________________
શ્રાવક કથા
૨૩૧
જેથી આ અનેક ઉગ્રવંશીય, ભોગવંશીય – યાવત્ – જઈ રહ્યા છે. ત્યારે તે દ્વારપાળે કેશીકુમાર શ્રમણના આગમનને જાણીને બંને હાથ જોડી – યાવત્ ચિત્ત સારથીને આ પ્રમાણે કહ્યું–
હે દેવાનુપ્રિય ! આજે શ્રાવસ્તીમાં ઇન્દ્રમહોત્સવ – યાવત્ – સાગર મહોત્સવ નથી કે અનેક લોકો જઈ રહ્યા છે પણ હે દેવાનુપ્રિય ! આજે જાતિકુલ સંપન્ન આદિ ગુણવાળા પાર્થાપત્ય કેશીકુમાર શ્રમણ – યાવત્ – શ્રાવસ્તી નગરીમાં પધાર્યા છે. તેથી આ અનેક ઉગ્રવંશીય – યાવત્ – ઇભ્યપુત્ર વંદના આદિને માટે મોટા-મોટા સમુદાય સાથે પોતાના ઘેરથી નીકળી રહ્યા છે.
ત્યારે દ્વારપાળની આ વાત સાંભળીને અને અવધારીને તે ચિત્તસારથી હર્ષિત – થાવત્ – વિકસિત હૃદય થઈને કૌટુંબિક પુરુષોને બોલાવીને કહ્યું, હે દેવાનુપ્રિયો! જલ્દીથી ચાર ઘંટવાળા અક્ષરથને જોડીને લાવો.
ત્યારપછી તે ચિત્તસારથીએ સ્નાન કર્યું, સભા ઉચિત માંગલિક વસ્ત્રો પહેર્યા, અલ્પ પણ બહુમૂલ્ય આભૂષણોથી શરીર અલંકૃત્ય કર્યું. પછી ચતુર્ઘટ અશ્વરથ પર આરૂઢ થયો, કોરંટપુષ્પની માળાથી યુક્ત છત્ર ધારણ કરી, અનેક સુભટોના સમુદાય સાથે શ્રાવસ્તીના મધ્ય ભાગથી નીકળી, કોષ્ટક ચૈત્યમાં કેશી–કુમાર શ્રમણ પાસે પહોંચ્યો.
ત્યાં પહોંચીને કુમારશ્રમણથી થોડે દૂર ઘોડાને રોકીને રથ ઊભો રાખ્યો. રથથી નીચે ઉતર્યો. કેશી—કુમારશ્રમણને ત્રણ વખત આદક્ષિણ–પ્રદક્ષિણા કરી. વંદન–નમસ્કાર કર્યા. યથોચિત સ્થાને ધર્મશ્રવણ કરવા માટે નમન કરતો, સન્મુખ બેસીને વિનયપૂર્વક અંજલિ કરીને પર્યાપાસના કરવા લાગ્યો.
ત્યારપછી કેશી, કુમારશ્રમણે તે ચિત્તસારથી અને અતિ વિશાલ પર્ષદાને ચતુર્યામ ધર્મ કહ્યો – તે આ પ્રમાણે – સમસ્ત પ્રાણાતિપાત વિરમણ, સમસ્ત મૃષાવાદ વિરમણ, સમસ્ત અદત્તાદાન વિરમણ, સમસ્ત બહિદ્વાદાન વિરમણ, ત્યારપછી તે અતિ વિશાળ પર્મદા કેશીકુમારશ્રમણ પાસેથી ધર્મ સાંભળી, અવધારીને પાછી ફરી.
ત્યારે તે ચિત્ત સારથી કેશી કુમારશ્રમણ પાસે ધર્મ સાંભળી, હૃદયમાં અવધારીને પોતાના આસનેથી ઉઠયો. કેશીકુમારશ્રમણને ત્રણ વખત આદક્ષિણ-પ્રદક્ષિણા કરી, વંદન-નમસ્કાર કર્યા, પછી કહ્યું – હે ભદંત ! મને નિગ્રંથ પ્રવચનમાં શ્રદ્ધા છે – યાવતુ – તે સત્ય છે, જે આપ કહો છો, એમ કહીને વંદન–નમસ્કાર કર્યા પછી આ પ્રમાણે
કહ્યું
હે દેવાનુપ્રિય ! જે રીતે આપની પાસે અનેક ઉગ્રવંશીય – યાવત્ – ઇ પુત્ર સોના, ચાંદી, ધન, ધાન્ય, બળ, વાહન, કોશ, કોઠાગાર ઇત્યાદિનો ત્યાગ કરીને ગૃહવાસનો ત્યાગ કરી અનગાર ધર્મમાં પ્રવ્રજિત થયા છે, તે રીતે હું પ્રવ્રજિત થવામાં સમર્થ નથી, તેથી હે દેવાનુપ્રિય! હું આપની પાસે પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રતયુક્ત બાર પ્રકારે શ્રાવકધર્મ અંગીકાર કરવા ઇચ્છું છું.
હે દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ કરો, પણ વિલંબ ન કરો. ત્યારે ચિત્ત સારથીએ કેશીકુમાર શ્રમણ પાસે શ્રાવકધર્મ અંગીકાર કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org