________________
શ્રાવક કથા
૨૨૧
અંજલિ કરી સૂર્યાભદેવને વધાવી મહાર્થ, મહાઈ, મહાઈ વિપુલ ઇન્દ્રાભિષેક સામગ્રી ઉપસ્થિત કરી.
ત્યારપછી ૪૦૦૦ સામાનિક દેવો, સપરિવાર ચાર અગમહિષીઓ, ત્રણ પર્ષદા, સાત અનીકાધિપતિ – યાવત્ – બીજા પણ અનેક દેવ-દેવીઓએ તે સ્વાભાવિક, વૈક્રિયક શ્રેષ્ઠ કમલ પુષ્પો પર સ્થાપિત, સુગંધિત શુદ્ધ શ્રેષ્ઠ જળથી ભરેલ ચંદનથી ચર્ચિત, પંચરંગી સૂત્રથી બાંધેલ, કાંઠાવાળા, પઘો અને ઉત્પલોથી ઢાંકેલ સુકોમળ કરતલોમાં લીધેલા ૧૦૦૦ સ્વર્ણકળશો – યાવત્ – ભૌમેયકળશોના જળ, માટી, પુષ્પ – યાવતું – સિદ્ધારકોથી મહાન ઋદ્ધિ – યાવત્ – વાદ્યઘોષસહ તે સૂર્યાભદેવનો અતી મહાન્ ઇન્દ્રાભિષેક કર્યો.
આ પ્રકારે સૂર્યાભદેવનો અભિષેક થતો હતો ત્યારે કેટલાંક દેવોએ સૂર્યાભ વિમાનમાં મંદમંદ સુગંધી ગંધોદકની વર્ષા કરી. જેથી ત્યાંની ધૂળ દબાઈ ગઈ, પણ જમીન પર પાણી ન ફેલાયુ અને કીચડ પણ ન થયું. કેટલાક દેવોએ સૂર્યાભવિમાનને પ્રમાજીને હતરજ, નખરજ, ભૂરજ, ઉપશાંતરજ, પ્રશાંતરજ કરી દીધું.
કેટલાક દેવોએ સૂર્યાભવિમાનના રાજમાર્ગ આદિને પાણીથી સીંચીને, પ્રમાર્જના કરીને છાણ—માટીથી લીંપી સાફ કર્યા. કેટલાંક દેવોએ મંચાતિમંચ કરી સૂર્યાભવિમાનને સજાવ્યું. કેટલાંક દેવોએ વિવિધ પ્રકારના રંગની ધ્વજા અને પતાકાતિ-પતાકાથી મંડિત કર્યું.
કેટલાંક દેવોએ સૂર્યાભવિમાનને લીંપીને સ્થાને સ્થાને સરસ, ગોરોચન અને રક્ત દર્દર ચંદનના પંચાંગુલીઓના છાપા માર્યા. કેટલાકે ચર્ચિત કળશ અને ચંદન કળશોના બનેલ તોરણોથી સજાવ્યું. કેટલાકે સૂર્યાભવિમાનને ઉપરથી નીચે સુધી લટકતી એવી લાંબી લાંબી ગોળ માળાથી વિભૂષિત કર્યું. કેટલાંક દેવે પંચવર્ણ સુગંધિત પુષ્પોની રંગોળી કરી, કેટલાંકે કાળો અગરુ, કુદ્રુષ્ક, તુષ્ક અને ધૂપની મઘમઘાતી સુગંધની સૂર્યાભવિમાનને મનમોહક બનાવ્યું.
કેટલાક દેવોએ સુરભિગંધથી સુગંધની ગુટિકા જેવું સૂર્યાભવિમાન બનાવ્યું. તો કેટલાક દેવે ત્યાં ચાંદીની, કેટલાક સોનારૂપાની, વજરત્નોની, પુષ્પોની, ફળોની, માળાઓની, સુગંધિત દ્રવ્યોની, સુગંધિત ચૂર્ણોની અને આભરણોની વૃષ્ટિ કરી.
કેટલાક દેવોએ એકબીજાને ભેટમાં ચાંદી આપી, કેટલાંકે સુવર્ણ, રત્ન, પુષ્પ, ફળ, માળા, સુગંધી ચૂર્ણ, વસ્ત્ર, ગંધદ્રવ્ય ભેટમાં આપ્યા. કોઈએ આભૂષણ આપ્યા.
કેટલાંક દેવે તત, વિતત, ધન અને કૃષિર વાદ્યો વગાડ્યા, કેટલાંકે ઉક્ષિત, પાદાંત, મંદ અને રોચિતા વસાન સંગીત વગાડ્યું.
કેટલાંક દેવે દ્રત નૃત્યવિધિ દેખાડી, તો કેટલાકે વિલંબિત, દ્રતવિલંબિત, અંચિત. આરભટ, ભસોલ, આરભટ ભસોલ, ઉત્પાતનિપાત પ્રવૃત્ત, સંકુચિત, પ્રસારિત, રિતારિત, બ્રાંતસંધ્યાત નામક નૃત્યવિધિ દેખાડી.
કેટલાંક દેવોએ દાષ્ટ્રતિક, પ્રાત્યાન્તિક, સામતોપનિપાતિક અને લોકાંત મધ્યાવસાનિક એ ચાર અભિનયો અભિનિત કર્યા. તે સિવાય કેટલાક દેવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org