________________
શ્રાવક કથા
૨૦૯
પરિવેષ્ટિત છે તેના અગ્રભાગ ઉપર ઉઠતા અને દિવાલની બહાર નીકળેલા છે. પાછળના ભાગ દિવાલમાં સારી રીતે ઢંકાયેલા છે. તેનો આકાર સર્પના અધોભાગ જેવો છે. અગ્રભાગનું સંસ્થાન સર્પાર્ધની સમાન છે. તે વજરત્નોના બનેલા છે તે શ્રમણો ! મોટામોટા ગજાંતા જેવા આ નાગદંત સ્વચ્છ – યાવત્ – પ્રતિરૂપ છે.
તે નાગદંતોની ઉપર અનેક કાળા સૂત્રમાં ગુંથેલી, એ જ રીતે નીલ, લાલ, પીત, શ્વેત સૂત્રમાં ગુંથેલી લાંબી લાંબી માળા લટકતી હતી. આ માળા સોનાના ઝુમખા અને સુવર્ણથી પરિમંડિત છે. વિવિધ મણિથી રચિત, વિવિધ હારોથી – યાવત્ – શ્રીથી અતીવ શોભાયમાન છે. તે નાગદંતોની ઉપર બીજી સોળ-સોળ નાગદંતોની પંક્તિઓ છે. હે શ્રમણો ! આ નાગદંત પણ પૂર્વવત્ છે.
તે નાગદંતો ઉપર અનેક રજતમયી સીંકા લટકે છે. તેમાં અનેક વૈર્ય મણિથી બનેલી ધૂપઘટિકાઓ છે. આ ધૂપઘટિકા કાળો અગરુ, શ્રેષ્ઠ સુંદરજ્જ, તુરષ્ક અને સુગંધિત ધૂપથી મધમધાતી મનોહર સુગંધથી ગંધવર્તિકા જેવી પ્રતીત છે તથા સર્વોત્તમ, મનોજ્ઞ, મનોહર, તૃપ્તિદાયક ગંધથી તે પ્રદેશને સર્વ તરફ અધિવાસિત કરતી – યાવતું – શોભાયમાન થઈ રહી છે.
તે દ્વારોની બંને બાજુ ઓની નિશીથિકાઓમાં ૧૬-૧૬ પુતળીઓની પંક્તિ છે. આ પુતળીઓ વિવિધ પ્રકારની લીલા કરતી, સુપ્રતિષ્ઠિત, સર્વ પ્રકારના આભુષણોથી અલંકૃત, અનેક પ્રકારે રંગબેરંગી વસ્ત્રો અને માળાથી સુશોભિત, પાતળા કટિપ્રદેશવાળી, ઊંચા અંબોડા બાંધેલી, પરિપુષ્ટ, માંસલ, કઠિન, પીવર, સમશ્રેણી સ્થિત, સહવર્તી, અબ્યુન્નત ગોળાકાર સ્તનોવાળી, લાલિમાયુકત નયનાંતવાળી, અતિ સુકોમળ, નિર્મળ, સઘન, ઘુંઘરાળી કાળી કે શરાશિવાળી, અશોકવૃક્ષને સહારે ઉભેલી, ડાબા હાથે તેની અગ્રશાખાને પકડેલી, અર્ધનિમીલિત નેત્રોના ઇષત્ વક્ર કટાક્ષથી દેવોના મનને હરણ કરતી, પાર્થિવ પરિણામવાળી હોવા છતાં શાશ્વત્ ચંદ્રમુખી, ચંદ્રસમ મનોહર, ચંદ્રાર્ધતુલ્ય લલાટવાળી ચંદ્રથી અધિક સૌમ્ય કાંતિવાળી, ઉલ્કાકુંજ સમ ઉદ્યોત કરનારી, વિદ્યુત અને સૂર્યના દીપ્યમાન તેજથી અધિક પ્રકાશ પ્રભાવાળી, પોતાની સુંદર વેશભૂષાથી શૃંગાર રસના ગૃહ સમાન, પ્રાસાદીય – યાવત્ – રમણીય હતી.
તે દ્વારોની બંને બાજુની બંને નિશીપિકાઓમાં ૧૬-૧૬ જાલકટક પંક્તિ છે. આ જાલકટક સર્વાત્મના રત્નમય સ્વચ્છ – યાવત્ – પ્રતિરૂપ છે.
તે વારોની ઉભય પાર્થવર્તી બંને નિશીધિકાઓમાં ૧૬-૧૬ ઘટપંક્તિ છે. તે પ્રત્યેક ઘંટા જાંબૂનદ સ્વર્ણમય છે. તેના લોલક વજમય, બંને બાજુ વિવિધ પ્રકારના મણિ. જડિત, સાંકળો સુવર્ણની, દોરીઓ મણિમય છે. મેઘનો ગડગડાટ, હંસસ્વર, ક્રાંચ સ્વર, સિંહગર્જના, દુંદુભિનાદ, વાદ્યવૃંદ નિનાદ, નંદિઘોષ, મંજુલ સ્વર, મંજુલઘોષ સુસ્વર, સુસ્વરઘોષ જેવી ગૂંજવાળા તે ઘંટ પોતાના શ્રેષ્ઠ, સુંદર, મનોજ્ઞ, મનોહર, કર્ણ અને મનને સુખદ, ઝણકારથી સર્વ પ્રદેશને વ્યાપ્ત કરે છે.
તે લારોની બંને બાજુઓની નિશીધિકાઓમાં ૧૬–૧૬ વનમાલાઓની પરિપાટીઓ
Jain E!
nternational
For Private & Personal Use Only
www.jainelibrary.org