________________
૨૨૬
આગમ કથાનુયોગ-૫
હતી, ત્યાં પૂર્વવત્ પૂજા કરી. એ જ પ્રમાણે ઉત્તર દિશાવ – પૂર્વ દિશાવર્તી દક્ષિણ સ્તંભપંક્તિ માટે એ જ પ્રમાણે પૂજા આદિ કર્યા.
પછી ઉત્તર દિશાના મુખમંડપના બહુમધ્યદેશ ભાગે આવીને પૂર્વવત્ પ્રમાર્જનાદિ કર્યા, એ જ પ્રમાણે પશ્ચિમી – ઉત્તરી કાર તથા દક્ષિણ દિશા સ્થિત સ્તંભ પંક્તિ પાસે આવીને પૂર્વવત્ પ્રમાર્જનાદિ કર્યા. પછી સિદ્વાયતનના ઉત્તરી વારે આવીને પ્રમાર્જનાદિ કર્યા. પછી સિદ્ધાયતનના પૂર્વ ધારે પૂર્વવત્ કાર્યો કર્યા.
ત્યારપછી જ્યાં પૂર્વ દિશાનો મુખમંડપનો, અતિ મધ્યદેશ ભાગ હતો, ત્યાં આવ્યો. આવીને પ્રમાર્જનાદિ પૂર્વવત્ કાર્યો કર્યા. પછી તેના દક્ષિણી ભાગે અને પશ્ચિમી દિશાની સ્તંભપંક્તિ હતી ત્યાં આવ્યો, પછી ઉત્તર દિશાના દ્વારે આવ્યો અને પૂર્વવત્ પ્રમાર્જનાદિ કર્યા. આ જ પ્રકારે પૂર્વ દિશાના દ્વારે આવી પૂર્વવત્ સર્વ કાર્યો કર્યા.
ત્યારપછી પૂર્વ દિશાના પ્રેક્ષાગૃહ મંડપમાં આવ્યો અને ત્યાં આવીને અક્ષપાટક આદિનું પ્રમાર્જન કર્યા, ધૂપ ઉવેખ્યો આદિ, પછી ક્રમશઃ એ જ પ્રકારે સ્તૂપની, જિનપ્રતિમાઓની, ચૈત્યવૃક્ષની, મહેન્દ્રધ્વજની, નંદાપુષ્કરિણીની, ત્રિસોપાન પંક્તિ આદિની પ્રમાર્જના કરવાથી લઈને ધૂપક્ષેપ પર્વતના સર્વે કાર્યો કર્યા.
ત્યારપછી જ્યાં સુધર્માસભા હતી ત્યાં આવ્યો, આવીને પૂર્વ દિશાવર્તી હારથી સુધર્મા સભામાં પ્રવેશ્યો, જ્યાં માણવક ચૈત્યસ્તંભ હતો, તેમાં જ્યાં વજય ગોળ સમુદ્ગક રાખેલ, ત્યાં આવીને મોરપીંછી લીધી. તેનાથી વજય ગોળ સમુદ્ગકને પ્રમાર્જિત કર્યા. પછી તે સમુક ખોલ્યા, તેમાં રાખેલ જિન અસ્થિઓને લોમહસ્તકથી પ્રમાર્જિત કર્યા. પછી સુગંધિત ગંધોદકથી પ્રક્ષાલન કર્યું, સર્વોત્તમ શ્રેષ્ઠ ગંધ અને પુષ્પો અને માળાઓથી અર્ચના કરી, ધૂપક્ષેપ કર્યો. પછી તે જિનઅસ્થિઓને તે જ વિજય ગોલ સમુદ્રકોમાં બંધ કરીને રાખ્યા. રાખીને મોરપીંછીથી માણવક ચૈત્ય સ્તંભ પ્રમાર્જિત કર્યા – યાવત્ – ધૂપક્ષેપ કર્યો.
ત્યારપછી જ્યાં સિંહાસન હતું, ત્યાં આવ્યો પૂર્વવત્ પૂજા કરી, પછી દેવ શય્યા પાસે આવીને પ્રમાર્જનાદિ કર્યા પછી મહેન્દ્રધ્વજ પાસે આવી પ્રમાર્જનાદિ કર્યા. પછી ચૌપાલ નામક પ્રહરણકોશમાં આવ્યો, લોમહસ્તક લઈને પ્રહરણ કોશ પ્રમાર્જિત કરી – યાવત્ – ધૂપક્ષેપ કર્યો. પછી સુધર્માસભાના અતિ મધ્ય ભાગમાં દેવશય્યા અને મણિપીઠિકાને પ્રમાર્જનાદિ કર્યા, પછી ઉપપાત સભાના દક્ષિણ દ્વારે આવ્યો, ત્યાં આવીને અભિષેકસભાની માફક અહીં પણ પ્રમાર્જનાદિ કાર્યો કર્યા. પછી હુદે આવી તોરણ, ત્રિસોપાન, કાષ્ઠ પુતળી અને વાલરૂપોની પ્રમાર્જનાદિ કરી.
ત્યાંથી જ્યાં અભિષેકસભા હતી ત્યાં આવ્યો. પૂર્વવત્ પ્રમાર્જનાદિ કર્યા. ત્યારપછી સિદ્ધાયતન સમાન પૂર્વ દિશાવર્ત નંદાપુષ્કરિણી પર્યત ધૂપક્ષપાદિ પર્યત સર્વ કાર્ય સંપન્ન કર્યા. પછી અલંકારસભામાં એ જ પ્રમાણે પ્રમાર્જનાદિ કર્યા. પછી વ્યવસાય- સભામાં આવી મોરપીંછીથી પુસ્તકરત્ન પ્રમાર્જન કર્યું – યાવત્ – ધૂપપાદિ કાર્યો કર્યા. પછી પૂર્વ દિશાવર્ત નંદાપુષ્કરિણીના હૃદમાં તોરણ, ટિસોપાન પંક્તિ, કાષ્ઠપુતળી, વાલરૂપોની પ્રમાર્જનાદિ કર્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org