________________
૨૨૪
આગમ કથાનુયોગ-૫
જિનપ્રતિમાઓ હતી ત્યાં આવ્યા. આવીને જિનપ્રતિમાને જોતા જ તેમને પ્રણામ કર્યા. પ્રણામ કરીને લોમમયી પ્રમાર્જની હાથમાં લીધી. જિનપ્રતિમા પ્રમાર્જિત કરી. પછી સુરભિગંધોદકથી તે પ્રતિમાઓનું પ્રક્ષાલન કર્યું. સરસ ગોશીષ ચંદનનો લેપ કર્યો. કાષાયિક સુરભિગંધથી સુવાસિત અંગ લુંછણાથી શરીર લુછયુ. લુંછીને તે જિનપ્રતિમાઓને અખંડ દેવદૂષ્ય યુગલ પહેરાવ્યા. પુષ્પ, માલા, ગંધ, ચૂર્ણ, વર્ણ, વસ્ત્ર અને આભૂષણ ચઢાવ્યા. લાંબી-લાંબી ગોળ માળા પહેરાવી. કેશ–પાશ સદેશ હાથમાં લઈને પંચરંગી પુષ્પો વિખેર્યા. મંડન કર્યા.
ત્યારપછી તે જિનપ્રતિમાઓ સન્મુખ શુભ-રજતમય અસતોથી આઠ–આઠ મંગલોનું આલેખન કર્યા. તે આ પ્રમાણે – સ્વસ્તિક – યાવત્ – દર્પણ. ત્યારપછી કાલોઅગર, શ્રેષ્ઠ કુંદરુષ્ક, તુરષ્ક અને ધૂપની મહેકતી સુગંધથી પ્રાપ્ત, મધમધાયમાન, ધૂપબત્ત સમાન ગંધને ફેલાવનાર ચંદ્રકાંતમણિ, વજરત્ન, વૈડૂર્યમણિની ડાંડી તથા સુવર્ણ, મણિરત્નોથી ચિત્રિત એવા વૈડૂર્યમય ધૂપદાનને લઈને ધૂપક્ષેપ કર્યો. પછી વિશુદ્ધ, શાસ્ત્રાનુકૂલ, અપૂર્વ અર્થ સંપન્ન, અપુનરુક્ત, મહિમાશાલી ૧૦૮ છંદોમાં સ્તુતિ કરી. સાત-આઠ કદમ પાછળ ખસ્યો. ડાબો ઘૂંટણ ઊંચો કર્યો, જમણો ઘૂંટણ જમીને ટેકાવ્યો. મસ્તકને ત્રણ વખત ભૂમિતલે લગાડ્યું. પછી કંઈક ઊંચુ કર્યું. બંને હાથ જોડી આવર્તપૂર્વક મસ્તકે અંજલિ કરી આ પ્રમાણે કહ્યું
અરિહંત ભગવંતોને નમસ્કાર થાઓ, આદિકર, તિર્થંકર, સ્વયંસંબુદ્ધ, પુરુષોત્તમ, પુરુષસિંહ, પુરુષવરપુંડરીક, પુરુષવરગંધહસ્તી, લોકોત્તમ, લોકનાથ, લોકહિતકર્તા, લોકપ્રદીપ, લોકપ્રદ્યોતકર, અભયદાતા, ચક્ષુદાતા, માર્ગદાતા, શરણદાતા, બોધિદાતા, ધર્મદાતા, ધર્મદેશક, ધર્મનાયક, ધર્મસારથી, ધર્મવરચાતુરંતચક્રવર્તી, અપ્રતિહત ઉત્તમ જ્ઞાનદર્શનધર, વિવૃત્તછ%, જિન, જિતાવનાર, તિર્ણ, તારક, બુદ્ધ, બોધક, મુક્ત, મોચક, સર્વજ્ઞ, સર્વદર્શી, શિવ અચલ અરુગ અનંત અક્ષય અવ્યાબાધ અપુનરાવૃત્તિરૂપ સિદ્ધિગતિ નામક સ્થાનમાં બિરાજમાન સિદ્ધ ભગવંતોને મારા નમસ્કાર થાઓ.
સિદ્ધ ભગવંતોને નમસ્કાર કરીને તે સૂર્યાભદેવ જ્યાં દેવછંદક હતું, સિદ્ધાયતનનો અતિ મધ્યદેશ ભાગ હતો ત્યાં આવ્યો. આવીને મયૂરપિચ્છ લીધી. સિદ્ધાયતનના અતિ મધ્યભાગ પ્રમાર્જિત કર્યો. પછી દિવ્ય જળધારાથી સીંચ્યો. સરસગોશીષ ચંદનના થાપા લગાવ્યા, મંડલ આલેખ્યું. કચગ્રહવત્ – યાવત્ – પુષ્પગુંજોપચાર કર્યો. પછી ધૂપ ઉવેખ્યો.
ત્યારપછી જ્યાં સિદ્ધાયતનનું દક્ષિણ દ્વાર હતું, ત્યાં આવ્યો. મયૂરપિચ્છ લીધું, દ્વારવેદિકા, કાષ્ઠપુતળીઓ અને વ્યાલરૂપોને પ્રમાર્જિત કર્યા. પછી દિવ્ય જળધારાથી સીંચ્યા. સરસગોશીષ ચંદનથી ચર્ચિત કર્યા, ધૂપક્ષેપ કર્યો. પુષ્પ ચઢાવ્યા, માળાઓ ચઢાવી – યાવત્ – આભૂષણ ચઢાવ્યા, માળા ચઢાવી – યાવત્ – ધૂપ ઉવેખ્યો.
પછી દક્ષિણ હારના મુખમંડપના અતિ મધ્યદેશ ભાગ હતો ત્યાં આવ્યો, મયૂર પિચ્છ લીધી, અતિ મધ્યભાગને પ્રમજ્યો, પ્રમાજિને દિવ્ય જળધારાથી સીંચ્યો. સીંચીને સરસ ગોશીષ ચંદનના થાપા લગાવ્યા – યાવત્ – ધૂપ ઉવેખ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org