________________
શ્રાવક કથા
ત્યારે સૂર્યાભદેવના સામાનિક પરિષદના દેવોએ તેમની સામે અલંકાર ભાંડ ઉપસ્થિત કર્યાં.
ત્યારપછી સર્વ પ્રથમ રોમયુક્ત સુકોમલ, કાષાયિક સુરભિગંધથી સુવાસિત વસ્ત્રથી શરીર લૂંછ્યુ. લુંછીને સરસ ગોશીર્ષ ચંદનથી વિલેપન કર્યું, અતિબારિક, નેત્રાકર્ષક, સુંદર વર્ણ અને સ્પર્શવાળા, ઘોડાની લારથી પણ કોમળ, ધવલ, સોનેરી વેલ અને બુટ્ટાવાળા, આકાશ અને સ્ફટિક મણિ જેવી પ્રભાવાળા દિવ્ય દેવદૂયુગલ પહેર્યા.
ત્યારપછી ગળામાં હાર, અર્ધહાર, એકાવલિ, મુક્તાવલિ, રત્નાવલિ પહેર્યા, ભુજાઓમાં અંગદ, કેયૂર, કડા, ત્રુટિત, કરધની, વીંટીઓ, વક્ષસૂત્ર, મુરવિ, કંઠી, ઝુમખા, કુંડલ, ચૂડામણિ, મુગટ ધારણ કર્યા. ત્યારપછી ગ્રંથિમ, વેષ્ટિમ, પૂરિમ, સંઘાતિમ ચાર પ્રકારની માળાથી પોતાને કલ્પવૃક્ષ સમાન અલંકૃત કર્યાં. શરીર દદ્દર મલય ચંદનનું સુગંધિત ચૂર્ણ નાંખ્યુ. દિવ્ય પુષ્પમાળાઓ ધારણ કરી.
ત્યારપછી કેશાલંકારો, માલ્યાલંકારો, આભરણાલંકારો અને વસ્ત્રાલંકારો. આ ચાર પ્રકારના અલંકારોથી અલંકૃત વિભૂષિત થઈને તે સૂર્યાભદેવ સિંહાસનથી ઉઠ્યો. અલંકાર સભાના પૂર્વ દ્વારેથી બહાર નીકળ્યો. વ્યવસાયસભા પાસે આવ્યો. વ્યવસાયસભાને અનુપ્રદક્ષિણા કરી, પૂર્વદિશાના દ્વારેથી ત્યાં પ્રવેશ્યો. પ્રવેશીને જ્યાં સિંહાસન હતું ત્યાં આવ્યો યાવત્ – તે શ્રેષ્ઠ સિંહાસને બેઠો.
ત્યારપછી તે સૂર્યાભદેવના સામાનિક પર્ષદાના દેવોએ તેની સામે પુસ્તકરત્ન રાખ્યું. ત્યારે સૂર્યાભદેવે પુસ્તક હાથમાં લીધું. પછી ખોલ્યું. પછી તેને વાંચ્યુ. પુસ્તકરત્ન વાંચીને ધાર્મિક કાર્ય કરવાનો નિશ્ચય કર્યો. પુસ્તકરત્ન પાછું મૂક્યું. પછી સિંહાસનેથી ઉઠ્યો. ઉઠીને વ્યવસાયસભાના પૂર્વ દ્વારેથી બહાર નીકળ્યો. નંદાપુષ્કરિણીઓ આવ્યો. તેના પૂર્વી તોરણ અને ત્રિસોપાનેથી તેમાં ઉતર્યો. હાથ-પગ ધોયા. આચમન કર્યું. પૂર્ણરૂપે સ્વચ્છ અને પરમ શુદ્ધ થઈને મત્ત ગજરાજ મુખાકૃતિ જેવી એક વિશાળ, શ્વેત, ધવલ, રજતમય વિમલ જળથી ભરેલી ભંગાર લીધી. લઈને ત્યાંના ઉત્પલ યાવત્ કમળોને લીધા. નંદાપુષ્કરિણીથી બહાર નીકળ્યો. નીકળીને સિદ્ધાયતન તરફ જવા ઉદ્યત થયો.
-
૨૨૩
ત્યારે તે સૂર્યાભદેવના ૪૦૦૦ સામાનિક યાવત્ - ૧૬,૦૦૦ આત્મરક્ષક દેવ અને સૂર્યાભવાસી બીજા દેવ—દેવીઓ પણ હાથમાં ઉત્પલ – યાવત્ – કમળોને લઈને સૂર્યાભદેવની પાછળ—પાછળ ચાલ્યા. ત્યારપછી સૂર્યાભદેવના અનેક આભિયોગિક દેવ અને દેવીઓમાંથી કોઈ હાથમાં કળશ યાવત્ – કોઈ ધૂપદાનો લઈને હર્ષિત – યાવત્ – વિકસિત હૃદય થઈને સૂર્યાભદેવની પાછળ ચાલ્યા. સૂર્યાભદેવ દ્વારા જિન પૂજા આદિ ધર્મકાર્યો :
O
1
Jain Education International
-
ત્યારપછી તે સૂર્યાભદેવ ૪૦૦૦ સામાનિક દેવ - યાવત્ – બીજા દેવદેવીથી પરિવેષ્ટિત થઈને પોતાની સમસ્ત ઋદ્ધિ – યાવત્ – વાદ્ય નિનાદો સહ સિદ્ધાયતન પાસે આવ્યા. આવીને પૂર્વ દ્વારેથી સિદ્ધાયતનમાં પ્રવેશ્યા. જ્યાં દેવછંદક હતું, જ્યાં
For Private & Personal Use Only
www.jainelibrary.org