________________
શ્રાવક કથા
૨૩૯
પ્રતિજ્ઞા, દૃષ્ટિ, રુચિ, હેતુ, ઉપદેશ, સંકલ્પ, તુલા, માન, પ્રમાણ કે સમોસરણ છે કે જીવ અને શરીર જુદા છે ? જે જીવ છે તે શરીર નથી ?
ત્યારે કેશીકુમાર શ્રમણે પ્રદેશી રાજાને આ પ્રમાણે કહ્યું, હે પ્રદેશી ! શ્રમણ નિગ્રંથોની આ સંજ્ઞા – યાવત્ – સમોસરણ છે કે જે જીવ છે તે શરીર નથી, જીવ અને શરીર જુદા છે.
ત્યારે તે પ્રદેશી રાજાએ કેશીકુમાર શ્રમણને આ પ્રમાણે કહ્યું, હે ભદંત ! જો આપ એમ કહો છો કે જીવ અને શરીર ભિન્ન છે. તો આ જ જંબુદ્વીપની સેયવિયા નગરીમાં મારા દાદા હતા – જે – અધાર્મિક – યાવત્ – પ્રજાનું યોગ્ય રીતે પાલન કરતા ન હતા. આપના કથનાનુસાર તો તે ઘણાં જ પાપકર્મોનું ઉપાર્જન કરીને, મૃત્યુ બાદ નરકમાં ઉત્પન્ન થયા હોય.
તે દાદાનો હું ઇષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ, મણામ, વૈર્ય અને વિશ્રામસ્થાન રૂપ, સંમત, બહુમત, અનુમત, રત્નકરંડકસમાન, જીવનશ્વાસ સમ, હૃદયને આનંદ આપનાર, ઉંબર પુષ્પ સમ દુર્લભ નામ શ્રવણવાળો એવો પૌત્ર હતો. તેથી જો મારા દાદા આવીને મને કહે કે, હે પૌત્ર ! હું તારો દાદો આ સેવિયા નગરમાં અધાર્મિક – યાવત્ – પ્રજાનું પાલન ન કરતો હોવાથી અતિ પાપકર્મ ઉપાર્જન કરીને નરકે ઉત્પન્ન થયો છું, માટે હે પુત્ર! તું અધાર્મિક ન થતો – યાવત્ અનેક પાપકર્મોનો સંચય ન કરતો
જો મારા દાદા મને આવીને આમ કહે તો હું આપના કથનની શ્રદ્ધા કરું, પ્રતીતિ કરું, રુચિ કરું કે જીવ અને શરીર જુદા છે પણ એક નથી. પણ જ્યાં સુધી મારા દાદા આવીને ન કહે ત્યાં સુધી હે આયુષ્યમ– શ્રમણ ! મારી આ ધારણા સુપ્રતિષ્ઠિત છે કે – જીવ અને શરીર એક જ છે.
ત્યારે કેશી શ્રમણે કહ્યું કે, હે પ્રદેશી ! તારે સૂર્યકાન્તા રાણી છે ? હા, ભદંત ! છે.
હે પ્રદેશી ! જો તું તે સૂર્યકાંતાદેવીને, સ્નાન કરીને – યાવત્ – સર્વ અલંકારોથી શરીરને વિભૂષિત કરીને, અન્ય કોઈ સર્વાલંકાર વિભૂષિત પુરુષ સાથે ઇષ્ટ શબ્દ, રસ, ગંધ, રૂપ, સ્પર્શ મૂલક પાંચ પ્રકારના મનુષ્ય સંબંધી કામભોગોનો અનુભવ કરતો જુએ તો હે પ્રદેશી ! તું તે પુરુષને કયો દંડ આપીશ?
હે ભદંત ! હું તે પુરુષના હાથ–પગ કાપી નાંખુ, શૂળીએ ચઢાવું, કાંટાથી ભેદી નાંખ્યું કે એક જ પ્રહારથી તેને જીવનરહિત કરી દઉં.
હે પ્રદેશી ! જો તે પુરુષ તને એમ કહે કે, હે સ્વામી! થોડા સમય માટે તમે મારા હાથ–પગ ન કાપો – યાવત્ – જીવનરહિત ન કરો, ત્યાં સુધીમાં હું મારા મિત્ર, જ્ઞાતિજન, નિજક, સ્વજન, સંબંધી, પરિજનને એમ કહી દઉં કે, હે દેવાનુપ્રિયો ! પાપકર્મના આચરણનું આવું ફળ મળે છે માટે તમે કોઈ પાપકર્મ આચરશો નહીં કે જેથી તમારે આવો દંડ ભોગવવો ન પડે. જે હું ભોગવી રહ્યો છું, તો હે પ્રદેશી ! તું પણ માત્ર માટે પણ તે વાત સ્વીકારીશ ?
હે ભદંત ! હું તેનો સ્વીકાર ન કરું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org