે આવી શકવા સમર્થ નથી. હે પ્રદેશી નરકમાં તત્કાળ નૈરયિક રૂપે ઉત્પન્ન જીવ આ ચાર કારણોથી મનુષ્ય લોકમાં આવી શકતો નથી.-૧. નરકમાં તત્કાળ ઉત્પન્ન નૈરયિક ત્યાંની તીવ્ર વેદના વેદતો જલ્દીથી મનુષ્યલોકમાં આવવા ઇચ્છે તો પણ કર્તવ્યમૂઢ થઈ આવી શકતો નથી.
૨. નરકમાં તત્કાળ ઉત્પન્ન નૈરયિક જીવ નરકપાલો દ્વારા વારંવાર તાડિત કરાવાથી ગભરાઈને પણ ઇચ્છા છતાં મનુષ્યલોકમાં આવી શકતો નથી.
૩. નરકમાં તત્કાળ ઉત્પન્ન નૈરયિક મનુષ્યલોકમાં આવવા ઇચ્છે તો પણ કર્મનો ક્ષય, વેદન, નિર્જરા ન થઈ હોવાથી તત્કાળ આવી શકતો નથી.
આગમ કથાનુયોગ–૫
૪. નરકાયુષુ કર્મનો ક્ષય, વેદન, નિર્જિર્ણ ન થયું હોવાથી તે નૈરયિક ઇચ્છા હોવા છતાં મનુષ્યલોકમાં આવી શકતો નથી.
આ ચાર કારણે હે પ્રદેશી ! નરકમાં તત્કાળ નૈરયિક રૂપે ઉત્પન્ન જીવ જલ્દીથી મનુષ્યલોકમાં આવવા ઇચ્છે તો પણ આવી શકતો નથી. તેથી હે પ્રદેશી ! તું આ વાતની શ્રદ્ધા કર કે જીવ અને શરીર અન્ય છે.
-
-
૦ દેવના મનુષ્યલોકાગમન નિષેધના કારણો :
ત્યારે તે પ્રદેશી રાજાએ કેશીકુમાર શ્રમણને આ પ્રમાણે કહ્યું, હે ભદંત ! આ તો આપની બુદ્ધિ કલ્પિત ઉપમા છે કે આવા કારણોથી મારા દાદા નરકથી આવી શકતા નથી. પરંતુ મારા દાદી જે આ સેયવિયા નગરીમાં ધાર્મિક – યાવત્ – વૃત્તિયુક્ત શ્રમણોપાસિકા હતા, જીવાજીવના જ્ઞાતા હતા – યાવત્ – આત્માને ભાવિત કરતા વિચરતા હતા. આપના કથનાનુસાર તેણી પુણ્ય ઉપાર્જન કરીને, મૃત્યુ પામીને કોઈ એક દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થઈ છે. હું તેનો ઇષ્ટ, કાંત યાવત્ – પૌત્ર છું. જો તે દાદી અહીં આવીને મને કહે કે, હે પૌત્ર ! હું તારી દાદી આ સેયવિયા નગરીમાં ધાર્મિક જીવન જીવતી યાવત્ શ્રમણોપાસિકા હતી. મેં ઘણું પુણ્ય ઉપાર્જન કર્યું – યાવત્ – દેવલોકે ઉત્પન્ન થઈ છું,
-
-
માટે હે પૌત્ર ! તું પણ – યાવત્ – ધાર્મિક જીવન વ્યતીત કર, જેથી ઘણું પુણ્ય ઉપાર્જન કરીને - યાવત્ દેવલોકમાં ઉત્પન્ન થઈશ.
મારા દાદી આવીને આ પ્રમાણે કહે તો હે ભદંત ! હું માનુ કે જીવ અન્ય છે અને શરીર અન્ય છે. પણ તે બંને એક નથી. પણ મારા દાદી આવીને મને આમ કહેતા નથી, ત્યાં સુધી મારી આ ધારણા સુપ્રતિષ્ઠિત છે કે, જે જીવ છે તે જ શરીર છે, બંને જુદા નથી.
Jain Education International
ત્યારે કેશી–કુમાર શ્રમણે પ્રદેશી રાજાને આ પ્રમાણે કહ્યું કે, હે પ્રદેશી ! સ્નાન કરી, બલિકર્મ કરી, કૌતુક, મંગલ, પ્રાયશ્ચિત્ત કરી, ભીનું વસ્ત્ર પહેરી, હાથમાં ભંગાર તથા ધૂપદાન લઈને દેવકુળમાં પ્રવિષ્ટ થતી વખતે કોઈ પુરુષ વિષ્ટાગૃહમાં ઊભો રહીને કહે કે
For Private & Personal Use Only
www.jainelibrary.org