________________
શ્રાવક કથા
૨૨૫
પછી તે દક્ષિણ દિશાવર્તી મુખમંડપના પશ્ચિમી દ્વારે આવ્યો. મયૂરપિચ્છ લીધું. દ્વાર ચેટિકા, પુતળીઓ, વ્યાલરૂપો પ્રમાર્જિત કર્યા. દિવ્ય જલધારાથી સીંચ્યો – ચાવતું – ધૂપ ઉવેખ્યો, પુષ્પ ચઢાવ્યા – યાવત્ – આભૂષણ ચઢાવ્યા – યાવત્ – ધૂપ ઉવેખ્યો.
તે દક્ષિણ દિશાના મુખમંડપથી ઉત્તર દિશાવર્તી સ્તંભપંક્તિ હતી ત્યાં આવ્યો. મયૂરપિચ્છ ઉઠાવી, ધાર ચેટિકાઓ, પુતળીઓ, વાલરૂપોને પ્રમાર્જિત કર્યા – યાવત્ કચગ્રાવતું મુક્ત કરેલ પુષ્પjજો મંડિત કરીને, ધૂપ ઉવેખ્યો.
પછી દક્ષિણ દિશાવર્તી મુખમંડપનું જ્યાં પૂર્વ દિશાવર્તી હાર હતું ત્યાં આવ્યો. આવીને મોરપીંછી લીધી, કાર ચેટિકા આદિ પ્રમાર્જિત કર્યા ઇત્યાદ પૂર્વવતું.
પછી તે દક્ષિણ દિશાવર્ત મુખમંડપના દક્ષિણ દ્વારે આવ્યો, આવીને હાર ચેટિકા આદિ મોરપીંછીથી પ્રમાર્જિત કર્યા, ઇત્યાદિ વર્ણન પૂર્વવતું.
ત્યારપછી જ્યાં દક્ષિણી પ્રેક્ષાગૃહ મંડપ હતું, તેનો અતિમધ્યદેશ ભાગ હતો, ત્યાં આવ્યો. તેમાં પણ વજરત્નમય અક્ષપાટ હતો, મણિપીઠિકા હતી, સિંહાસન હતું ત્યાં આવ્યો, મોરપીંછી લીધી, તેનાથી અક્ષપાટ, મણિપીઠિકા અને સિંહાસન પ્રમાર્જિત કર્યું, દિવ્ય જલધારાથી સીંચ્ય, સરસગોશીષ ચંદનથી ચર્ચિત કર્યું, ધૂપક્ષેપ કર્યો. પુષ્પ ચઢાવ્યા, લાંબી લાંબી ગોળ માળા લટકાવી, ધૂપ ઉવેખ્યો.
પછી દક્ષિણી પ્રેક્ષાગૃહ મંડપના પશ્ચિમ દિશાવર્તી દ્વારે, ઉત્તર દિશા તારે, પૂર્વ દિશા દ્વારે અને દક્ષિણ દિશા દ્વારે મયૂર પીંછી લઈ પ્રમાર્જનાદિ કર્યા ઇત્યાદિ વર્ણન પૂર્વવત્ જાણવું. ત્યાંથી દક્ષિણ દિશાના ચૈત્યસ્તૂપે આવ્યો. સ્તૂપ મણિપીઠિકાને દિવ્ય જલધારાથી અભિસિંચિત્ કર્યા. સરસ ગોશીષ ચંદનથી ચર્ચિત કર્યા, ધૂપ ઉવેખ્યો, પુષ્પ ચઢાવ્યા, માળા લટકાવી – યાવત્ – ધૂપ ઉવેખ્યો.
ત્યાંથી પશ્ચિમદિશાની મણિપીઠિકા હતી, પશ્ચિમ દિશાસ્થિત જિનપ્રતિમા હતી ત્યાં પૂર્વવત્ જલસિંચનથી ધૂપ પ્રક્ષેપ સુધી સર્વ કાર્યો કર્યા.
ત્યારપછી જ્યાં ઉત્તર દિશાની મણિપીઠિકા હતી, ઉત્તર દિશા સ્થિત જિનપ્રતિમા હતી ત્યાં પૂર્વવત્ સર્વે કાર્યો કર્યા. આ જ પ્રમાણે પૂર્વ દિશાવર્તી અને દક્ષિણ દિશાવર્તી જિનપ્રતિમા હતી ત્યાં પણ પૂર્વવત્ કાર્ય કર્યા.
ત્યારપછી જ્યાં દક્ષિણ દિશાવર્તી ચૈત્યવૃક્ષ હતું ત્યાં આવીને પણ તેણે પૂર્વવત્ જલપ્રક્ષેપ આદિ સર્વે કાર્યો કર્યા.
પછી જ્યાં મહેન્દ્રધ્વજ હતો, જ્યાં દક્ષિણ દિશાની નંદાપુષ્કરિણી હતી, ત્યાં આવ્યો. મોરપીંછી લીધી, તોરણ, ત્રિસોપાનક પંક્તિ, પૂતળીઓ, વ્યાલરૂપોને મોરપીંછીથી પ્રમાર્જિત કર્યા, દિવ્ય જલધારાથી સીંચ્યા – યાવત્ – ધૂપ ઉવેખ્યો. પછી સિદ્ધાયતનની અનુપ્રદક્ષિણા કરી, ત્યાંથી ઉત્તર દિશાવર્તી નંદાપુષ્કરિણી હતી ત્યાં આવીને પૂર્વવત્ જલસિંચનાદિ કર્યા. ત્યાંથી ઉત્તર દિશાવર્તી ચૈત્યવૃક્ષ હતું ત્યાં આવ્યો, દક્ષિણ દિશાવર્તી ચૈત્યસ્તૂપવત્ સર્વ કાર્ય કર્યા.
પછી જ્યાં પશ્ચિમ દિશાવર્તી મણિપીઠિકા હતી, પશ્ચિમ દિશા સ્થિત જિનપ્રતિમા
Jain
For Private & Personal Use Only
www.jainelibrary.org